SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રતો સ્વભાવ-દોષને સહન કરી ન શકો ? એમની કહેવાતી કચકચને સમભાવે ગળી ન શકો ? એમના પ્રત્યેના અપૂર્વ બહુમાનભાવને અકબંધ જાળવી ન શકો ? જો મા-બાપને છોડી દેનારા દીકરાઓ કપૂત કહેવાય, તો ગુરુને આ રીતે ત્યાગી દેનારા શિષ્યો કુશિષ્ય-કુસાધુ ન કહેવાય ? રે! ખાનદાન સપૂતો તો પાગલ થઈ ગયેલા અને એટલે જેમ તેમ લવારો કરતા મા-બાપને પણ ભગવાનની જેમ સાચવે છે. તો તમે તમારા સારા-ડાહ્યા છતાં અમુક સ્વભાવદોષવાળા ગુરુને ભગવાનની જેમ કે છેવટે ગુરુની જેમ જ સાચવી ન શકો ? તમે તમારા સંઘાટકોને - શિષ્યોને કહી દો કે “તમે બધા પછી છો. પહેલા મારા ગુરુ ! એને છોડીને મારે ક્યાંય જવું નથી. તમારે મારા ગુરુની સેવા કરવી જ પડશે. તમને એ મંજૂર ન હોય તો તમે જઈ શકો છો, પણ હું તમારી સાથે નહિ...” વળી તમે તમારી દૃષ્ટિએ જ બધો વિચાર કર્યો છે, પણ ક્યારેય પણ એવો વિચાર કર્યો છે ખરો કે “અમે બધા આ રીતે ગુરુને છોડી જઈશું તો ગુરુની હાલત શું થશે ?" ગુરુ ધીરે ધીરે મુંઝાશે “મારી સાથે રહેવા કોઈ તૈયાર નથી. હવે મને કોણ સાચવશે ? ઘડપણ નજીકમાં છે, ત્યારે મને સમાધિ કોણ આપશે ? મારું શરીર હવે નબળું પડતું જાય છે. મારાથી વિશેષ કામ થતા નથી. તો ગોચરી-પાણી-કાપ-ઉપધિ ઉંચકવી... વગેરે બધું કેવી રીતે થશે ? રે ! બધા મને પૂછશે કે “તમે કેમ એકલા છો ? તમારા તો ઘણા શિષ્યો છે, એ બધા ક્યાં ગયા ? તમારી સાથે નથી રહેતા એ બધા ?” ત્યારે હું શું જવાબ દઈશ ? લોકો તો મારા જ દોષો કાઢશે. હું અનાથ બની જઈશ. અરે ભગવાન ! મારું શું થશે ?... ગુરુનો માનસિક ત્રાસ ગુરુનો માનસિક તનાવ ગુરુનો માનસિક આઘાત કેટલો બધો હશે, એની કલ્પના કરી તમે ? શું એમાં નિમિત્ત બનનારા તમે સુખી થશો ? સંયમમાં સફળતા પામશો ? ગુરુની આ ‘હાય’ તમારા જીવનમાં ‘હાશ’ ને પેસવા દેશે ખરી ? ગુરુના સ્વભાવદોષને વાતે વાતે આગળ કરનારા શિષ્યોએ શાંતચિત્તે ઉપરની બાબતો વિચારવી જોઈએ, એમણે પોતાના મા-બાપ સાથે આવું વર્તન કરનારા ભાઈભાભી વગેરે સાથેનો પોતાનો વાર્તાલાપ આ જગ્યાએ પણ અક્ષરશઃ પોતાની જાતને જ સંભળાવવો જોઈએ. (ઘ) જે વાત ગુરુના કચકચ કરવાના સ્વભાવ અંગે કરી, એ જ વાત ગુરુના ક્રોધ ૬૬ ***
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy