________________
૮O
આચારપ્રદીપ
મને ધિક્કાર થાઓ. જિન આદિની આશાતના કરનારા મને પારાંચિત પ્રાયશ્ચિત પ્રાપ્ત થયું. જો કે આ પ્રાયશ્ચિત્ત વર્તમાન કાળે તેવા પ્રકારના સંઘયણ આદિ બળનો અભાવ હોવાથી બુચ્છિન્ન = નાશ પામ્યું છે, તો પણ બાર વર્ષનું આ પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત ગુપ્ત કરેલા છે રજોહરણ અને મુહપત્તિરૂપ જૈન લિંગને જેણે એવો, પ્રગટ કરેલ છે અવધૂતના રૂપને જેણે એવો, કરેલું છે મૌન જેણે એવો, અત્યંત દુઃખે કરી તપી શકાય એવા તપને તપવામાં ઉદ્યમવાળો, સારી રીતે સંયમયોગમાં ઉપયોગવાળો, ગુપ્ત રીતે પાંડુપુત્રની જેમ બારવર્ષ સુધી વિચરતો હું તે પ્રાયશ્ચિત્તને આચરીશ. આ પ્રમાણે કહીને સંઘની અનુજ્ઞાથી = રજાથી ગચ્છવાસને છોડીને જનથી અજ્ઞાત થયેલા જ વિધિપૂર્વક ગ્રામ-નગર આદિમાં વિચરતા સાત વર્ષના અંતે ઉજ્જયની નગરીમાં મહાકાલના મંદિરમાં આવીને રહ્યા
લોકો પૂછે છે છતાં પણ કાંઈપણ બોલતા નથી, ત્યારે લોકોએ રાજાને જણાવ્યું કે, હે '', દેવ! આપના મહાદેવના ચૈત્યમાં કોઈપણ વૈદેશિક = વિદેશથી આવેલો રહેલો છે. બોલાવાયો છતાં પણ બોલતો નથી. અને પરમેશ્વરને પ્રણામ નથી કરતો. તેથી કુતૂહલથી આક્રાન્ત થયેલા શ્રી વિક્રમાદિત્ય રાજાએ ત્યાં આવીને તેને કહ્યું કે, તું કોણ છે? હું ધાર્મિક છું એ પ્રમાણે . તેમણે કહ્યું એટલે રાજાએ કહ્યું કે, તો પછી અર્થથી અને નામથી પણ મહાદેવને વંદન કેમ કરતો નથી? જિનશાસનની ઉન્નતિ કરવા અત્યંત ઉત્સુક એવા તેમણે પણ કંઈક વિચારીને કહ્યું કે, હે દેવ! જવરથી પીડાયેલો જેવી રીતે મોદકના સ્વાદને સહન ન કરી શકે તેમ આ દેવ અમારા વંદન અને સ્તવન આદિને સર્વથા સહન નહીં કરી શકે. રાજાએ કહ્યું કે, ભો! આવું અસંબદ્ધ કેમ બોલે છે ? તેમણે કહ્યું કે, કદાચ પ્રતિમા ઉપર ઉપદ્રવ થાય તો તમને અપ્રીતિની વૃદ્ધિ ન થાઓ એમ હું શંકાવાળો છું. રાજાએ કહ્યું કે, શંકા ન કર. અર્થાત મને અપ્રીતિ નહીં થાય. તું સ્તુતિના સારવાળો નમસ્કાર કર. તેથી તેમણે– ,
स्वयम्भुवं भूतसहस्रनेत्रमनेकमेकाक्षरभावलिङ्गम् ।
अव्यक्तमव्याहतविश्वलोकमनादिमध्यान्तमपुण्यपापम् ॥१॥ ભૂતસહસ્રનેત્ર, અનેક, એકાક્ષરભાવલિંગ, અવ્યક્ત, અવ્યાહતવિશ્વલોક, અનાદિમધ્યઅંત, અપુણ્યપાપવાળા સ્વયંભૂ ઈત્યાદિ શ્રી વર્ધમાન જિનેન્દ્રના સારવાળી સુંદર રચનાવાળી, મહાન અર્થવાળી, બત્રીસ બત્રીશીની રચના કરી. છતાં પણ અધિષ્ઠાયકદેવનું સાન્નિધ્ય ન થવાથી દુઃષમાકાળમાં પણ અપ્રતિમ મહિમાવાળા “કલ્યાણ મંદિર' ઈત્યાદિ ગુમાલીશ શ્લોકમય શ્રી પાર્શ્વ જિનેશ્વરની સ્તુતિ કરી. અને તેના અગિયારમાં શ્લોક કરવાના = રચનાના અવસરે અને ગ્રંથાતરમાં તો પહેલી બત્રીશીના પહેલા કાવ્યના ઉચ્ચારણના . અવસરે જ સાવધાન થયેલા શ્રી ધરણેન્દ્રના સાન્નિધ્યથી પહેલા તો શિવલિંગમાંથી ધૂમાડો