SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો પ્રકાશ – તપાચાર આ ઉપર બતાવી તે દ્રવ્યથી સંલીનતા છે. ભાવથી સંલીનતા ચાર પ્રકારની છે તે આ પ્રમાણે— મન, વચન, કાયારૂપ યોગ સંલીનતા, કષાય સંલીનતા, ઇન્દ્રિય સંલીનતા અને સંવૃત્તતા=વિવિક્તચર્યા રૂપ સંલીનતા. જેથી ઋષિઓએ કહ્યું છે કે— इंदिय १ कसाय २ जोगे ३, पडुच्च संलीणया मुणेअव्वा । तह य विवित्ता चरिआ ४, पण्णत्ता वीअरागेहिं ॥ १ ॥ ૨૫૫ ઇન્દ્રિય,કષાય અને યોગને આશ્રયી સંલીનતા જાણવી તથા વિવિક્તચર્યાને આશ્રયી સંલીનતા વીતરાગ ભગવંતોએ કહેલી છે. ઇન્દ્રિયસંલીનતા શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોથી સુંદર અને અસુંદર શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા એ ઇન્દ્રિયસંલીનતા છે. કહ્યું છે કે सद्देसु अ भद्दयपावएसु, सोअविसयमुवगएसुं । તુકેળ વ સ્ટ્રેળ ય, સમળેળ સયા ન હોઞવ્યું ॥ ? ।। [ જ્ઞાતાધર્મ ક્યુ-૨.૩૬.૨૭ ] શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા ભદ્રક=સારા અને પાપી=ખરાબ શબ્દોમાં સાધુએ સદા=ક્યારેય પણ તુષ્ટ કે રુષ્ટ ન થવું જોઇએ. આ પ્રમાણે બાકીની ઇન્દ્રિયોમાં પણ કહેવું=જાણવું. જેમ કે ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આવેલા ભદ્રક=સારા અને પાપી=ખરાબ રૂપોમાં સાધુએ સદા તુષ્ટ કે રુષ્ટ ન થવું. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલા... રસનેન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલા... કષાયસંલીનતા– ઉદયમાં નહીં આવેલા કષાયોનો ઉદય નિરોધ કરવો અને ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા તે કષાય સંલીનતા છે. જેથી કહ્યું છે કે, उदयस्सेव निरोहो, उदयप्पत्ताण वाऽफलीकरणं । जं इत्थ कसायाणं, कसायसंलीणया एसा ॥ १ ॥ [ स्थानाङ्ग सूत्र वृत्तौ - २७८ ] ઉદયમાં નહીં આવેલા કષાયોનો નિરોધ અને ઉદયને પ્રાપ્ત થયેલા કષાયોને નિષ્ફળ કરવા. આ કષાય સંલીનતા છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy