________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૭૬
આવ્યું હતું અને સં. ૨૦૧૧ના મહાસુદ-૬ના દિને પરમાત્મા-બિંબોનો જિનાલયમાં પ્રવેશ થયો. સં. ૨૦૧૧ના જેઠ સુદ-૫ના દિને પૂ. આચાર્ય દેવ શ્રી સમુદ્રસૂરિશ્વરજી તથા પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિની નિશ્રામાં આ નૂતન જીર્ણોદ્ધત જિનાલયની ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં
આવી.
મુખ્ય મંદિરને ફરતી એકાવન દેવકુલિકાઓ છે. આ દેવકુલિકાઓનું ખાત મુહૂર્ત સં. ૨૦૧૩ના માગસર સુદ-૪ના દિને થયું હતું. આ દેવકુલિકાઓમાં સં. ૨૦૧૬ના જેઠ સુદ-૬ના શુભ દિને જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ ભવ્ય જિનાલયના પ્રવેશદ્વાર પાસેના ગોખલાઓમાં દક્ષિણ દિશાના પહેલા ગોખલામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ઉત્તર ગોખમાં આસાક મંત્રીની પ્રાચીન મૂર્તિ છે. બીજા ગોખમાં પાર્શ્વયક્ષની મૂર્તિ છે અને તેની સામેના ગોખમાં પદ્માવતીની મૂર્તિ છે. ત્રીજા ગોખમાં શ્રી શીલગુણસૂરિની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ગોખમાં વનરાજની પ્રાચીન મૂર્તિ છે. દેરીઓની શરૂઆતમાં મુખ આગળના બે ગોખમાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ છે. દેરીઓની અંતે મુખ આગળના બે ગોખમાં બે ક્ષેત્રપાલની પ્રાચીન મૂર્તિઓ છે. મંદિરની બાજુમાં નવા બંધાયેલા ગુરૂમંદિરમાં શીલગુણસૂરિ, તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી હીરવિજયસૂરિ, શ્રી સેનસૂરિશ્વરજી, શ્રી દેવસૂરિશ્વજી, શ્રી કાન્તિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાયેલી છે.
આ ઉપરાંત આ જ મંદિરના પટાંગણમાં શ્રી પાર્શ્વનાથનું ચૌમુખ જિનાલય તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી ધર્મનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી નવખંડા પાર્શ્વનાથ આદિ જિનાલયો દર્શનીય છે.
શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલયના ગર્ભગૃહના મુખ્ય દ્વારની શાખાઓ, અને ઉતરંગોમાં સોળ વિદ્યાદેવીઓના સ્વરૂપો કોતરેલાં છે. તેમજ આરસના દ્વારોમાં જૈન પ્રતિહારોનાં’સ્વરૂપો દિશા અનુસાર કોતરવામાં આવ્યા છે. દ્દારોનાં બારણાં રત્નજડિત અને કલાત્મક છે. ‘‘મંડોવર’’ના નામથી ઓળખાતી મુખ્ય મંદિરને ફરતી દીવાલોના પ્રત્યેક થરો શિલ્પ કલાના ભરપુર નકશીકામવાળાં છે. તેમાં તીર્થંકર ભગવંતોના કલ્યાણક આદિ જીવન પ્રસંગોનાં દશ્યો તથા દેવાંગનાઓ, દિક્પાલો, ગંધર્વો, કિન્નરો, યક્ષો, આદિનાં મનોરમ્ય સ્વરૂપો કંડારેલાં છે.
આ મનોહર જિનપ્રાસાદ જમીનની સપાટીથી ૭૫ ફૂટ ઊંચો છે. બેનમૂન ભવ્ય દેવકુલિકાઓથી પરિવૃત્ત થયેલો આ જિનપ્રાસાદ દેવિમાન સદશ શોભી રહ્યો છે. પ્રાચીનતાના પુરાવા :
તેરમી સદીના પ્રારંભમાં રચાયેલા શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ‘‘ચંદ્રપ્રભચરિત’’ની પ્રશસ્તિમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલયમાં પૃથ્વીપાલ મંત્રીએ મંડપ કરાવ્યાનો ઉલ્લેખ છે.
તેરમી સદીના ઉત્તરાર્ધમાં કવિ અરિસિંહે “સુકૃત સંકીર્તન'' નામના કાવ્યમાં વસ્તુપાલના