SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - ટુબ્રો...તો.નો...માવો... ------------ કર્યા વિના વાપરે છે. હું તો સંયોજનાદિ કરું છું...” એને બદલે એવું કંઈ ન કહેવું અને સૌથી વધુ અનાસક્ત તરીકેનો યશ મેળવ્યા કરવો. (શ્રી દશવૈકાલિકસૂત્રમાં તવોને, વયતેણે વગેરે દ્વારા ઉપલક્ષણથી ઘણા પ્રકારની ભાવપ્રધાનતાએ ભાવચોરી બતાવી છે.) (૧) દ્રવ્યપ્રધાનતાએ ભાવ અબ્રહ્મ : અમુક સ્ત્રી પર પુષ્કળ રાગ થવો, સતત એના વિચારો આવે, એની સાથે વિચિત્ર ચેષ્ટાઓ અંગેના વિચારો આવવા... અમુક રૂપાદિ જોવાનું ખૂબ મન થવું, પોતાની પાસે ફોટા રાખવા, છાપા વગેરેમાં આવતા બિભત્સ ચિત્રો ધ્યાનથી જોવા, ખાનગીમાં જોવા, વારંવાર જોવા, જાણી જોઈને જોવા... કોઈ નાનો રૂપાળો બાળક ગમી જાય, એની તરફ જોવાનું મન થાય, એની હસવારમવા-બોલવાની ક્રિયાઓમાં રાગ થવો... એ બધું જોવું સાંભળવું ખૂબ ગમવું...એ રૂપાળા બાળકને અડવાની, રમાડવાની, એની સાથે વાતો કરવાની ઈચ્છા થવી... આ અનેક પ્રકારે દ્રવ્યપ્રધાનતાવાળું ભાવ-અબ્રહ્મ છે. (૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ : જે ઉપાશ્રયમાં આજુબાજુના ઘરોમાં નજર પડતી હોય, એવા જ ઉપાશ્રયમાં જાણી જોઈને રહેવું. એમ જ્યાં સ્ત્રીઓ ભક્તિવાળી હોય, એમની સાથે પરિચયાદિ કરવા એકદમ સુલભ હોય... એવા સંઘોમાં જ ચાતુર્માસાદિ કરવા. એ સ્થાન ન છોડવું. એની આજુબાજુ જ ફર્યા કરવું. ઉપાશ્રયમાં પણ જે સ્થાને બેઠા બેઠા દેરાસર - ઉપાશ્રયાદિમાં અવરજવર કરતી સ્ત્રીઓ તરફ જોઈ શકાતું હોય, સાધ્વીજીઓ તરફ જોઈ શકાતું હોય... એવા સ્થાને જ બેસવાનો આગ્રહ રાખવો. ગમે તે બહાના કાઢીને તેવા સ્થાને બેસવું. જ્યાં સ્ત્રીઓ-સાધ્વીજીઓ સ્થડિલાદિ જતા હોય, ત્યાં જ જાણી જોઈને અંડિલાદિ માટે જવું. છરીપાલિત સંઘોમાં સ્ત્રીઓના તંબુ વગેરે દેખી શકાય એવા જ સ્થાને રહેલા તંબુમાં રહેવું. ગમે તે બહાના કાઢીને પણ એવા જ તંબુની પસંદગી કરવી... શ્રાવકો આંબિલ બેસણા વગેરે વખતે જો એવા જ સ્થાને બેસવાનો પ્રયત્ન કરે જ્યાંથી તે તે સ્ત્રીઓને જોઈ શકાય... તો એ બધું ક્ષેત્રની અપેક્ષાએ ભાવ-અબ્રહ્મ છે. જે ઘરોમાં રૂપવાન સ્ત્રીઓ હોય, એ ઘરોમાં જાણી જોઈને ગોચરી વહોરવા જવું. (૩) કાળપ્રધાનતાએ ભાવ-અબ્રહ્મ : “દેરાસરમાં સવારે આઠ વાગે કે વ્યાખ્યાન બાદ સ્ત્રીઓ વગેરેની સંખ્યા ખૂબ હોય છે' એમ ખબર પડે એટલે એવા જ સમયે દેરાસરમાં દર્શન કરવા જવું.. ઉપાશ્રયની આજુ બાજુમાં રહેલી કૉલેજ અમુક સમયે છૂટે છે, એ વખતે ત્યાં હજારો છોકરી-છોકરાઓની ભીડ હોય... એ ખબર પડે એટલે એ જ સમયે થંડિલાદિના બહાને તે જ રસ્તેથી પસાર થવું. બીજો રસ્તો હોય, તો પણ ૨૯ - - - - - - - - - ૨૭૯ ૯ જ k
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy