SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ------------- સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવત - ૨૯-૦૯-૦૯ - - - - આમાં આવી જ ગયેલા જાણવા. વૃત્તિકારશ્રીએ ચાર પ્રકારે મૃષાવાદ બતાવેલો છે. (૧) સદુભાવપ્રતિષેધ : વિદ્યમાન પદાર્થોનો નિષેધ કરવો તે. દા.ત. આત્મા નથી, પુણ્ય-પાપ નથી, મહાવિદેહ નથી, ચોવીસ તિર્થંકરો કે વીસ વિરહમાન નથી પણ ઓછા છે... વગેરે. (૨) અસદ્ભાવ-ઉદ્દભાવનઃ આત્મા સર્વવ્યાપી છે... વગેરે અવિદ્યમાન પદાર્થોની પ્રરૂપણા કરવી. (૩) અર્થાન્તર : ગાયને ઘોડો કહેવો, સમ્યક્તીને મિથ્યાત્વી કહેવો, સાધુને સંસારી કહેવો, વિરાધકને આરાધક કહેવો... વગેરે. | (૪) ગર્તા : કાણાને કાણો કહેવો, મિથ્યાત્વીને પણ મિથ્યાત્વી કહેવો, હિંસકને હત્યારો – કસાઈ કહેવો, વિકારીને કામી-સ્ત્રીલંપટ કહેવો, ... ટુંકમાં જેનાથી પારકાને દુઃખ થાય, આઘાત લાગે એવા શબ્દો બોલવા એ ગહ ! - આ ચારમાં પણ યથાસંભવ ઉત્સર્ગ, અપવાદ, ઉન્માર્ગ વગેરેનો, અતિચારાદિનો વિચાર સ્વયં કરી લેવો. ' અહીં આ બીજા મહાવ્રતનું વર્ણન પૂર્ણ થાય છે.
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy