________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૧૩
(૪૧) શ્રી શંકરાચાર્ય અને શ્રી હેમચંદ્રાચાર્યને મહાન આચાર્યો
પ્રા. ભૂદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય શ્રી મેરૂતુંગાચાર્ય રચિત “પ્રબંધ ચિંતામણિ”માં “કુમારપાળ પ્રબંધ” લખાયેલો છે. તેમાં - કુમારપાળનું સમગ્ર જીવનચરિત્ર લખાયેલું છે. કુમારપાળ પ્રબંધમાં તે વખતની સામાજીક પરિસ્થિતિનું સુંદર વર્ણન કરેલું છે. જૈન ધર્મને રાજ્યાશ્રય મળેલો હતો. તેથી જૈનેતર લોકો ખૂબ જ નારાજ હતા. એક વખત અણહિલપુર પાટણમાં શ્રીમદ્ શંકરાચાર્યજી પધારેલા. પાટણના નાગર સમાજે ભેગા થઈ શ્રી શંકરાચાર્યને વિનંતી કરી કે, “તમે કંઈક એવો ચમત્કાર કરી બતાવો કે, જેથી રાજા જૈન ધર્મ છોડી શૈવ ધર્મનો સ્વીકાર કરે.” શંકરાચાર્યે તેમની આ વાતનો સ્વીકાર કર્યો અને શંકરાચાર્યે કુમારપાળને કહેણ મોકલાવ્યું કે, “આવતીકાલે રાજદરબારમાં શંકરાચાર્ય મળવા આવે છે.” આ બાજુ શંકરાચાર્યે કેળનું એક પાન મંગાવ્યું. એ કેળના પાનને સૂતરના કાચા તાંતણા વડે એક મનોહર પાલખી ગુંથાવી અને દસ દસ વર્ષની વયના કુમળા નાગર બ્રાહ્મણના બાળકો પાસે તે કેળના પત્રની એક પાલખી ઉચકાવી અને શ્રી શંકરાચાર્ય પદ્માસન વાળી યોગબળથી પોતાનું શરીર ઉચકી કેળનાં પાન ઉપર બેઠા અને તે પણ કેળના પાનને સ્પર્શ થાય નહિ તે રીતે પાલખીમાં બેઠા. શ્રીમદ્ શંકરાચાર્યની શોભાયાત્રા ધામધૂમથી પાટણના નગરજનોએ પણ આ વરધોડો નિહાળ્યો અને આશ્ચર્ય પામ્યા. કર્ણ ઉપક શંકરાચાર્યના આ ચમત્કારની વાત હેમચંદ્રાચાર્ય સુધી પહોંચી. ગુપ્તચરો મારફત કુમારપાળને પણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા કે, “કેળનાં પાનની કાચા સૂતરના તાંતણે બાંધેલી પાલખીમાં હવામાં અધ્ધર રહીને બેઠેલાં શ્રી શંકરાચાર્ય રાજદરબાર તરફ આવી રહેલા છે.” શંકરાચાર્યની સવારી રાજદરબારમાં આવે તે પહેલાં હેમચંદ્રાચાર્યે લાકડાંની અઢાર પાટો મંગાવી ઉપરા ઉપરી ગોઠવી અને તેના ઉપર હેમચંદ્રાચાર્ય પોતે બિરાજમાન થયા.
' રાજાનો દરબાર ભરચક ભરાયેલો છે. રાજ દરબારમાં રાજા મંત્રીઓ ઉપરાંત નગરના શ્રેષ્ઠીઓ, શ્રીમંતો, સારસ્વતો, પહેલવાનો અને ઇતર આગેવાનો બેઠેલા છે.
- શ્રીમદ્ શંકરાચાર્યની શોભાયાત્રા રાજ દરબારમાં આવી પહોંચી ત્યારે કુમારપાળે ઉભા થઇ શ્રી શંકરાચાર્યનું સ્વાગત કર્યું. જે ત્યાં બેઠેલા કેટલાક જૈન આગેવાનોને ગમ્યું નહિ. તેઓએ હેમચંદ્રાચાર્યને નિવેદન કર્યું કે, “કુમારપાળ જૈન ધર્મનો ત્યાગ કરશે અને વેદ ધર્મ અપનાવશે તો ખૂબ નુકશાન થશે. શ્રી શંકરાચાર્યની અદ્દભૂત શકિતથી સમગ્ર દરબાર વિસ્મય પામ્યો. તે વખતે કુમારપાળે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને આવો કોઇ ચમત્કાર દેખાડવા જણાવ્યું.
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કે જેઓ ઉપરા ઉપરી ચઢાવેલી સૌથી ઉપરની અઢારમી પાટ ઉપર બેઠા હતા. ત્યાંથી સાચા ધર્મ વિશે વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યારે લોકોએ કહ્યું કે, “અમને વ્યાખ્યાનમાં રસ નથી ચમત્કાર કરી બતાવો.” એટલે શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાખ્યાન બંધ કર્યું. અને મુખેથી ફરમાવ્યું કે,