SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ અમૂલ્ય રત્ન મળ્યું. માણસ એકાગ્ર મનવાળા થઈને જેના ઉપર બહુમાન કરે છે દેવ-ગુરુધર્મ-મંત્ર-રાજા અને શ્રેષ્ઠીની જેમ તે તેના ઉપર અવશ્ય ખુશ થાય છે = પ્રસન્ન થાય છે. જેવી રીતે ભવ્યજીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છતે દૃઢ શ્રદ્ધાવાળો થાય, તેની જેમ તુષ્ટ થયેલા કર્મવડે કર્મવાદીને રત્ન અપાયે છતે ઉદ્યમવાદી પણ કર્મના પક્ષમાં દૃઢમતિવાળો થયો. ૨૬ હવે તેવા પ્રકારના મોદકનો યોગ રીતે થયો તેને અમે કહીએ છીએ. કારણ કે જે વાત સારી રીતે ન જાણી હોય તો તે સઘળીય વાત શલ્યની જેમ અંદર ખટક્યા કરે છે. સમૃદ્ધિવાળો રાજાનો એક સેવક તે ઘરમાં રહેતો હતો. તેની પત્નીએ જમાઈને આપવા માટે છુપી રીતે બનાવેલા ચાર મોદકમાંથી એક મોદકમાં શ્રેષ્ઠ રત્ન નાખીને ઉપરા ઉપરી ગોઠવીને મૂકેલા વાસણોની મધ્યમાં રાખેલા એક વાસણમાં જીવિતની જેમ તે રત્નને છુપાવીને રાખ્યું હતું. રાજાના ભયથી તે સેવક બધું જ છોડીને કુટુંબ સહિત તે ઘરમાંથી નીકળી ગયો હતો. . આથી ભાગ્યયોગે તેવા પ્રકારનો મોદકનો યોગ થયો હતો. તે બધુંય જાણીને આશ્ચર્ય પામેલા રાજાએ પણ તે બંનેને છોડી દીધા. હવે કર્મમાં જેમણે પક્ષપાત કર્યો છે એવા અને વિવાદ નહીં કરતા તે બંને સુખી થયા. તેથી હે બહેન ! તું પણ કહે કે, ત્રણ જગતનો સંપૂર્ણ લોક જેને વશ છે એવું કર્મ જ સમગ્ર કાર્યને સાધનારું છે ને ? પ્રત્યુત્તર આપવામાં અસમર્થ, ઉદ્યમવાદીની એવી મોટી બહેને કહ્યું કે, જો બધું કર્મથી જ થાય છે તો તું કહે કે કોની મહેરબાનીથી તું સુખી છે ? અને કોની મહેરબાનીથી તું માન મેળવે છે ? અથવા તો આ બધો લોક કોની મહેરબાનીથી સુખી છે ? તેણીએ સિદ્ધ થયેલું જ કહ્યું કે મુખે મીઠું એવું કૂટકપટ કહેવાથી શું ? બંધા જ જીવો પોતપોતાના કર્મને આધારે સુખ કે દુઃખને પામે છે. જીવોનો પુણ્યનો ઉદય હોય તો રાજા ખુશ થાય છે અને બધું ય આપે છે, અને પાપનો ઉદય હોય તો રાજા યમની જેÇ ગુસ્સે થાય છે અને બધું ય હરી લે છે. કહ્યું છે કે— सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविसेसं । ગવાહેતુ મુળેતુ ઞ, નિમિત્તમિત્તે પો સ્રોફ ॥ રૂ ॥ સર્વ જન પોતાના પૂર્વે કરેલા કર્મના આધારે ફલવિશેષને પામે છે. અપરાધોમાં કે ગુણોમાં બીજો તો માત્ર નિમિત્ત હોય છે. તે વચન સાંભળીને મનમાં ગુસ્સે થયેલો રાજા કહે છે કે, હે દુષ્ટ ! હે વિદગ્ધ ! તું તારા કર્મના ફળને અને તું જે બોલી છે એના ફળને તત્કાળ જો. આ પ્રમાણે કહીને રાજા પણ પોતાના માણસોને કહે છે કે, નગરમાં શોધ કરીને દુઃખી અને કોઢિયા એવા એક ભિખારીને બોલાવી
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy