SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રતો ઉત્તર : ના અહીં મૈથુનું અવ્રત્ત આ જ વ્યાખ્યા લેવી. પ્રમત્તયોાત્ શબ્દ અહીં લગાડવાનો નથી. પ્રશ્ન ઃ આવું કેમ ? બીજા મહાવ્રતોમાં એ શબ્દ જોડ્યો અને આમાં કેમ નહિ ? ઉત્તર : પ્રાણાતિપાત એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. મૃષાવાદ એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. અદત્તાદાન એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. પરિગ્રહ એ પ્રમાદયોગથી પણ થાય અને અપવાદમાર્ગ વખતે પ્રમાદ વિના પણ થાય. પણ મૈથુન તો પ્રમાદયોગથી જ થાય છે. પ્રમાદયોગ વિના નહિ. એટલે એના બે વિકલ્પો જ ન હોવાથી પ્રમત્તયોત્ શબ્દ લગાડવાની જરુર નથી. પ્રશ્ન ઃ સ્ત્રીને તો પ્રમાદયોગ વિના પણ મૈથુન સંભવિત છે ને ? તમે જ આગળ કહી ગયા છો ઉત્તર : હા ! પણ (૧) એ ક્યારેક જ બને, પ્રમાદયોગ પ્રાયઃ તો એમાં આવી જ જાય. (૨) જેમ હિંસા વગેરે દોષો પ્રમાદયોગ વિના જ કરવામાં આવે છે. કોઈ બળજબરીથી કરાવતું નથી. એવું મૈથુનમાં નથી. સ્ત્રી’પ્રમાદયોગ વિના જ સામેથી મૈથુન સેવે, એ બને જ નહિ. એ તો બળજબરીથી જ કરાવાય, ત્યારે એ શક્ય બને કે પ્રમાદ ન હોય, છતાં મૈથુન હોય. ટુંકમાં સ્ત્રી પણ જેમ અપવાદમાર્ગે પ્રમાદ વિના હિંસાદિ સેવે, કોઈની બળજબરી વિના સેવે એ બને. પણ સ્ત્રી અપવાદમાર્ગે પ્રમાદાદિ વિના મૈથુન સેવે, કોઈની બળજબરી વિના સેવે એવું બનવાનું જ નથી. એમાં એને પ્રમાદ હોવાનો જ... એટલે આ પદાર્થમાં કોઈ વાંધો જણાતો નથી. ૨૪૪
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy