________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
यो यत्र हि कौशलभृत्तद्योगे ऽसौ प्रवर्त्तते परवान् । वैरिपुरे कोकाशः कुतोऽन्यथा चक्रमकृत तथा ? ॥१ ॥
૧૨૯
જે પુરુષ જે વિષયમાં કુશળતાને ધારણ કરતો હોય તે વિષયનો યોગ થયે છતે પરવશ થયેલો તે તેમાં પ્રવર્તે છે. જો એમ ન હોત તો શત્રુના નગરમાં કોકાશે તેવા પ્રકારનું ચક્ર શા માટે કર્યું ?
અથવા તો
यो यत्र हि कौशलभृत्तद्योगेऽसौ प्रवर्त्तते परवान् ।
नो चेत्किं सौमित्रिः शम्बूकवधं मुधा व्यधात् ? ॥ १ ॥
જે પુરુષ જે વિષયમાં કુશળતાને ધારણ કરતો હોય તે વિષયનો યોગ થયે છતે પરવશ થયેલો તે તેમાં પ્રવર્તે છે. જો એમ ન હોત તો લક્ષ્મણે ફોગટ શંબૂકનો વધ શા માટે કર્યો ?
અને તે ચક્રની પરીક્ષા કરવા માટે કોકાશરથકા૨ તે ચક્રને ભમાટે છતે તે સુથાર મંગાવેલા ઉપકરણો લાવીને જેટલામાં ત્યાં આવ્યો તેટલામાં જાણે આશ્ચર્યનું ચક્ર ન હોય એમ તેટલા સમયની અંદર બનાવેલા તેવા પ્રકારના અસાધારણ તે ચક્રને સાક્ષાત્ જોઇને ચતુર હોવાના કારણે વિચાર્યું કે, અસાધારણ એવી આ કલાથી નક્કી આ કોકાશ જ હોવો જોઇએ. કારણ કે સંપૂર્ણ પૃથ્વી મંડલ ઉપર પણ આવા પ્રકારની અતુલ કલાવાળો બીજો કોઇ પણ પૂર્વે જોયો નથી અને પૂર્વે સાંભળ્યો પણ નથી. અને આ અતિમહાન શત્રુનો મિત્ર અહીં આવેલો છે. તેથી જો હું રાજાને જણાવું તો નક્કી રાજાનો અતિ ઘણો કૃપાપાત્ર થાઉં. દુષ્ટબુદ્ધિવાળા તેણે આ પ્રમાણે વિચારીને પોતાના માણસો દ્વારા કોકાશને સુરક્ષિત કરીને જણાવવાના ઉદ્દેશથી રાજા પાસે જઇને વિનંતી કરી કે, હે દેવ ! જાણે આપના ભાગ્યથી ખેંચાયેલો ન હોય તેમ ઘણી કલાનો ભંડા૨, ૨થકા૨ોમાં અગ્રેસર કોકાશ નામનો રથકાર ક્યાંયથી પણ મારા ઘરે આવેલો છે કે જેના વડે મોટા વહાણની જેમ બનાવાયેલા ગરુડના બળથી કાકજંઘ રાજા વહાણવટીની જેમ દુઃખે કરી ગ્રહણ કરી શકાય એવી પણ જાણે સુખે કરી ગ્રહણ કરી શકાય એવી ન હોય એની જેમ રાજ્ય વગેરે દૂર દેશાંતરની સંપત્તિઓને પોતાને આધીન કરે છે.
તે વચનને ઊંચા કાન કરીને અર્થાત્ કાન દઇને સાંભળીને સારું સારું એ પ્રમાણે બોલતા રાજાએ કોકાશને પોતાના માણસો દ્વારા કઠોરતાથી ઘણા બંધનોથી ક્રૌંચ પક્ષીની જેમ બંધાવીને પોતાની પાસે લવડાવ્યો. અત્યંત કદર્થના કરવા પૂર્વક અને મારી નાખીશ