SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ આચારપ્રદીપ હોવાની કોઈ સંભાવના જ નથી માટે તત્ત્વોની શ્રદ્ધા કરવી, જિનવચન ઉપર શંકા ન કરવી ઇત્યાદિ દર્શન વિનય છે. ચારિત્રની શ્રદ્ધા કરવી, ચારિત્રની સારી રીતે આરાધના કરવી અને બીજાઓને ચારિત્રની પ્રરૂપણા કરવી ઇત્યાદિ ચારિત્ર વિનય છે. આચાર્ય આદિ પ્રત્યક્ષ હોય તો ઊભા થવું, સામા જવું, અંજલિ કરવી ઈત્યાદિ અને આચાર્યાદિ પ્રત્યક્ષ ન હોય તો પણ કાયાથી અંજલિ જોડવી, વચનથી તેમની ક્રિયા, ગુણનું કીર્તન કરવું, મનથી તેમનું સ્મરણ કરવું ઇત્યાદિ ઉપચાર વિનય છે. આ પ્રમાણે યોગશાસ્ત્રની વૃત્તિમાં વિનય ચાર પ્રકારનો કહ્યો છે. શ્રી દશવૈકાલિકની વૃત્તિ વગેરેમાં તો મનવિનય, વચનવિનય, કાયવિનય એમ ત્રણ ભેદ ઉમેરવાથી વિનય સાત પ્રકારનો કહ્યો છે. કહ્યું છે કે, मणवयकाइअविणओ, आयरियाईण सव्वकालंपि । अकुसलमणाइरोहो, कुसलाणमुद्दीरणं तहय ॥१॥ - આચાર્ય આદિ વિશે સર્વકાલે પણ અકુશલ મન આદિનો નિરોધ કરવો અને કુશલ મન આદિની ઉદીરણા કરવી તે મન, વચન, કાય વિનય છે. શ્રી દશવૈકાલિકની નિયુક્તિમાં તો વિનય પાંચ પ્રકારનો આ પ્રમાણે કહ્યો છે लोओवयारविणओ १, अत्थनिमित्तं च २ कामहेउंच ३। भयविणय ४ मुक्खविणओ ५, विणओ खलु पंचहा होइ ॥१॥[ दशवैनि०३१०] લોકોપચારવિનય, અર્થનિમિત્તવિનય, કામનિમિત્તવિનય, ભયવિનય અને મોક્ષવિનય એમ વિનય પાંચ પ્રકારનો છે. તેમાં પહેલા ચાર વિનયનું સ્વરૂપ દશવૈકાલિકની નિયુક્તિમાંથી જ જાણી લેવું. મોક્ષ વિનયના ભેદોને કહે છે– दंसण १ नाण २ चरित्ते ३, तवे अ ४ तह ओवयारिए चेव ५ । પક્ષો મુવ+વિમો, પંવિદો ઢોર નાયબ્ધો ૨ I [સર્વનિ રૂ૪]. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય તથા ઔપચારિકવિનય આ પાંચ પ્રકારનો મોક્ષ વિનય જાણવો. अह ओवयारिओ पुण, दुविहो विणओ समासओ होइ । पडिरूवजोगजुंजण, तह य अणासायणाविणओ ॥ ३ ॥ [दशवै नि.३१९] હવે ઔપચારિક વિનય સંક્ષેપથી બે પ્રકારનો છે. ૧. પ્રતિરૂપયોગયોજન વિનય તથા અનાશાતના વિનય.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy