SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ક જલક કકક કકકક જલક મહાવતો કેક - ૯૯ - - - હત્યારાઓને તૈયાર કરતી આતંકવાદી સંસ્થા સ્વયં પણ હત્યારી જ ગણાય ને? એટલે જ કાયયોગને અને વચનયોગને પણ સાવદ્ય માનવા જ જોઈએ. (ઘ) આ બધા જ કરતા સૌથી વધુ મહત્ત્વનો પદાર્થ એ કે મનના રાગ-દ્વેષ વિના પણ વચનયોગ-કાયયોગ સાવદ્ય બની શકે છે, માટે જ એને સાવદ્ય કહ્યો છે. તે આ પ્રમાણે મહોપાધ્યાયજી કહે છે કે રાયોરિવ શકિતનિ[હનસ્થાપિ વારિત્રપ્રતિબન્યત્વીત્ જેમ રાગ અને દ્વેષ ચારિત્રના પ્રતિબંધક છે એમ શક્તિનિગૂહન પણ ચારિત્રપ્રતિબંધક છે. રાગ-દ્વેષ એ મનોયોગની સાવઘતા ! શક્તિનિગૂહન એ વચન-કાયયોગની સાવઘતા! શક્તિ હોવા છતાં આળસ, પ્રમાદ, ઉપેક્ષાના લીધે યોગ્યવચનો ન બોલવા, યોગ્ય પ્રવૃત્તિ ન કરવી એનું નામ શક્તિનિગૂહન! – વિહારમાં સતત નીચે જોઈને ચાલવું એ શુભ કાયયોગ! પણ એટલી બધી એકાગ્રતા કેળવી ન હોવાથી પ્રમાદ-આળસને લીધે સીધુ નીચે જોઈને ન ચાલે... એ આજુ બાજુ જોતો હોય, તો પણ એ વસ્તુઓના રાગથી દષ્ટિ ફેરવે છે એવું ન પણ હોય.. રે! કશે ન જૂએ, ગમે તે વિચારો કરે પણ નીચે જોઈને ન ચાલે... આ છે રાગ દ્વેષની પ્રેરણા વિના ઉત્પન્ન થયેલો અશુભ કાયયોગ! રે! એ સાધુ સ્વાધ્યાયના વિચારો કરતો હોય તો તો એને રાગ-દ્વેષ નથી. છતાં પણ નીચે જોઈને ન ચાલવારૂપ સાવદ્યયોગને કારણે ચારિત્રમાં અતિચાર લાગે જ. > દૂર ગોચરી જાય, તો વધુ ભાવતી આઈટમો મળતી હોય છતાં માત્ર આળસકંટાળાદિને કારણે રસોડાદિની ગમે તેવી ગોચરી પણ દોષિત લઈ લે અને વાપરી લે... આમાં ગોચરી પ્રત્યે રાગાદિ નથી, પણ દૂર ગોચરી જવા રૂપ શુભકાયયોગ ન સેવીને નજીકમાંથી જ દોષિત (ભલે ને સાદી) લેવા રૂપ અશુભ કાયયોગ ચારિત્રને મલિન કરે છે. પડિલેહણની બધી વિધિ આવડતી હોય, યોગ્ય સમયે કરવાની અનુકૂળતા પણ હોય.. પણ રોજે રોજ અંધારામાં પડિલેહણ કરી લેવાની પડી ગયેલી કુટેવ, એટલે જ જોયા વિના ધડાધડ પડિલેહણ કરવાના કુસંસ્કાર... આ બધાના કારણે અવિધિપ્રતિલેખન નામનો અશુભકાયયોગ આચરે આમાં કંઈ જીવોને મારી નાંખવાનો ભાવ-દ્વેષભાવ નથી. કે કોઈ રાગભાવથી પણ આ પ્રવૃત્તિ નથી. છતાં આ અશુભ કાયયોગ ચારિત્રને અતિચાર લગાડે. પરોપકારની ભાવનાના અતિરેકથી પ્રેરાઈને અગીતાર્થ સાધુ મોટી મોટી વાતોની દેશના આપવા લાગે, એમાં ઘણી વિપરીત પ્રરૂપણા કરી બેસે... અહીં ભક્તો ભેગા કરવાદિ કોઈ રાગભાવ નથી કે હાથે કરીને લોકોને ભરમાવવાદિ રૂપ કોઈ દ્વેષભાવ ક જલક - ૯૯ - - - - - ૧૧૦ % - ૯ - -
SR No.005789
Book TitleMahavrato
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2014
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy