SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ *- तिविहं तिविहेणं मणेणं वायाए कारणं નથી, પણ અનુચિતકાળે દેશના શરુ કરવી અને વિપરીત પ્રરૂપણા કરવી એ અશુભ વચનયોગ તો છે જ. એ ચારિત્રને મલિન કરે છે. બહુ બોલ બોલ કરનારો સાધુ વગર રાગદ્વેષે આ અતિભાષિતાના કારણે ચારિત્રને મલિન કરે. આવી તો અનેકાનેક બાબતો છે. આમ રાગદ્વેષવાળો મનોયોગ તે સાવદ્ય! શક્તિનિગૂહનવાળો વચનયોગ તે સાવઘ! શક્તિનિગ્રહનવાળો કાયયોગ તે સાવદ્ય! આમ ત્રણેય યોગો સ્વતંત્રરીતે પણ સાવદ્ય બને જ છે, એટલે એ ત્રણેય પ્રકારે કરણ-કરાવણ-અનુમોદનનો ત્યાગ કરવા રૂપ નવકોટિ પચ્ચક્ખાણ એકદમ યોગ્ય જ છે. જો માત્ર મનોયોગના જ કરણાદિત્રિકના પચ્ચક્ખાણ દર્શાવત ! તો જીવો વચનયોગકાયયોગના શક્તિ-નિવ્યૂહનવાળા ઢગલાબંધ દોષો સેવત, પરિણામે ચારિત્રપરિણામ ગુમાવી બેસત, માટે નવકોટિ પચ્ચક્ખાણ નિઃશંકપણે સ્વીકારવું જ રહ્યું. શક્તિનિગ્રહનનો અર્થ ફરી ધ્યાનમાં લો કે જે કાળે, જે સ્થાને જે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ આચરવાની હોય, તે પ્રવૃત્તિ આચરવાની શક્તિ હોવા છતાં માત્ર પ્રમાદ-આળસ-કંટાળો-ઉદ્વેગ વગેરેને લીધે તે પ્રવૃત્તિ ન આચરવી એનું નામ શક્તિનિગ્રહન ! અને આવા નિગૢહનવાળો વચનયોગ/કાયયોગ એ સાવદ્ય ! શિષ્યોને ગુરુ પ્રત્યે સદ્ભાવ હોય, છતાં ગુરુના પ્રતિલેખન-કાપાદિ કાર્યોમાં આળસ કરે, એમાં વેઠ ઉતારે...આ શક્તિનિગૃહન! અભ્યાસની પ્રચંડ શક્તિ, છતાં વધુ ઉંઘ્યા કરવું, રુચિ ન હોવાના કારણે આડાઅવળા વાંચન કરવા,... આ રીતે સ્વાધ્યાય ઓછો કરવો... આ શક્તિનિગૂહન! વિહાર કરવાની શક્તિ હોય, કોઈ મુશ્કેલી પડતી ન હોય... છતાં માત્ર આળસ, કંટાળાદિને લીધે એક જ સ્થાને વધુ રહી પડવું... આ શક્તિનિગૃહન! શરીર સારું, વિધિનું જ્ઞાન ખરું, છતાંય બેઠા બેઠા પ્રતિક્રમણ, ગમે તેવા ખમાસમણા... આ શક્તિનિગૃહન! (અલબત્ત આ બધામાંય સૂક્ષ્મ રીતે ખોજ કરો, તો રાગ-દ્વેષ પણ છે જ, છતાં પ્રગટ રૂપે રાગ-દ્વેષ નહિ, માત્ર શક્તિનિગૃહન દેખા દે છે.) આથી જ જે કેટલાકો એવા અભિમાનમાં હોય છે કે “મને કોઈ રાગ-દ્વેષ નથી. ૯ ૧૧૧ ***** ****
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy