SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ * મહાવ્રતો સાધુ જૂએ છે ખરો, પણ આત્માના ગુણો ! પૌદ્ગલિક મનોહરતા જોવા માટે એ લગીરે નવરો નથી. સાધુ સુંઘે છે ખરો, પણ શીલની સુગંધ ! પુષ્પો-સેંટ-અત્તરની સુગંધ સુંઘવા એ ક્ષણપણ ગુમાવે નહિ. સાધુ વાપરે છે ખરો, પણ આત્મમસ્તીને ! વિષ્ઠા બનનારા પુદ્ગલોને આરોગવાની હોંશ એ કરે, એવો મૂર્ખ નથી. સાધુ સ્પર્શે છે ખરો, પણ ઉત્તમપરિણતિને ! સ્ત્રી વગેરેના સ્પર્શ તો એને આગમાં દાઝી જવા જેવા જ લાગે. બસ, આ પાંચ ભાવનાઓ જો સાધુ આત્મસાત્ કરી લે, તો પાંચમું મહાવ્રત એના માટે સાવ જ સુલભ બની જાય. આ પચ્ચીસ ભાવનાઓમાં જે સાધુ-પુરૂષાર્થ ન કરે, એમાં છૂટછાટ સેવે એ મહાવ્રતોને મલિન કરનારો બને... કદાચ ક્યારેક એ મહાવ્રતોને સંપૂર્ણ ગુમાવી દેનારો પણ બને માટે જ આમાં વધુ ને વધુ પ્રયત્નશીલ બનવું. અંતે...... ૩૨૬ ***
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy