SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આચારપ્રદીપ વિપુલ વૈભવવાળી રાજઋદ્ધિ અને તીર્થંકર ઋદ્ધિને ભોગવીને પરમસુખ (=મોક્ષ)ને મેળવશે. આ પ્રમાણે દેશાવગાસિક વતમાં વાનર જીવનો વૃત્તાંત પૂર્ણ થયો. - ચારિત્રાચાર ચારિત્રનું આચરણ તે ચારિત્રાચાર. અને તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી આઠ પ્રકારનો છે. તેથી કહ્યું છે કે, पणिहाणजोगजुत्तो, पंचहि समिईहिं तीहिं गुत्तीहि । પણ ચરિત્તાવારો, સવિદો દો વાયવ્યો ? A [નિશીથ મારૂ] પ્રણિધાન એટલે મનની સ્વસ્થતા. મનની સ્વસ્થતા પ્રધાન છે જેમાં એવા યોગો=વ્યાપારો તે પ્રણિધાનયોગો. તેનાથી યુક્ત તે પ્રણિધાનયોગયુક્ત. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી અથવા તો વિભક્તિનો વ્યત્યય=ફેરફાર કરવાથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં પ્રણિધાનયોગથી જે યુક્ત છે તે આચાર અને આચારવાળાનો અભેદ ઉપચાર કરવાથી ચારિત્રાચાર છે. અહીં ઇર્ષા, ભાષા વગેરે પાંચ સમિતિઓ છે. મુખ્ય વૃત્તિથી તો નિરવદ્યસ્થાનમાં રહેલા સાધુએ સ્વાધ્યાય વગેરે ધર્મકાર્ય કરવું જોઈએ. પણ જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ આદિ આવશ્યક કરવા યોગ્ય કાર્ય માટે જવું પડે તો હવે કહેવાશે એ વિધિથી જવું જોઈએ. જેથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે, एगग्गस्स पसंतस्स न हुँति इरिआदओ गुणा हुंति । . કાંતવ્યમવર્સ રવિ સાવસિંગ દોર ૨. [માવનિ ૬૨૩] એકાગ્ર અને પ્રશાંત મનવાળા એક સ્થાને રહેલા સાધુને ઇર્યા=ગમન (આદિ શબ્દથી આત્મ વિરાધના, સંયમ વિરાધના) આદિ દોષો થતા નથી (અને સ્વાધ્યાય, અધ્યયન આદિ) ગુણો થાય છે. છતાં પણ ગ્લાન આદિ) કારણે અવશ્ય જવું જોઈએ, તે આવશ્યકી થાય છે. પ્રશ્ન- તો પછી ભગવાને સાધુઓને નિત્ય નવકલ્પવિહાર કરવો વગેરે શા માટે ઉપદેશ્યો ? ઉત્તર- નવકલ્પવિહાર વગેરે પણ બહુ ગુણવાળું હોવાના કારણે ધર્મની વૃદ્ધિ માટે જ છે. તેથી શ્રી આચારાંગમાં બીજા શ્રુતસ્કન્ધમાં બીજા અધ્યયનમાં બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે, જે મયંતારો... વિમવ૬. જે સાધુ ભગવંતો ઋતુબદ્ધકાળમાં એટલે કે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy