________________
૨૦૭
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
અશ્વ વિશે વપરાય છે. તેથી શું લાવવું એનો સંશય રહે. (૧૧) વ્યાકૃતા- સ્પષ્ટ અર્થવાળી, જેમ કે- આ દેવદત્તનો ભાઈ છે. (૧૨) અવ્યાકતા– અસ્પષ્ટ અર્થવાળી, જેમ કે- આ થાપણ બાલ, લલ્લા વગેરેની છે.
(અહીં લલ્લાથી શું કહેવા માંગે છે તે અર્થ સ્પષ્ટ થતો નથી.) - આ ચારેય ભાષામાંથી વિકલેજિયને અસત્યામૃષા જ હોય છે. કારણ કે તેમને સાચું જ્ઞાન હોતું નથી અને બીજાને ઠગવા વગેરેનો આશય હોતો નથી. શિક્ષણ અપાયેલા તિર્યંચ પંચેન્દ્રિયોને છોડીને બાકીના તિર્યંચ પંચેન્દ્રિયો પણ યથાવસ્થિત વસ્તુને પ્રતિપાદન કરવાની બુદ્ધિથી કે બીજાને ઠગવું વગેરેની બુદ્ધિથી બોલતા નથી પરંતુ ગુસ્સે થયેલા હોવા છતાં અને બીજાને મારવાની ઇચ્છાવાળા હોવા છતાં પણ એમને એમ જ બોલે છે. તેથી તેમને પણ અસત્યામૃષા ભાષા જ હોય છે. શિક્ષણથી તો પોપટ, મેના વગેરે સંસ્કાર વિશેષથી તથા ક્યાંક તેવા પ્રકારના ક્ષયોપશમવિશેષથી જાતિસ્મરણરૂપ અને વિશિષ્ટ વ્યવહાર કુશળતા રૂપ ઉત્તમ ગુણલબ્ધિને આશ્રયીને સત્યભાષા વગેરે ચારે પ્રકારની ભાષા બોલે છે.
આ ચારેય ભાષામાંથી સાધુએ સત્યભાષા અને અસત્યામૃષાભાષા એ બે જ ભાષા બોલવી જોઈએ. પરંતુ અસત્ય અને સત્યમૃષાભાષા ન બોલવી જોઇએ. જેથી ઋષિઓએ કહ્યું છે કે, चउण्हं खलु भासाणं, परिसंखाय पण्णवं । સુદં તુ વયં સિવણે, તો જ માસિ% સબૂરો શા [વશર્વ.૭.૨] असच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं, गिरं भासिज्ज पन्नवं ॥२॥ [दशवै अ०७.गा.३]
ચાર પ્રકારની ભાષાઓનું સ્વરૂપ જાણીને પ્રજ્ઞાવાન (બુદ્ધિમાન) સાધુ તેમાંથી બે દ્વારા શુદ્ધ ભાષાપ્રયોગને શીખે=જાણે, અર્થાત્ આ બે ભાષાનું મારે પ્રયોજન છે' એમ સમજે અને શેષ બે ભાષા સર્વથા ન બોલે. (૧) બુદ્ધિમાન સાધુ અનવદ્ય (નિષ્પા૫) અને અકર્કશ (મત્સર રહિત) એવી અસત્યામૃષા (વ્યવહાર) ભાષા અને સત્ય ભાષાને બુદ્ધિપૂર્વક વિચારીને ઉપકારક થાય તેમ) અસંદિગ્ધ (સંદેહ ન થાય તેમ) બોલે.
સત્ય હોય પણ જો પરપીડાનું કારણ બનતુ હોય તો તેવું વચન ન બોલવું જોઇએ. છે કારણ કે,