SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૨૭ (કાગડા અને ઘૂવડની કથા પંચતંત્રમાં આપી છે તેનો સાર આ પ્રમાણે છે– કાગડા અને ઘૂવડની કથા દક્ષિણ દેશમાં મહિલારોપ્ય નામનું એક નગર હતું. તેની પડોસમાં અનેક પક્ષીઓથી ભરપૂર અને ઘાટાં પાંદડાઓથી ઢંકાઈ ગયેલું વડનું મોટું ઝાડ હતું. તેના ઉપર કિલ્લો બાંધીને મેઘવર્ણ નામનો એક કાગડાનો રાજા પોતાના અનેક પરિવારોથી પરિવરેલો રહેતો હતો. બીજી બાજુ અરિમર્દન નામનો ઘુવડોનો એક રાજા અસંખ્ય ઘુવડોથી પરિવરેલો પર્વતની ગુફારૂપી એક કિલ્લામાં આશ્રય કરી રહેતો હતો. તે રોજ રાત્રે આવીને તે વડના ઝાડની ચારે બાજુ ફરતો અને જે કોઈ કાગડો હાથ લાગતો તેને મારી નાખતો હતો. એક દિવસ કાગડાના રાજાએ સર્વ મંત્રીઓને બોલાવીને કહ્યું કે, હે મંત્રીઓ ! આપણો શત્રુ ભયંકર છે, ઉદ્યમી છે અને સમયને જાણનારો છે, તેથી તે રોજ રાત્રે અહીં આવીને આપણો નાશ કરે છે. માટે આપણે તેને કેવી રીતે વૈર લેવું? ઘણી વિચારણાઓને અંતે સ્થિર જીવી મંત્રી બોલ્યો કે, મેં સામ વગેરે ચારેય ઉપાયોને ઓળંગીને પાંચમો ઉપાય લેવાનો નિશ્ચય કર્યો છે, તે તમે સાંભળો ! તમારે મને શત્રુ પક્ષમાં મળેલો જાણી અતિ કઠોર વચનોથી મારો તિરસ્કાર કરવો અને શત્રુઓના ગુપ્તચરોને ખાતરી થાય તે પ્રમાણે કોઈ ઠેકાણેથી લોહી લાવીને તેનાથી મારા શરીરને લીપી દેવું અને મને વડના ઝાડની નીચે નાંખી દઈને તમારે ઋષ્યમૂક નામના પર્વત ઉપર ચાલ્યા જવું. તે પછી હું નીતિનો યથાર્થ ઉપયોગ કરી, તે શત્રુઓને મારા વિશ્વાસુ બનાવીને મારું કાર્ય સિદ્ધ કરીશ અને તેઓના કિલ્લાનો મધ્ય ભાગ જાણી લઈશ. પછી કોઈ દિવસે તમને ત્યાં લઈ જઈને દિવસે : આંધળા થઈ જનારા ઘુવડોનો નાશ કરીશ. કાગડાના રાજાએ પણ બધું તે પ્રમાણે કર્યું. આ દરમ્યાન શત્રુની ગુપ્તચર કુકાલિકાએ કાગડાના મંત્રીને પહેલું સર્વ દુઃખ અને મેઘવર્ણનું ભાગવું વગેરે ઘુવડના રાજાને જણાવ્યું. આથી ઘુવડનો રાજા પરિવાર સહિત વડના ઝાડ પાસે આવ્યો. ઘુવડો ઝાડ નીચે પડેલા સ્થિરજીવીને નાશ કરવા માટે તેના તરફ ગયા. એટલે સ્થિરજીવીએ તે ઘુવડોને કહ્યું કે, અરે ભાઈઓ! હું સ્થિરજીવી નામનો મેઘવર્ણનો ઘરડો મંત્રી છું અને મેઘવર્ષે મારી આવી દશા કરી છે. ત્યારે ઘુવડોના રાજાએ કહ્યું કે, તારી આવી દશા કેમ કરી તે કહે. સ્થિરજીવી બોલ્યો કે, મહારાજ ! સાંભળો. ગઈ કાલે તમે ઘણાં કાગડાઓને મારી નાખ્યા હતા. તે જોઈને દુરાત્મા મેઘવર્ણ તમારા ઉપર ગુસ્સે થયો હતો અને શોકાતુર થઈને યુદ્ધ કરવા માટે આવતો હતો. તે સમયે મેં તેને કહ્યું કે મહારાજ ! તેના ઉપર ચઢાઈ કરવી એ તમને છાજતું નથી. મારું કહેવું સાંભળી દુર્જનોએ * કાકરાજને કોપાવ્યો. તેથી તેણે મને તમારો પક્ષપાતી માનીને મારી આવી દશા કરી. માટે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy