SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર दिक्खा सिक्खावि तहा, सहला आराहणेण चेव हवे । अन्नह दिक्खा भिक्खा, सिक्खा सव्वा उ गलसोसो ॥ ३ ॥ દિક્ષા તથા શિક્ષા પણ આરાધનાથી જ સફળ થાય છે. અન્યથા એટલે કે જો આરાધના ન કરવામાં આવે તો દીક્ષા, ભિક્ષા અને શિક્ષા એ સઘળોય ગળાનો સોસ છે. આ બાજુ વ્રતગ્રહણ કરવાના સમકાલે જ સઘળા ય સંયમ યોગોમાં મારે નિરંતર અપ્રમત્તપણે રહેવું એવો અભિગ્રહ તે મહારાજર્ષિ ગ્રહણ કરે છે. અને સાવધાન મનવાળા તે રાજર્ષિ યાવજજીવ સુધી તે અભિગ્રહનું તે જ પ્રમાણે પાલન કરે છે. કારણ કે મહાનુભાવોને સ્વીકારેલોનો નિર્વાહ કરવો એ સ્વભાવસિદ્ધ હોય છે. આ પ્રમાણે જેમણે સૂત્રાર્થના તત્વને ગ્રહણ કર્યો છે એવા, જિનકલ્પીની જેમ નિત્ય અપ્રમત્ત, માસક્ષમણ, કાયોત્સર્ગ આદિ દુષ્કર મહાતપને કરતા, પવનની જેમ અપ્રતિબદ્ધપણે પૃથ્વી ઉપર વિચરતા, રાત્રીએ કાયોત્સર્ગમાં રહેલા તે રાજર્ષિને ક્યાંય પણ જતી લક્ષ્મી દેવીએ જોયા. તેથી અવધિજ્ઞાનથી તેવા પ્રકારના અભિગ્રહને જાણીને તેની પરીક્ષા કરવા માટે ત્રણ જગતને વશ કરવામાં નિપુણ એવી અનેક દેવાંગનાઓ વિતુર્વી, દિવ્યનૃત્ય, ગીત, હાવભાવ, વિભ્રમ, વિલાસ, આલિંગન વગેરે વિકારોવાળા નવા નવા પ્રકારોથી તે દેવાંગનાઓએ પ્રભાત સુધી ક્ષોભ પમાડ્યો છતાં પણ ધર્મધ્યાન એ જ એક હિત છે જેનું એવા તે મુનિ જરા પણ ક્ષોભ ન પામ્યા. આ પ્રમાણે પ્રતિક્રમણ, પડિલેહણ આદિ ધર્મકાર્યની વેળાએ વિભ્રમમાં પાડવું, માસક્ષમણ આદિના પારણામાં અતિસૂક્ષ્મ મેઘના છાંટા વિદુર્વવા, નજીકમાં વિદુર્વેલા શ્રાવકના સાર્થમાં અતિ આગ્રહપૂર્વક નિમંત્રણ કરવું. પારણામાં ઘણા દિવસ સુધી સર્વસ્થાનમાં અન્ન અને પાણીની અશુદ્ધિ કરવી, પુત્રના નગરને વૈરિગણે ઘેરી લીધો છે એ પ્રમાણે સંભળાવવું વગેરે અનેક પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોથી છ મહિના સુધી તે લક્ષ્મી દેવીએ પરીક્ષા કરી. છતાં પણ તે રાજર્ષિ ક્યાંય પણ જરા પણ આર્તધ્યાન આદિ પ્રમાદને પામ્યા નહીં. તેથી અતિશય ચમત્કાર પામેલા હૃદયવાળી શ્રેષ્ઠ પ્રીતિરસથી ઉલ્લસિત થયેલી, પોતાના સ્વરૂપને જણાવીને પોતાના અપરાધને ખમાવીને નિત્ય જ સાન્નિધ્યમાં રહેલી લક્ષ્મી દેવી સ્થાને સ્થાને તે મુનિના સર્વજનને આશ્ચર્ય કરનારા પ્રાતિહાર્યને પ્રગટ કરે છે. અહો ! તે જ ભવમાં પણ અપ્રમત્તતાનું વિપુલ ફળ છે ! તેવા પ્રકારના મહા અભિગ્રહનો જાવજીવ સુધી નિર્વાહ કરવાથી તે મુનિએ પોતાના ઘણા મહિમાથી ત્રણ લોકને આશ્ચર્યચકિત કરનારું એવું તીર્થંકર નામ ગોત્રકમ ઉપાર્જન કર્યું. આ પ્રમાણે લાંબા કાળ સુધી નિરતિચાર ચારિત્ર ધર્મનું આચરીને અનશન આદિ કરવા દ્વારા સમાધિથી મરણ પામીને તે મુનિ દશમાં દેવલોકમાં વીસ સાગરોપમ આયુષ્યવાળા શ્રેષ્ઠ દેવ થયા. ત્યાંથી ચ્યવેલા મહાવિદેહમાં
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy