SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ આચારપ્રદીપ न सत्यमपि भाषेत, परपीडाकरं वचः । लोकेऽपि श्रूयते यस्मात्, कौशिको नरकं गतः ॥ १ ॥ [ योगशा० प्र० २. श्लो०६१] સત્ય પણ વચન જો પ૨ને પીડા કરનારું હોય તો ન બોલે, કારણ કે લોકમાં પણ સંભળાય છે કે (સત્ય પણ પરપીડાકર વચન બોલવાથી) કૌશિક (તાપસ) નરકમાં ગયો. (કૌશિકની વાત સંપ્રદાયથી આ પ્રમાણે સમજવી– સત્ય એ જ છે ધન જેનું એવો કૌશિક નામનો કોઈક તાપસ ગામના સંબંધનો ત્યાગ કરી ગંગા નદી પાસે રહેવા લાગ્યો. કંદમૂળાદિનો આહાર કરનારા, મમત્વ, પરિગ્રહ રહિત એવા તેણે સત્યવાદી તરીકે ઘણી નામના મેળવી. એક વખત ગામ લૂંટીને તે તાપસ દેખે તેવી રીતે તે ચોરો દ૨માં જેમ સાપ ભરાઈ જાય તેમ આશ્રમ નજીકની વનની ઝાડીમાં ભરાઈ ગયા. ચોરોના પગલાને અનુસારે ગામ લોકોએ તાપસને પૂછ્યું કે, તમે સત્યવાદી છો તેથી કહો કે, ચોરો ક્યાં ગયા ? ધર્મતત્ત્વના મર્મને ન જાણનાર કૌશિક તાપસે કહ્યું કે, આ ગાઢ ઝાડીની અંદર ચોરોએ પ્રવેશ કર્યો છે. તેના કહેવાથી હાથમાં હથિયારોથી સજ્જ બની ગામલોકોએ વનમાં પ્રવેશ કરી શિકારીઓ જેમ મૃગલાઓને મારી નાખે તેમ ચોરોને મારી નાખ્યા. બીજાને પીડા કરનારું એવું સત્ય વચન બોલનાર પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કૌશિક તાપસ નરકમાં ગયો.) (‘યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ’માંથી સાભાર ઉદ્ધૃત) જ્યાં સત્ય કહેવામાં પરપીડા થતી હોય તો ત્યાં મૌન રહેવું જોઇએ. અથવા તો બીજી રીતે ઉત્તર આપવો જોઇએ. અર્થાત્ પરપીડા ન થાય તે રીતે ઉત્તર આપવો જોઇએ. અને જે મુખે કડવું હોય અર્થાત્ બોલતી વખતે કડવું લાગે તેવું હોય પણ પરિણામે હિત કરનારું હોય, કષાયનો ત્યાગ કરાવવા માટે જે ઉપદેશ આદિ આપવારૂપ વચન હોય તે કહેવું યોગ્ય જ છે. જેથી પરમઋષિનું વચન છે કે, रुसउ वा परो मा वा, विसं वा परिअत्तउ । भासिअव्वा हिआ भासा, सपक्खगुणकारिआ ॥ १ ॥ [ महानिशीथ अ०२ उद्दे० ३ ] બીજો ગુસ્સે થાય કે ન થાય અથવા તો વિષનું ભક્ષણ કરે તો પણ સ્વપક્ષને ગુણ કરનારી, હિતકારી ભાષા બોલવી જોઇએ. તથા— यद्यपि न भवति धर्मः सर्वस्यैकान्ततो हितश्रवणात् । वदतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ॥ २ ॥ જો કે હિતકારી વચન સાંભળવાથી સર્વને એકાંતે ધર્મ થાય જ એવું નથી. પરંતુ
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy