SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આચારપ્રદીપ એટલીવારમાં તો તેના શુભકર્મના વશથી મોટા શબ્દના પ્રસરવાથી થયેલા પડઘાઓથી જલચર પ્રાણીઓના સમૂહને જેણે મોટો ક્ષોભ પમાડ્યો છે એવી એક મોટી ઘો ત્યાં આવી. જેટલામાં પાણી પી ને તે ઘો બહાર નીકળે છે તેટલામાં તત્કાળ કાર્યને અનુરૂપ ઉત્પન્ન થનારી બુદ્ધિવાળો તે જલદીથી જ મોટી એવી તેની પૂંછડીમાં દઢ પણે વળગી પડ્યો. તે ઘો પણ ભેંસની જેમ તેના ભારને નહીં ગણકારતી લીલા કરતી જ તે જ ક્ષણે મોટા કૂવામાંથી બહાર નીકળી. તેથી તે કુમાર પણ બહાર નીકળ્યો. ઉત્પન્ન થયો છે જીવિતની આશાનો પ્રસર જેને એવો, મહાસુધા આદિના દુઃખથી દુઃખી થયેલો, ખીલેલા ફૂલવાળા વૃક્ષ ઉપર અહીં તહીં ભમતા ભમરાની જેમ તે શૂન્ય સ્થાનમાં અહીં તહીં ભમતો કોઈ પણ ગામને જોતો એક દિશામાં જતો જેટલામાં બે ગાઉ ગયો તેટલામાં માનુષોત્તર પર્વત જેવા કિલ્લાથી વિંટળાયેલું, જેણે ભાગ્યશાળી લોકોના મનને આનંદિત કર્યું છે એવું, વિવિધ પ્રકારના મંદિરોથી શોભતું જાણે બીજુ મનુષ્યક્ષેત્ર ન હોય એવું એક મોટું નગર જુએ છે. તેથી અતિ આનંદને પામેલો રાજપુત્ર નગરની લક્ષ્મીની રમણીયતારૂપ આકર્ષણમંત્રથી જાણે આકર્ષાયેલો ન હોય તેમ અતિ ઉતાવળ કરતો તે નગર તરફ ચાલતો નંદનવન જેવા અતિ મોટા ઉદ્યાનમાં એક સ્થાને પ્રશસ્ત દેવમંદિરના દ્વારમાં અશોકવૃક્ષની મોટી શાખામાં ચોરની જેમ ઘોરબંધનથી બાંધેલા, રૂપ આદિ ગુણોથી સમૃદ્ધ એક પુરુષને અને નજીકમાં રહેલી, કરુણ શબ્દથી રડતી એક સ્ત્રીને જુએ છે. તેથી નિર્મલપ્રકૃતિવાળો હોવાના કારણે હૃદયરૂપી દર્પણમાં તત્કણે સંક્રામિત થયેલા દુખવાળા તેણે નજીકમાં રહેલી સ્ત્રીને પૂછ્યું કે, આ શું છે? દીનમુખી તેણીએ પણ કહ્યું કે, હે પરના દુઃખના વિભાગને અંગીકાર કરનાર ! મહાનુભાવ ! બંધાયેલા મારા આ પ્રિયતમને છોડાવ. તેથી સંભ્રમથી તે કહેવા લાગ્યો કે, કોના વડે કયા કારણથી આ બંધાયો? તેણીએ પણ કહ્યું: જેમ કે, હે મહાયશ ! લક્ષ્મીદેવીએ પોતાને રમવા માટે સર્વઋતુના વિવિધ જાતિના જાઈ વગેરે ખીલેલા ફૂલોવાળા વૃક્ષોમાં લીન થયેલા, પુષ્ટ થયેલા, વાચાળ મુખવાળા ભમરાઓના સમૂહના મધુર ઝંકારના સમૂહથી સંમોહિત કર્યું છે કિન્નર અને વિદ્યાધરના યુગલના મનને જેણે એવું લક્ષ્મીરમણ નામનું મોટું ઉદ્યાન બનાવ્યું છે. જે માણસ આ ઉદ્યાનના માત્ર પુષ્પને પણ ગ્રહણ કરે છે તો પણ લક્ષ્મીદેવી તત્કાલ ચોરની જેમ તેનો નિગ્રહ કરે છે અને હમણાં આ વિદ્યાધર એવા મારા પતિએ આગળ પાછળનો વિચાર કર્યા વિના જ ખીલેલા વૃક્ષમાંથી એક પુષ્પ ગ્રહણ કર્યું. તેથી અતિ બળવાન એવી તે લક્ષ્મીએ થોડા અપરાધવાળા પણ આને મોટા અપરાધીની જેમ આ પ્રમાણે બાંધીને દુઃખી કર્યો છે. તેથી તે સત્પરષોમાં મુકુટ સમાન ! કોઈ પણ રીતે અતિ. વિકટ આ સંકટમાંથી આને છોડાવ. કારણ કે તમારા જેવા પુરુષો મેઘ, ચંદ્ર અને સૂર્યની જેમ પરોપકાર કરવામાં રત હોય છે. કહ્યું છે કે,
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy