SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ --- ---- ---- જ ન મહાવ્રતો જ -----૪-૪-૯-૪-૯ બન્યા, એમ આપણે નથી બનવું. જેમ દિગંબરો સંઘયણભેદ, કાળભેદ, જીવભેદ વગેરેને સમજી ન શક્યા, એમ આપણે નથી કરવું. આજે જો શ્વેતાંબરો પણ નવા નવા કદાગ્રહોનો ભોગ બને કે “ભૂતકાળના સાધુઓ તો આ બધી વસ્તુઓ વાપરતા ન હતા, આપણે વાપરીએ તે ખોટું જ કહેવાય.તો એ પણ નવો દિંગબરમત સ્થાપવા જેવું થાય છે જો ભૂતકાળ જેવી જ પરિસ્થિતિ તે તે બાબતોમાં અત્યારે પણ હોય તો તો એમની વાત માન્ય જ છે. પણ પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયા પછી પણ એ જ જૂની વાતને પકડી રાખવાનો આગ્રહ રાખવો એ તો આત્મઘાતી પગલું છે. પહેલાના સાધુઓ પુસ્તકાદિ વાપરતા ન હતા, માટે આપણે પણ ન જ વપરાય, પહેલાના સાધુઓ બોલપેન વગેરે વાપરતા ન હતા, માટે આપણે પણ ન જ વપરાય, પહેલાના સાધુઓ પ્રત-પુસ્તકાદિ છપાવતા ન હતા, માટે આપણે પણ ન જ છપાવાય, આવી અનેક બાબતો છે. શું આ યોગ્ય છે ? આપણી વાત તો એટલી જ છે કે ગીતાર્થ સાધુ કારણસર યતનાપૂર્વક કોઈપણ પરિગ્રહાદિ દોષ સેવે એ નિર્દોષ જ છે, એ કર્મનો ક્ષય જ કરે છે. જેઓ આ વાત ન સમજી શકે તેઓ જિનશાસનના મર્મને સાચી રીતે સમજ્યા નથી, એમ માનવું પડે. પરિગ્રહસંબંધમાં ચતુર્ભગી આ પ્રમાણે બતાઊં છે કે (૧) દ્રવ્યથી પરિગ્રહ છે. + ભાવથી પરિગ્રહ નથી. જે સાધુ મમત્વ વિનાનો છે, અને ઉચિત સંયમોપકરણોને ધારણ કરે છે, તેને દ્રવ્યથી પરિગ્રહ છે, ભાવથી નથી (૨) દ્રવ્યથી પરિગ્રહ નથી + ભાવથી પરિગ્રહ છે. જે ભિખારી વગેરેની પાસે ધનાદિ કશું નથી, પણ એ બધું મેળવવાની ઝંખના ખૂબ છે... તેઓને આ બીજા ભાગો લાગે. (૩) દ્રવ્યથી પરિગ્રહ છે + ભાવથી પરિગ્રહ છે. જે શ્રીમંતો હજી પણ વધુને વધુ કમાવાની લાલસાવાળા હોય, તેઓને આ ભાંગો લાગે. (૪) દ્રવ્યથી પરિગ્રહ નથી + ભાવથી પરિગ્રહ નથી. સિદ્ધ ભગવંતો તથા અપેક્ષાએ વસ્ત્ર-પાત્રાદિ વિનાના જિનકલ્પિકાદિઓ આ ભાંગામાં આવે. આ રીતે અહીં પાંચમું મહાવ્રત સંપૂર્ણ થાય છે. જા જા જા જા જા ૨૬૦ = - - - - - - -
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy