SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ ઇન્દ્રિયના વિષયોનો અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનો ત્યાગ કરીને તસ્મૃતિ એટલે જેનો ઇર્યામાં જ શરીરનો ઉપયોગ છે તે. અને તત્પુરા એટલે ઇર્યામાં જ પ્રધાનપણે ઉપયોગ હોવાથી ઇર્યાને જ આગળ કરે. અર્થાત્ ઇર્યાને જ પ્રાધાન્ય આપી ગતિ કરે. આ કહેવા દ્વારા ઇર્યામાં કાયા અને મનની તત્પરતા કહી. વચનની તો ઇર્યામાં પ્રવૃત્તિ જ નથી. આ પ્રમાણે ઉપયોગવાળા થઇને ગતિ કરે. આવા પ્રકારની ઇર્યાસમિતિ પૂર્વક જતા કદાચ જીવ વિરાધના થઇ જાય તો પણ મુનિને તેનું પાપ લાગતું નથી. જેથી શ્રી ઔઘનિર્યુક્તિમાં કહ્યું છે કે, ૨૦૦ उच्चालिअंमि पाए, इरिआसमिअस्स संकमट्ठाए । વાવખિન્ન નિળી, મરિન્ગ તું નોમાસખ્ત ધ્ || [ T[૭૪૮ ] न य तस्स तन्निमित्तो, बंधो सुहुमोऽवि देसिओ समए । अणवज्जो उपओगेण सव्वभावेण सो जम्हा ॥ २ ॥ [ गा० ७४९ ] य जो पत्तो पुरिसो, तस्स य जोगं पडुच्च जे सत्ता । વાવર્ષાંતે નિયમા, તેમિ સો હિંસો હોર્ ॥ રૂI[T[૭૨] जेवि न वावज्जंती, नियमा तेसिंपि हिंसओ होइ । सावज्जो उपओगेण सव्वभावेण सो जम्हा ॥ ४ ॥ [ गा० ७५३ ] ઇર્યાસમિતિવાળા સાધુ સંક્રમણ માટે=ચાલવા માટે પગ ઉપાડે છતે કુલિંગી=બેઇન્દ્રિય આદિ સંઘટના-પરિતાપનાથી મરી જાય તો પણ તે યોગને આશ્રયી સર્વ પ્રકારે મારવાના પ્રયોગથી અનવદ્ય હોવાથી તેને (=તે સાધુને) તે નિમિત્તે સૂક્ષ્મ પણ બંધ આગમમાં બતાવેલા નથી. જે પુરુષ પ્રમાદી છે અને પ્રમાદી ’એવા તેના યોગને=વ્યાપારને આશ્રયી જે જીવો મરે છે, નિયમા તે જીવોનો તે હિંસક=હિંસા કરનારો છે. પ્રમત્તતા જ કર્મબંધનું કારણ છે. સર્વ પ્રકા૨ે મા૨વાના પ્રયોગથી તે સાવદ્ય છે અને તેથી જે જીવો ન મરે તેનો પણ તે હિંસક=હિંસા કરનારો છે. તથા— जियउ व मरउ व जीवो, अजयाचारस्स निच्छओ हिंसा । पययस्स नत्थि बंधो, हिंसामित्तेण समिअस्स ॥ ५ ॥ જીવ જીવે કે મરે પરંતુ અયતનાચારવાળાને નિશ્ચયથી હિંસા છે. પ્રયત્નપૂર્વક સમિતિનું પાલન કરનારને હિંસામાત્રથી=હિંસા થવા છતાં પણ બંધ (=કર્મબંધ) થતો નથી.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy