________________
--------------- તિવિર્દ તિવિષેvi મોજાં વાયાવUgi --- ------- એમાં તેલ નંખાવ્યું છે...” એ વખતે મોઢા ઉપર હાસ્ય કરવું, હાથ-આંખ દ્વારા એને એવું દર્શાવવું કે “તેં ખૂબ સારું કર્યું.” આ બધું કાયા-અનુમોદન !
(૪) વહેંચનાર સાધુ ખાંડ વહેંચતો હોય અને એને કહીએ કે “લાવો મને આપી દો, દૂધ મોળું છે, એટલે મારે ખાંડ જોઈએ છે. હું આમાં નાંખી દઈશ.” તો આ વચનકરણ !
(૫) વહેંચનારને જ પાતરી દેખાડી કહીએ કે “આ પાતરીમાં નાંખી દો, મારે પતી જશે” આ વચનકરાવણ !
(૬) વહેંચનારો આપણી પાતરીમાં ખાંડ નાખતો હોય, ત્યારે “સારુ કર્યું. મારે ખાંડ ઓછી જ હતી” વગેરે બોલવું એ વચન-અનુમોદન!
(૭) ગરમ-મોળું દૂધ ગોચરીમાં મળે એટલે તરત મનમાં વિચાર આવે કે “આમાં ખાંડ અને ઘી નંખાવી દઉં, ગરમ છે એટલે સારું પડશે...” આ મન-કરણ.
(૮) ગોચરી જનારા સાધુ પાસે દૂધ તો મંગાવે, પણ એમાં ખાંડ નાંખવાનું કહેતા શરમ આવે કે ખાંડ નાંખવાનું કહેવાનું ભૂલી જવાય તો પાછળથી વિચાર આવે કે “એને ખાંડ નાંખવાનું કહી દઈશ...” આ મનકરાવણ!
(૯) આપણા કહ્યા વિના પણ સાધુ ખાંડ નંખાવીને લઈ આવે અને એ વાપરતી વખતે ખબર પડે એટલે તરત જ મનમાં વિચાર આવે કે “આ સાધુ હોંશિયાર છે, વગર કીધે પણ ખાંડ નંખાવી લાવ્યો. ગોચરી જનારાઓ આવા હોંશિયાર હોવા જોઈએ.” આ છે મન-અનુમોદન !
આ રીતે ભાતમાં દાળ-ઘી, રોટલીમાં શાક-ઘી, આયંબિલની મોળી દાળમાં બલવણ, મોળા શીરામાં ઉપરથી ખાંડ-ઘી, છાશ-દહીંમાં જીરુ-બલવણ-ખાંડાદિ... વગેરે અનેકાનેક પ્રકારની સંયોજના માટે ઉપરની નવ બાબતો સૂક્ષ્મ રીતે વિચારવી. આમાંની કોઈપણ બાબતને સાધુ આચરે એટલે ત્રિવિધ ત્રિવિધ સાવદ્યયોગની ત્યાગની પ્રતિજ્ઞાને ઘા લાગે... દિવસ દરમ્યાન આ રીતે સંયમપરિણામને કેટલા બધા ઘા લાગતા હશે ? એ જ આપણે વિચારવાનું રહ્યું. . (ગ) નિંદા
(૧) હાથના ઈશારા દ્વારા કોઈકને માટે એવું સૂચન કરીએ કે “એ ખાઉધરો છે, બુદ્ધિ વગરનો છે, ભયંકર ક્રોધી છે...” હાથની જુદી જુદી એકટીંગો દ્વારા આ બધું દર્શાવી શકાય છે. એવું જ કરાય તો એ કાયકરણ !
(૨) ગુરુ પાસે કોઈક સાધુના વિચિત્ર સ્વભાવ, વર્તણૂક વગેરેની વાત નીકળે, તે વખતે એ જ સાધુની બીજી પણ ઘણી ભૂલોનો આપણને ખ્યાલ હોય, એ આપણે જાતે -૯-૨૯-૯-૪-૯-૦૯-૨૯-૯-૯-૦૯---૧૦૩ -૨૯-૪-૯--૨૯-૯-૯-૯-૪-૦૯--૯