SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આચારપ્રદીપ અને પાપક્રિયાને પોષનારા મારી શી ગતિ થશે ? જ્ઞાનીએ પણ કહ્યું કે, જો તું પૂર્વના પાપની સારી રીતે આલોચના કરીને સારી રીતે સાધી શકાય એવા પણ ધર્મની આરાધના કરે તો તારી પણ સદ્ગતિ થાય. તપ, ક્રિયા, અભિગ્રહ વગેરે દુ:ખે કરી સાધી શકાય એવા છે. તેથી ભો ! સ્વશક્તિથી સુખે સાધી શકાય એવી અષ્ટ પ્રવચનમાતાની આરાધના કર અને જાણે કોતરેલું ન હોય તેમ સ્વચિત્તમાં સમ્યક્ત્વને સ્થિર કર. આટલું કરવાથી પણ તારી ભવાંતરમાં સદ્ગતિ થશે અને ત્યાર પછી નિવૃત્તિ=મુક્તિ થશે. તેણે પણ તે સમ્યક્ત્વને તે પ્રમાણે સ્વીકાર્યું અને પોતાના સ્થાને ગયો. ધર્મમાં એકાગ્રતાથી તે પિતા વગેરેને અતિશય આનંદ આપનારો થયો. ધર્મીઓને પોતાનો જ્ઞાતિજન=સ્વજન પણ ધર્મી હોય તો જ પ્રીતિપાત્ર થાય છે. તે ધર્મસાર પૂર્વે પુત્રરૂપે ઇષ્ટ હતો. ત્યાર પછી પુણ્યથી=ધર્મથી પણ ઇષ્ટ થયો. ત્યારથી માંડીને સમ્યક્ત્વ ગુણથી શોભતો તે ઇર્યાસમિતિમાં, ભાષાસમિતિમાં અને ત્રણ પ્રકારની એષણાસમિતિમાં તથા ગ્રહણ કરવા યોગ્ય સમગ્ર વસ્તુઓને લેવા, મૂકવામાં પણ અને મલ-મૂત્ર-જળ વગેરે પરઠવવામાં સારી રીતે અતિશય પ્રયત્ન કરે છે. અને એ પ્રમાણે મન-વચન-કાયગુપ્તિઓમાં પણ પ્રયત્ન કરતો ગૃહસ્થ હોવા છતાં પણ સાધુઓને દૃષ્ટાંત આપવા રૂપ થયો. ‘ધર્મસાર’ એવું મારું નામ ફોગટ ન થાવ અને ક્યાંય મારી મશ્કરી ન થાવ આ પ્રમાણે વિચારીને તે ધર્મસારે પોતાના નામના અર્થને દીપાવ્યું. ધર્મની આરાધના કરીને પિતા ક્રમે કરી સ્વર્ગના ભોગને ભોગવનારા થયે છતે અર્થાત્ દેવલોક પામે છતે દુર્ભાગ્યના યોગથી ધર્મસાર અલ્પસારવાળો=અલ્પધનવાળો થયો. ભવસ્થિતિને ધિક્કાર થાઓ. કારણ કે, कृतप्रयत्नानपि नैति कांश्चन, स्वयंशयानानपि सेवते परान् । येsपि नास्ति द्वितयेऽपि विद्यते, श्रियः प्रचारो न विचारगोचरः ॥ २६६ ॥ જેઓએ લક્ષ્મી મેળવવાનો પ્રયત્ન કરેલો છે એવા કોઇકની પાસે લક્ષ્મી આવતી નથી અને જેઓ સ્વયં સુતેલા છે એવા બીજાઓની લક્ષ્મી સેવા કરે છે. પ્રયત્ન કરનારાઓ અને સુતેલાઓ એમ બંને પાસે લક્ષ્મી નથી. એવી રીતે પ્રયત્ન કરનારાઓ અને સુતેલાઓ એમ બંને પાસે પણ લક્ષ્મી છે. આમ લક્ષ્મીનો પ્રચાર વિચારનો વિષય બનતો નથી. તે ધર્મસારને ધનવાન, પ્રીતિ કરનારો, પ્રકૃતિથી અતિભદ્રક, કુટુંબનું ભરણપોષણ કરનાર, સોમ નામનો પાડોશી છે. અત્યંત પ્રીતિપાત્ર પાડોશી હોતે છતે નાનાનું પણ અને મોટાનું પણ પરસ્પર સાન્નિધ્ય થવાથી ઘણું કરીને બંનેને પણ ગુણ થાય છે. નાનાઓના નાના કાર્યો પ્રયત્ન વિના જલદીથી સિદ્ધ થાય છે. મોટાઓના મોટા કાર્યો પ્રયત્ન વિના
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy