________________
* મહાવ્રતો
સાધુ જૂએ છે ખરો, પણ આત્માના ગુણો ! પૌદ્ગલિક મનોહરતા જોવા માટે એ લગીરે નવરો નથી.
સાધુ સુંઘે છે ખરો, પણ શીલની સુગંધ ! પુષ્પો-સેંટ-અત્તરની સુગંધ સુંઘવા એ ક્ષણપણ ગુમાવે નહિ.
સાધુ વાપરે છે ખરો, પણ આત્મમસ્તીને ! વિષ્ઠા બનનારા પુદ્ગલોને આરોગવાની હોંશ એ કરે, એવો મૂર્ખ નથી.
સાધુ સ્પર્શે છે ખરો, પણ ઉત્તમપરિણતિને ! સ્ત્રી વગેરેના સ્પર્શ તો એને આગમાં દાઝી જવા જેવા જ લાગે.
બસ,
આ પાંચ ભાવનાઓ જો સાધુ આત્મસાત્ કરી લે, તો પાંચમું મહાવ્રત એના માટે સાવ જ સુલભ બની જાય.
આ
પચ્ચીસ ભાવનાઓમાં જે સાધુ-પુરૂષાર્થ ન કરે, એમાં છૂટછાટ સેવે એ મહાવ્રતોને મલિન કરનારો બને... કદાચ ક્યારેક એ મહાવ્રતોને સંપૂર્ણ ગુમાવી દેનારો પણ બને
માટે જ આમાં વધુ ને વધુ પ્રયત્નશીલ બનવું. અંતે......
૩૨૬
***