________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૮૧
कस्यादेशात् क्षपयति तमः, सप्तसप्तिः प्रजानां ? छायां कर्तुं पथि विटपिना-मञ्जलिः केन बद्धः ? । अभ्यर्थ्यन्ते नवजलमुचः, केन वा वृष्टिहेतो
ત્યંતે પરહિતવિથી, સાથવો બક્ષિા : છે ? કોના આદેશથી સૂર્ય લોકોના અંધકારનો નાશ કરે છે? માર્ગમાં છાયા કરવા માટે વૃક્ષોને કોણે અંજલિ જોડી છે? વૃષ્ટિ કરવા માટે નવા વાદળાઓ કોના વડે પ્રાર્થના કરાયા છે? આ સજ્જન લોકો પરહિત કરવામાં જાતિથી જ સજ્જ થયેલા હોય છે.
રાજપુત્રે પણ વિચાર્યું કે, જેવી રીતે વાંઝીયા વૃક્ષનું શીતલ છાયા સિવાય બીજું કંઈ પણ ફળ નથી તેવી રીતે મોટા એવા પણ આ પુરુષના શરીરનું શીતલ છાયા જેવું આ એક પરોપકાર જ ફળ છે. એ સિવાય બીજું કંઈ પણ ફળ નથી. જેથી કહ્યું છે કે,
कस्तूरी पृषतां रदाः करटीनां कृत्तिः पशूनां पयो, धेनूनां छदमण्डलानि शिखिनां रोमाण्यवीनामपि । पुच्छस्नायुवसाविषाणनखरस्वेदादिकं किञ्चन, . स्यात् कस्याप्युपकारि मर्त्यवपुषो नामुष्य किञ्चित्पुनः ॥ १ ॥
હરણાઓની કસ્તૂરી, હાથીઓના દાંતો, પશુઓનું ચામડું, ગાયોનું દૂધ, મોરલાઓના પીછાં, ઘેટીઓનું ઊન, વળી પુંછડું, સ્નાયુ, ચરબી, શિંગડા, નખ, પરસેવો વગેરે કંઈ પણ કોઇને પણ ઉપકારી થાય છે પણ આ મનુષ્યના શરીરનું કંઈ પણ કોઇને પણ ઉપકારી થતું નથી. વળી–
क्षेत्रं रक्षति चञ्चा सौधं लोलत्पटी कणान् रक्षा। दन्तात्ततृणं प्राणान्, नरेण किं निरुपकारेण ? ॥१॥
ચાડીયો ખેતરનું રક્ષણ કરે છે. ફરકતી ધજા મહેલનું રક્ષણ કરે છે, રાખોડી (રાખ) ધાન્યનું રક્ષણ કરે છે, દાંતમાં પકડેલું ઘાસ પ્રાણીની રક્ષા કરે છે. પણ નિરુપકારી એવા માણસનું શું પ્રયોજન છે?
આ પ્રમાણે વિચારતા એવા તે કુમારે તેના વચનને ‘તહત્તિ કરીને સ્વીકારીને તેને છોડાવવાના કંઈ પણ ઉપાયને વિચારીને નજીકમાં રહેલી વાવડીમાં નિર્મલ શીતલ જલપાન, સ્નાન આદિ કરવા દ્વારા લક્ષ્મીના મંદિરમાં પ્રવેશ કરીને ભક્તિ અને બહુમાનપૂર્વક અપૂર્વ સુંદર કાવ્ય દ્વારા પ્રશસ્ત સ્તવના વડે શ્રીદેવીની સ્તવના કરી. તે જ ક્ષણે તુષ્ટ થયેલી શ્રીદેવીએ