SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ આચારપ્રદીપ પૂર્વે કરેલા પુણ્યો વનમાં રહેલાનું, રણમાં રહેલાનું, શત્રુની મધ્યે રહેલાનું, જલની મધ્યે રહેલાનું, અગ્નિની મળે રહેલાનું, મહાજંગલમાં રહેવાનું, પર્વતના શિખર ઉપર રહેલાનું, સૂતેલાનું, પ્રમાદીનું, વિષમ સ્થિતિમાં રહેલાનું રક્ષણ કરે છે. | અને ત્યાં નજીકમાં રહેલા એક નગરને જોઈને રાજાએ ચતુર એવા કોકાશને આ પ્રમાણે પૂછ્યું કે, હે મિત્ર ! સર્વસ્થાનોમાં લક્ષ્મીની રચનાઓથી ઉછળતા તરંગોવાળો કરાયો છે અંદરનો ભાગ જેમાં એવું આ નગરનું નામ શું છે? અભિજ્ઞાન કરવામાં અગ્રણી એવા તેણે પણ કોઈક ચિહ્નોથી જાણીને જવાબ આપ્યો કે, હે દેવ! દેવમાતૃકતા, નદીમાતૃકતાર આદિ ઘણા ગુણોના ગૌરવથી શોભાને પામેલું, સકલ કલિંગ નામના જનપદ રૂપ કમળમાં રહેનારી લક્ષ્મીના સુવર્ણના ઝાંઝર સમાન કાંચનપુર નામનું આ નગર છે. અને સર્વ નગરોમાં પ્રધાને એવું આ નગર કનકપ્રભ નામના કલિંગ રાજાની રાજધાની છે. સર્વ : જગ્યાએ અતિશય માનવાળા, પ્રકૃતિથી પણ નિત્ય અભિમાની આ કલિંગ રાજાને અસહ્ય પરાક્રમવાળા આપે કોઈપણ રીતે દુઃખે કરી ગ્રહણ કરી શકાય એવા પણ દુઝ સાપને જેવી રીતે માંત્રિક ગ્રહણ કરે એ રીતે આપની આજ્ઞા ગ્રહણ કરાવી છે. અને અભિમાનીને પોતાનું અપમાન થાય એ અનુપમ મનના સંતાપનું કારણ છે. જેથી કહ્યું છે કેतरुणजनो निर्विभवस्तरुणी विधवा गुणी निरनुभावः । । अपमानितोऽभिमानी यद् दुःखं वहति तदनुपमम् ॥१॥ તરુણ હોય પણ જો વૈભવ વિનાનો હોય તો, તરણી હોય પણ જો વિધવા હોય તો, ગુણી હોય પણ જો પ્રભાવ વિનાનો હોય તો, અભિમાની હોય પણ જો કોઈએ અપમાન કર્યું હોય તો જે દુઃખને વહન કરે તે દુઃખ અનુપમ હોય છે. , તે દુઃખથી દુઃખી થયેલો તે કદાચ હમણા આપના પ્રત્યે હાર્દિક સ્નેહ બતાવે તો પણ તે વિશ્વાસને યોગ્ય નથી. અર્થાત્ તેનો વિશ્વાસ ન કરવો. કારણ કેन विश्वसेत्पूर्वविरोधितस्य, शत्रोश्च मित्रत्वमुपागतस्य । ટાઘાં સુદ્ધાં પશ્યત યૂપૂf, yવન હુતાશનેર છે ? [પશ્વતત્ર--૨] પૂર્વે જેની સાથે વિરોધ હોય=શત્રુતા હોય તેનો વિશ્વાસ ન કરવો. અને શત્રુ પણ મિત્ર થઈને રહ્યો હોય તો તેનો પણ વિશ્વાસ ન કરવો. જુઓ ! કાગડાઓએ નાખેલા અગ્નિથી ઘુવડોથી પૂર્ણ બળેલી ગુફાને જુઓ ! ૧. દેવમાતૃકતા- વરસાદ પડવાથી જ્યાં ચોખા વગેરેનું વાવેતર થાય. ૨. નદીમાતૃકતા નદીના પાણીથી જ્યાં ચોખા વગેરેનું વાવેતર થાય.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy