________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
અધિષ્ઠાયક દેવની આરાધના માટે ઉપવાસ કરીને તે દિવસે ગંધ, ધૂપ, માળા આદિથી અધિવાસિત કરીને પોતાના સ્થાને ગયા. તેઓની ભક્તિથી ખુશ થયેલા તે વૃક્ષના અધિષ્ઠાયક દેવે રાત્રીમાં પ્રત્યક્ષ થઈને અભયકુમારને કહ્યું કે, હું સર્વઋતુના પુષ્પો-ફળોવાળા વૃક્ષથી યુક્ત, નંદનવન જેવા વનખંડથી ભૂષિત, ચારે બાજુથી કિલ્લાથી વિંટળાયેલા, એક થાંભલાવાળા મહેલને બનાવી આપીશ પણ મારા ભવનના આધારરૂપ રહેલું આ વૃક્ષ છેદવા યોગ્ય નથી. અભયકુમારે તે પ્રમાણે તેનો સ્વીકાર કર્યો એટલે અચિંત્યશક્તિવાળા તે વ્યંતરે પણ તરત જ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે તે મહેલ બનાવ્યો. કારણ કે, વાણીથી બંધાયેલા દેવો નોકરોથી પણ અધિક હોય છે. ફક્ત મહેલની ઈચ્છાવાળા રાજાએ તેવા પ્રકારના વનખંડથી યુક્ત મહેલને જોઈને દૂધ પીવાના પ્રસંગે સાકરનો યોગ થાય તેના જેવું માન્યું.
૪૯
ત્યાર પછી રાજાવડે આદેશ કરાયેલી ચેલ્લણાએ પદ્મદ્રહના કમળમાં લક્ષ્મીદેવીની જેમ તે મહેલમાં સઘળોય કાળ લીલા કરી. હવે કોઈક વખત તે નગરમાં રહેનારી ચાંડાલણીને અકાળે કેરી ખાવાનો દોહલો થયો. વિદ્યાસિદ્ધ એવા પોતાના પતિને ચેલ્લણા રાણીના ઉપવનમાંથી કેરી લાવવા માટે તેણીએ દબાણ કર્યું. તે ચંડાલ પણ રાજાથી ઘણો બીતો હોવા છતાં પણ અવનામિની વિદ્યાથી આંબાની ડાળીને નમાવીને ઈચ્છાપૂર્વક કેરીઓ ગ્રહણ કરીને અને ઉન્નામિની વિદ્યાથી ડાળીને ફરી ઉપર કરીને ચોરની જેમ ભાગીને પોતાના ઘરે ગયો. તેથી કહ્યું છે કે—
न किं कुर्यान्न किं दद्यात्, स्त्रीभिरभ्यर्थितो नरः । अनश्वा यत्र हेषन्ते, शिरोऽपर्वणि मुण्डितम् ॥ १ ॥
ન
સ્ત્રીઓ વડે અભ્યર્થના કરાયેલો માણસ શું ન કરે ? અને શું ન આપે ? ઘોડો ન હોય છતાં હેષા૨વ કરે અને પર્વ ન હોય છતાં પણ માથું મુંડાવે.
સવારના પહોરમાં તે આંબાને ફળ વિનાનું જોઈને ચેલ્લણાએ રાજાને જણાવ્યું અને રાજાએ અભયકુમારને કહ્યું કે, જેની આવા પ્રકારની શક્તિ હોય તે અંતઃપુરમાં પણ = રાણીવાસમાં પણ ઉપદ્રવ કરે, આથી સાત દિવસની અંદર તું તેને પકડીને હાજર કર, જો સાત દિવસની અંદર હાજર નહીં કરે તો ચોરને કરવામાં આવતો દંડ તને કરવામાં આવશે. અભયકુમાર પણ તે પ્રમાણે સ્વીકાર કરીને ચારે બાજુ પણ ચોરની તપાસ કરતો ક્યાંય નાગરિક વગેરેનો ઘણો સમુદાય ભેગો થયો હતો ત્યાં વૃદ્ધકુમારીની કથા કહેવાની બુદ્ધિથી તે ચોરને પકડીને હાજર કર્યો. તે વૃદ્ધકુમારીની કથા આ પ્રમાણે છે—