SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ આચારપ્રદીપ કુણાલની કથા પાટલીપુત્ર નગરમાં નવમા નંદરાજાને પ્રતિજ્ઞાપૂર્વક ઉથલાવીને ચાણક્યે મયૂરપોષક ગામના મુખીના દૌહિત્ર ચંદ્રગુપ્તને રાજ્ય ઉપર બેસાડ્યો. તેનો પુત્ર બિંદુસાર રાજા થયો. અને તેનો પુત્ર અશોકશ્રી રાજા થયો. તેણે પોતાના કુણાલ નામના પુત્રને બાળક હોવા છતાં પણ અતુલ પ્રેમના કારણે કુમારની ભુક્તિ માટે ઉજ્જયની નગરી આપી. ત્યાર પછી ‘અહીં રહેતા આને વિમાતાઓથી પરાભવ ન થાવ' એ પ્રમાણે રાજાના આદેશથી તે ત્યાં રહેતો મંત્રી વગેરેથી પુષ્પની જેમ પાલન કરાતો જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે પુત્ર ભણાવવા યોગ્ય થયો છે એ પ્રમાણે વિચારીને ‘બધીયતાં નઃ માર’ આ પ્રમાણે લેખ લખીને જેટલામાં રાજા કોઈક કાર્યમાં વ્યગ્ર થયો, તેટલામાં વિમાતાએ ત્યાં આવીને તે લેખને વાંચીને કુણાલકુમાર ખોડખાંપણ વિનાનો હશે તો રાજા તેને જ રાજ્ય આપશે, પણ મારા પુત્રને રાજ્ય નહીં આપે. આ પ્રમાણે વિચારીને એકાએક કારના માથા ઉપર બિંદુ આપ્યું. તેથી ‘અન્થીયતાં 7: વુમાર:' એ પ્રમાણે થયું. અધીયતાં ન: મારઃ એનો અર્થ ‘અમારો કુમાર ભણાવાય' એવો થાય. ગંધીયતાં ન: માર: અનો અર્થ ‘અમારો કુમાર આંધળો કરાય' એવો થાય. અહો ! માત્ર એક બિંદુ અધિક કરવામાં એકાંતે હિતકારી એવું પણ કાર્ય એકાંતે અહિતકારી થાય છે. ક્ષણવાર પછી રાજા તે લેખને વાંચ્યા વિના જ બીડીને = બંધ કરીને ઉજ્જયની નગરીમાં મોકલ્યો. અને તે લેખને વાંચતો મંત્રી તેવા પ્રકારનું જોઈને અત્યંત ખેદથી વિષાદને પામ્યો. લેખના અર્થને કહેવા માટે અસમર્થ જેટલામાં આંસુ પાડવા લાગ્યો તેટલામાં કુમારે સ્વયં તે લેખને વાંચ્યો. તેમાં ‘અમારો કુમાર આંધળો કરાય’ એ પ્રમાણે જોઈને ઉત્પન્ન થયેલા અત્યંત ઉદ્વેગના આવેશથી વિચાર્યું કે, નક્કી મેં ક્યાંય પણ પિતાની આજ્ઞાનો ભંગ કર્યો છે. જો આજ્ઞાનો ભંગ ન કર્યો હોય તો એકાંતે હિતકારી એવા મારા પિતાજી મને આ પ્રમાણે આજ્ઞા કેમ કરે ? તેથી જે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે કુપુત્ર છે. આ પ્રમાણે વિચારીને રાજાના આદેશના નિર્ણયને જાણવા માટે કેટલોક કાળ રાહ જોવી એ પ્રમાણે મંત્રી વગેરેએ ઘણું કહ્યું છતાં પણ એકાએક જ દુર્ભાગ્યના વશથી તપેલા લોઢાના સળીયાથી પોતાની આંખને સ્વયં આંજી. અર્થાત્ ધગધગતા સળીયા પોતાની આંખમાં નાખ્યા. આ હા હા ! એકાએક કાર્ય કરવું એ મોટાઓને પણ મહાન અનર્થના મૂળવાળું થાય છે. અર્થાત્ મહાન અનર્થ કરનારું થાય છે. તેથી કહ્યું છે કે— सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥ १ ॥ સહસા કાર્ય ન ક૨વું. કારણ કે સહસા કાર્ય કરવું એ અવિવેક છે અને અવિવેક પરમ આપત્તિનું સ્થાન છે. વિચારીને કાર્ય કરનારને ગુણમાં લુબ્ધ થયેલી સંપત્તિઓ સ્વયં જ ધરે છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy