________________
યુગે યુગે પાટણની પ્રભુતા
સરખાવેલ છે. આ સ્તંભ સંગેમરમરનો બનાવેલો હતો. તેનો ફોટો મારી પાસે છે.
મહાદેવની દહેરીની ભીંતમાં ચણાયેલો આ અમૂલ્ય દસ્તાવેજ જેવો શિલાલેખનો ટુકડો (જુઓ નીચેનો ફોટોગ્રાફ) આધારભૂત હોઇ જીજ્ઞાસુ વાચકે જોઇ આવવા જેવો છે. આ લંબચોરસ શિલાલેખની લંબાઇ ૨૬ ઇંચ અને પહોળાઇ ૧૩ ઇંચ છે. સિદ્ધરાજે આ કીર્તિસ્તંભ ઇ.સ.૧૧૯૫ માં બનાવ્યો હશે. આ પ્રશસ્તિનું લખાણ આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવ્યું છે.
*
૧૯
કવિ શ્રીપાળે રચેલ ‘“સિઘ્ધરાજ પ્રશસ્તિ'' શીલાલેખનો ટુકડો પાટણમાં વિજળકૂવા વિસ્તારમાં વૈજનાથ મહાદેવના શિવાલયની ભિતમાં ચણાયેલો દર્શાવતા લેખક પ્રા, મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
“મારી પાસે ધન હોય તો હું આ શિલાલેખ ખરીદી લઇ એક લાખ રૂપિયા ખર્ચી ઉંચો ટાવર બાંધી એના ઉપર મુકાવું''
પાટણના જાણિતા પુરાતત્ત્વવિદ્ અને ઇતિહાસકાર મહાન આચાર્ય શ્રી જિવિયજીમહારાજ સાહેબે ઉપરના પ્રસસ્તિના અંશને જોઇને પાટણના એક જાહેર સભારંભમાં ઉચ્ચાર્યાં હતા.