SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ જ જજે જજ * *જી મહાવતો જ હવે આ મહાવ્રતમાં અપવાદમાર્ગ શું હોઈ શકે ? એ ટુંકમાં વિચારીએ પરિગ્રહમાં શુદ્ધ અપવાદ : (ક) વિશિષ્ટ પ્રભાવક સાધુને પ્રધાનો-શ્રીમંતો વગેરે મોટા માણસો મળવા આવતા હોય, તેઓ અધર્મ ન પામે, તેઓ ધર્મ પ્રત્યે આકર્ષણ પામે એ માટે પ્રભાવક સાધુ સફેદ – સ્વચ્છ કપડાનો આગ્રહ રાખે. “કપડા મેલા નથી ને ?” એ ચકાસી લે. મેલા લાગે, તો કાપ કાઢી લે કે શિષ્યાદિ પાસે કઢાવી લે. એમ મોઢા ઉપર, દાંત ઉપર, હાથ વગેરે અવયવો ઉપર મેલ નથી ને? એ પણ ચકાસી લે. જો મેલ લાગે, તો એને દૂર પણ કરે. પ્રભાવક સાધુના મેલા દાંત જોઈને ગૃહસ્થો વિચારે કે “આ બધા મંજન પણ નથી કરતા...” એમ મેલા હાથ, મેલા મુખાદિને જોઈને પણ એવા મોટા ગૃહસ્થો અરુચિવાળા બને... આ ન થાય એ માટે જ માત્ર ને માત્ર એ જીવોના ભાવપ્રાણની રક્ષા કરવા, શાસનની હીલના અટકાવવા વિશિષ્ટ સાધુ આ બધું કરે તો એને કોઈ પરિગ્રહદોષ નથી. (ખ) કોઈ સંગીતકાર મધુર કંઠે સ્તવનો ગાતો હોય અને સાધુને એના દ્વારા પ્રભુભક્તિના ભાવો જાગતા હોય, પરમાત્મા સાથે પ્રેમભાવ પ્રગટતો હોય, આંખમાં આંસુઓ ટપકતા હોય.... તો આવા આવા ઉત્તમ લાભો જોઈને સાધુ એના સ્તવનો સાંભળે... તો એમાં પરિગ્રહદોષ નથી. (હા ! સંગીતકારને ગાવા માટે બોલાવવો, મનપસંદ ગીતો ગાવાનો આદેશ કરવો... આ બધું સાવદ્ય બને. પણ સંગીતકાર કોઈક પ્રસંગ વગેરેમાં સહજ રીતે ગાતો જ હોય... તો એમાં એના મધુર કંઠના આલંબને શુભધ્યાન પર ચડવું એ કંઈ ખોટું નથી.) (ગ) “જો મારું શરીર બગડશે, તો મારી બધી આરાધના બગડશે. માટે મારે શરીરને બગડવા દેવું નથી. એ માટે હું મારા શરીરને જે વસ્તુ માફક ન આવે, એ નહિ જ વાપરું. જે માફક આવી હશે એ જ વાપરીશ...” આમ માત્ર ને માત્ર પોતાની આરાધનાઓ સાચવવાના લક્ષ્યથી સાધુ તે તે વસ્તુઓ ત્યાગે, અમુક વસ્તુઓ લે .. તો એમાં કોઈ દોષ નથી. એને વસ્તુ પ્રત્યે રાગ નથી, પણ એ વસ્તુ આરાધનામાં સહાયક બને છે, માટે જ એ વાપરે છે. માટે જ એ આરોગ્યને પ્રતિકૂળ વસ્તુ ન લે, આરોગ્યને અનુકૂળ વસ્તુ લે તો પણ મમત્વવાળો ન ગણાય. એમ ટી.બી વગેરેમાં તો શરીર ટકાવવા માટે ઘી - દૂધ વગેરે વિગઈઓ પણ લે, વિહારના અતિપરિશ્રમાદિમાં શરીરને પણ પોષણ આપવા મષ્ટાન્નાદિ પણ વાપરે... છતાં એ દોષપાત્ર બનતો નથી. () પોતાનાથી પામેલા ગૃહસ્થો જો ઉસૂત્ર પ્રરૂપકોના કે મહાશિથિલોના પરિચયાદિ કરવાના હોય, તો એમને અટકાવવા જરૂરી છે જ. એ માટે એમને તેઓ - - - - - - - ૯૯ ૯૯૨ ૫૨ કકક કકક -------
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy