SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯-૯- ૦૯-૦૯ મહાવ્રતો ૯-૯-જ જ જે ૯-૦૯પાણીને અચિત્ત રાખી ન શકે. એટલે જ પાણીનો કાળ જેવો થઈ જાય કે તરત જ ભીના ઘડામાં પાણી સચિત્ત થઈ જવાની પાકી સંભાવના છે. એ ઘડા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી એને અડી પણ ન શકાય, તો એમાં જ બીજા દિવસે નવું પાણી લાવવાની તો વાત જ ક્યાં રહી ? આમ જો પાણીના કાળ પછી પણ ઘડા ભીના રહે, એ ઘડાને અડીએ, એ ઘડામાં નવું પાણી લાવીએ, એ ઘડાને ઉંચકીને વિહાર કરીએ...તો એ દરેકે દરેક બાબતમાં અપકાયની વિરાધનાનો દોષ લાગે જ... એ સ્પષ્ટ વાત છે. (ઝ) ઉપાશ્રયમાં આપણા નિમિત્તે કાચા કે પાકા પાણીના પોતા કરવામાં આવે. કાચાપાણીના પોતા ઉપર જાણતા-અજાણતા આપણો પગ પડે. () ઘરમાં પોતું કરેલું હોય, ભીનું હોય, એમાં ચાલીને અંદર ગોચરી વહોરવા જઈએ કે ગૃહસ્થો જ એ ભીનામાં ચાલીને ગોચરી બહાર લાવે. એમ ગોચરી વહોરવા જઈએ અને ગૃહસ્થો વચ્ચે પડેલી કાચાપાણીની ડોલ હટાવે, ભીના હાથ લુંછે, બગડેલા હાથ ધૂએ... આ બધી જગ્યાએ વહોરવામાં આવે તો અપકાયની વિરાધનાનું પાપ સાધુને લાગે. (ઠ) ડોલીવાળા કે વ્હીલચેરવાળા ભાઈ-બેનો ન્હાવું-ધોવું-પીવું વગેરેમાં જે વિરાધના કરે, એ બધામાં સંયમીને દોષ લાગે. કેમકે એના નિમિત્તે આ વિરાધના થઈ છે. એમ સાઈકલવાળા કે લારીવાળા માણસ માટે પણ સમજી લેવું. એમાં ઉપધિ મૂકનારા સંયમીઓને દોષ લાગે એ સ્પષ્ટ છે. (ડ) માત્રુ વરસાદવાળી ભીની જમીનમાં, ભીની કુંડીમાં પરઠવામાં આવે. એ પરઠવવા જતી. વખતે વચ્ચે નીચે ઢોળાયેલા કાચા પાણી પર પગ પડે. (ઢ) શર્દી વગેરે દૂર કરવા માટે ગરમપાણીનો નાસ - બાફ નવું પાણી ઉકળાવીને લેવામાં આવે. (૫) ચૂનાનું પાણી ૭૨ કલાક કરતા વધારે સમય રહે, એ પહેલા એનો ઉપયોગ ન થાય તો એ પાણી સચિત્ત બની જાય. (ફ) વાડાનો ઉપયોગ કરીએ અને એ બધું સંડાસમાં માણસો નાંખે... એમાં અપૂકાયના જીવોની વિરાધના થવાની જ . (બ) ચોમાસાદિમાં શ્રાવકો પાસે કંઈપણ વસ્તુઓ મંગાવીએ અને તેઓ ભીના રસ્તાદિ ઉપરથી ચાલતા આવે, સ્કુટરાદિ પર આવે અને એ વસ્તુ આપણને આપી જાય. (ભ) આધાકર્મી, મિશ્રાદિ દોષવાળી દાળ, શાક, ભાત, ચા વગેરે વાપરવામાં આવે. કેમકે એમાં કાચા પાણીની વિરાધના થાય છે.
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy