________________
આચારપ્રદીપ
ધારણ કરી શકાય છે. અર્થાત્ રોકી શકાય છે. પણ અન્ય જન્મમાં નિર્માણ કરેલો શુભાશુભ દિવ્ય પરિણામ ધારણ કરી શકાતો નથી. અર્થાત્ રોકી શકાતો નથી.
૯૦
जं जेण कयं कम्मं, पुव्वभवे इहभवे व संतेण ।
તં તેળ વેગવ્યું, નિમિત્તમિત્તો પો હોફ ॥ ૨ ॥
આ ભવમાં કે પૂર્વના ભવમાં વિદ્યમાન એવા જેણે જે કર્મ કર્યું હોય તે કર્મ તેણે વેદવા યોગ્ય જ છે. બીજો તો માત્ર નિમિત્ત બને છે.
રાજાએ તે વ્યતિકરને જાણીને અકાર ઉપર બિંદુ આપવાના પ્રમાદથી થયેલા કૂટલેખથી તીવ્ર અગ્નિની જેમ ફોગટ કેટલો બધો અનર્થ વધાર્યો. ધિક્કાર છે મને. અથવા તો ઉન્માદની જેમ પ્રમાદ જીવના કયા કયા અનર્થને નથી પોષતો ? અથવા તો કયા કયા મનોરથને નથી ચોરતો ? તેથી કહ્યું છે કે—
પ્રમાર્ઃ પરમદ્વેષી, પ્રમાર્ઃ પરમં વિષમ્।
प्रमादो मुक्तिपूर्दस्युः, प्रमादो नरकायनम् ॥ १ ॥
પ્રમાદ પરમ શત્રુ છે, પ્રમાદ પરમ વિષ છે, પ્રમાદ મુક્તિપુરીનો ચોટો છે, પ્રમાદ નરકમાં લઈ જનાર છે.
મૂઢ એવા મને ધિક્કાર થાઓ કે, રાજ્યને યોગ્ય એવા પુત્રનો આ રીતે વિનાશનો હેતુ થયો. પુત્રને વિષે સાક્ષાત્ અગ્નિ થયો. હવે પછી ખોડ-ખાંપણવાળો હોવાથી પ્રાણપ્રિય એવો પણ પુત્ર સમગ્ર સમૃદ્ધિના સારવાળા રાજ્યને કે યુવરાજપણાને કેવી રીતે વહન કરશે ? આ પ્રમાણે હૃદયની અંદર ખેદપૂર્વક વારંવાર પશ્ચાત્તાપ કરીને કુણાલકુમારને સમૃદ્ધ એવું ગામ આપ્યું અને તેના શોક્યભાઈને ઉજ્જયની નગરી આપી. ક્રમે કરીને તે ગામનો ભોગવટો કરતા કુણાલની શરદશ્રી નામની પત્નીએ કોઈક દિવસ વિદૂરભૂમિ જેવી રીતે વૈડુર્યરત્નને ઉત્પન્ન કરે તેવી રીતે સુલક્ષણવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. ત્યાર પછી વિમાતાના મનોરથને વ્યર્થ કરું અને પોતાની માતાના મનોરથને સાધુ એ પ્રમાણે વિચારીને રાજ્યની ઈચ્છાથી પાટલીપુત્ર નગરમાં જઈને અસાધારણ એવી ગાંધર્વી કલાથી લોકોને રંજિત કર્યા. તેની કલાને સાંભળીને અશોકશ્રી રાજાએ પડદાની અંદર તેને બેસાડીને ગાવા માટે આદેશ કર્યો. તે પણ મનોહરપદ્ય પ્રબંધથી ગાતો...
चंद्रगुत्तपपुत्तो उ, बिंदुसारस्स नत्तुओ ।
અમોમિનો પુત્તો, બંધો નાયજ્ઞ ર્ખિ ॥ ? । આ પ્રમાણે ગાયું.