________________
યુગે યુગે પાટણની પ્રભુતા
આ દળદાર મૂલ્યવાન ગ્રંથના પ્રકાશનને હું હ્રદયપૂર્વક આવકારતાં આનંદ અનુભવું છું, જિજ્ઞાસુ વિદ્વાનો, વ્યક્તિઓ તથા સંસ્થાઓ પણ આ મહામુલા ગ્રંથને જરૂર આવકારશે એવી મને શ્રધ્ધા છે.
શ્રી મુકુન્દભાઇએ આ ગ્રંથના શીર્ષકમાં ‘પાટણની પ્રભુતા' શબ્દ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીની લોકપ્રિય નવલકથા ‘પાટણની પ્રભુતા’ પરથી પ્રયોજ્યા છે. ‘લેખકના બે બોલ'માં શ્રી મુકુન્દભાઇએ અમદાવાદ, ખંભાત અને સુરત જેવાં નગરોને લગતા સંદર્ભગ્રંથોની જેમ પાટણ વિશે એવો માહિતીપૂર્ણ ગ્રંથ આપવાની નેમ વ્યક્ત કરી છે. ચાવડા, સોલંકી અને સલ્તનત કાલમાં પાટણનગર તરીકે પાટણ મહત્વનું સ્થાન ધરાવતું. એ સંદર્ભમાં લેખકની આ અભિલાષા તદ્દન સમુચિત ગણાય. લેખક તથા સંપાદક તરીકે પ્રા. મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિય પોતાના આ વ્હાલા વતન માટે અથાગ શ્રમ લઇ આ દળદાર સચિત્ર યાદગાર ગ્રંથ તૈયાર કર્યો છે તે માટે હું સર્વ વાચકો વતી એમને હાર્દિક અભિનંદન આપી તેમને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપું છું. અને ગ્રંથને આવકારું છું.
નિવાસ :
‘સુવાસ’, ૧૯૨, આઝાદ સોસાયટી,
અમદાવાદ - ૩૮૦૦૧૫
ફોન : (૦૭૯) ૨૬૭૫૩૩૪૧
હરીપ્રસાદ ગં. શાસ્ત્રી એમ.એ., પીએચ.ડી.