SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આચારપ્રદીપ છેદ- જે (સાધુ) તપથી ગર્વિત થયેલો હોય, અથવા ગ્લાન, બાલ, વૃદ્ધ વગેરે તપ કરવામાં સમર્થ ન હોય, જે તપની શ્રદ્ધાથી રહિત હોય, જે વારંવાર અપાતા તપથી પણ દમાતો ન હોય, જે નિષ્કારણ અપવાદમાં આસક્ત હોય, જેણે છ મહિના આદિ ઉત્કૃષ્ટ તપથી પણ અધિક પ્રાયશ્ચિત્તને યોગ્ય અતિચારના સમૂહને કર્યું હોય=સેવ્યું હોય તેને તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોવા છતાં પણ મહાવ્રતના આરોપણના કાળથી માંડીને પાંચ અહોરાત્ર, દશ અહોરાત્ર ઇત્યાદિ ક્રમથી શ્રામસ્યપર્યાયનો છેદ કરવો તે છેદ નામનું પ્રાયશ્ચિત્ત છે. જેમ રઠુક વગેરે દુષ્ટ વ્યાધિથી દૂષિત થયેલા અંગને બાકીના અંગનું રક્ષણ કરવા માટે છેરવામાં આવે છે એ પ્રમાણે બાકીના ચારિત્રપર્યાયનું રક્ષણ કરવા માટે અતિચારના અનુમાનથી દૂષિત પર્યાય છેદવામાં આવે છે. મૂલ– ૧. સંકલ્પપૂર્વક નિષ્કારણ પંચેન્દ્રિયનો વધ કરવામાં, ૨. આ સતી સ્ત્રીના સતીવાદનો નાશ કરું ઇત્યાદિ દર્પથી સ્ત્રીનું સેવન કરવામાં, ૩. ઉત્કૃષ્ટ મૃષાવાદમાં, ૪. ઉત્કૃષ્ટ અદત્તાદાનમાં અને ૫. ઉત્કૃષ્ટ પરિગ્રહનો સંકલ્પ કરીને વારંવાર સેવવામાં, વળી આ પાંચેયને પણ કરાવવા અને અનુમોદનામાં, મંત્ર, ઔષધિ આદિથી સ્ત્રીને ગર્ભાધાન કરાવવું, ગર્ભનો પાત કરવો ઇત્યાદિ મૂળકર્મમાં તથા જેણે ચારિત્રનો ત્યાગ કરી દીધો હોય વગેરેમાં ફરી વ્રતનું આરોપણ કરવા રૂપ મૂળ પ્રાયશ્ચિત્ત છે. ' અનવસ્થાપ્ય અતિ સંક્લિષ્ટ અધ્યવસાયથી મરણ નિરપેક્ષ નિર્દય રીતે પ્રહાર કરનાર, ઉત્કૃષ્ટ અથવા વારંવાર ચોરી કરનાર, નિષ્કારણ સાવદ્યસ્થાનમાં નિમિત્ત કહેનાર આવા કાર્યને કરનાર આચાર્ય કે ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે અનવસ્થાપ્ય તપને વહન કરનારો ગણમાંથી બહાર કરાયો હોવા છતાં પણ ગણની સાથે વિચરે. પણ સાધુઓની સાથે આલાપ, માંડલી, સંઘાટક સાથે મળી ભક્ત, પાન આદિ ગ્રહણ કરવું ઇત્યાદિ કંઈ પણ ન કરે. એક જ વસતીમાં સાધુઓથી અનાક્રાંત(=સાધુઓની અવર-જવર ન હોય તેવા) સ્થાનમાં રહે. શૈક્ષક (નૂતન દીક્ષિત) આદિને પણ વંદન કરે. ઉનાળામાં જઘન્યથી એક ઉપવાસ કરે, મધ્યમથી બે ઉપવાસ કરે, ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ કરે. શિયાળામાં જઘન્યથી બે ઉપવાસ કરે, મધ્યમથી ત્રણ ઉપવાસ કરે, ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ કરે. ચોમાસામાં જઘન્યથી ત્રણ ઉપવાસ કરે, મધ્યમથી ચાર ઉપવાસ કરે, ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે. અને પારણામાં નિર્લેપ ભોજન કરે. આ પ્રમાણે જઘન્યથી છ મહિના સુધી અને ઉત્કૃષ્ટથી બાર વરસ સુધી કરે. ત્યાર પછી મહાવ્રતોમાં સ્થાપન કરવામાં આવે. આ તપ આચાર્ય અને ઉપાધ્યાયને જ આવે. બીજાઓને તો (આચાર્ય અને ઉપાધ્યાય સિવાયના સાધુઓને તો) આવા દોષને પામે તો પણ મૂલ પ્રાયશ્ચિત્ત જ આવે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy