SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર ૨૪૧ જલદીથી જ સિદ્ધ થાય છે. આ પ્રમાણે કાર્યની સુસાધતા થાય છે. ધર્મસારના ઇર્યા વગેરેમાં યતનાવાળા ધર્મને જોવાથી પોતાના ખેતી, કૂવા વગેરે આરંભ-સમારંભની નિંદા કરી. ધર્મસારની નિરંતર પ્રશંસા કરી અને તેની પ્રવચનમાતાની આરાધનાની વિશેષથી પ્રશંસા કરી. આ પ્રમાણે હંમેશા પોતાની નિંદા કરતો અને તેની પ્રશંસા કરતો ઘણા આરંભમાં મગ્ન હોવા છતાં પણ તેણે ઘણા પુણ્યને ઉપાર્જન કર્યું. સારા અધિકારી વડે મનથી જ કહેવાયેલાનું સર્જનોને પણ મહત્ત્વ હોય છે. એ પ્રમાણે=ધર્મસાર ધનથી હીન થયો છે એવું જાણવાથી આ ચિંતાથી અત્યંત દુઃખી થયો. સોમે તે પ્રમાણે તેને જાણીને શ્રેષ્ઠી જે પ્રમાણે વણિકપુત્રને વેપાર કરવા માટે ધન આપે તે પ્રમાણે સ્વયં તેણે પોતાનું ધન વેપાર કરવા માટે તેને આપ્યું. સામર્થ્ય હોતે છતે દુર્મતિ એવો જે બીજાના કાર્યને સાધતો નથી. તેનું ધન વગેરે અરણ્યના પુષ્પ, કૂવા વગેરે જેવું છે. સોમ વડે કરાયેલા આધાર, દેખભાળના પ્રયોગથી તે વિપત્તિરૂપ સમુદ્રને તરીને પૂર્વની જેમ સુખી થયો. અહો ! સાનિધ્ય કરનારનો ગુણ ! જેણે પોતાનું કાર્ય કર્યું હોય તેના ઉપર કૃતજ્ઞતા કરવી જોઇએ. આથી ત્યારથી માંડીને તે તેને વિશેષથી બહુમાને છે. કારણ કે મોટા માણસોની આ સ્થિતિ હોય છે. ક્રમે કરીને તે કૌટુંબિક (પાડોશી) પોતાનું આયુષ્ય ભોગવીને મર્યો. ત્યાર પછી પૂર્વે કહેલા પુણ્યથી પવિત્ર આત્મા એવો તે પુણ્યસાર રૂપે તું થયો છે. ધર્મસાર શ્રાવકધર્મની આરાધનાથી અંતિમ સાધનાથી મરીને આઠમા દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થયો. તરત અવધિજ્ઞાનના ઉપયોગથી પોતાના પૂર્વ ભવને જાણીને પરોપકાર કરનારા ઉપર પ્રતિ ઉપકાર કરવાની ઇચ્છાવાળો જ્યારે પિતાના અપમાનથી ઉત્પન્ન થયેલા અભિમાનથી તું નગરમાંથી ગુપ્ત રીતે બહાર નીકળ્યો ત્યારથી સાવધાન સ્થિતિવાળો તે તે દિવ્ય ઉક્તિઓથી અને તે તે દુઃખે કરી સાધી શકાય એવા સાધ્યને સાધવાથી તે દેવે એકાંતે સંકેતિતની જેમ ( જાણે પૂર્વે સંકેત ન કર્યો હોય તેમ) તારું સાન્નિધ્ય કર્યું. ઉત્તમ પુરુષ ઉપર કરાયેલો અલ્પ પણ ઉપકાર વટવૃક્ષના બીજની જેમ આગળ આગળ વિસ્તારને પામતો અપાર વિસ્તારને પામે છે. આઠ પ્રવચનમાતાની આરાધનાની પ્રશંસા કરવાથી આઠ આઠ સ્થાને મહિમા, આઠ કન્યા, આઠ રાજ્ય આદિની તને પ્રાપ્તિ થઈ. અને સર્વ માણસો કરતા પણ શ્રેષ્ઠ ઋદ્ધિની પ્રાપ્તિ થઈ. માત્ર પુણ્યની અનુમોદના પણ અમાત્ર=માપી ન શકાય એટલું ફળ આપનારી થાય છે. જે પુણ્યની માત્ર અનુમોદના કરવાથી પણ આવા પ્રકારનું ફળ પ્રાપ્ત કર્યું, બંને પ્રકારની (=આ લોકની અને પરલોકની) સર્વ ઈષ્ટની સિદ્ધિને આપનારા તે પુણ્યને (મન, વચન, કાયા એમ) ત્રણ પ્રકારે કર. થતિના આવા પ્રકારના વાક્યને સાંભળીને પ્રતિબોધ પામેલો શુદ્ધ બુદ્ધિવાળો તે સમ્યકત્વ પૂર્વક ઇર્યા આદિમાં શક્તિપૂર્વક સારી રીતે ઉદ્યમવાળો થયો.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy