SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ધમિલકુમાર રાસ આયુ બાંધે છે. લૌકિક ધર્મશાસ્ત્રમાં પણ આઠમ-ચૌદશ-પૂર્ણિમા-સૂર્યસંક્રાંતિ વગેરે મોટાં પર્વો કહેલાં છે તે પર્વોમાં જે પ્રાણી માંસ-મદિરાનો આહાર કરે. તેલાદિ શરીરે માલિસ કરે, અને સ્ત્રીનો ભોગવટો કરે, તે પ્રાણી નરકમાં ઘણો કાળ રખડે છે અને મહાદુઃખને પામે છે. માટે ઈન્દ્રિયનાં સુખ છોડી પર્વદિને યથાશક્તિ તપ-સામાયિક પૌષધ-ધ્યાન આદિ ધર્મને જે આચરે છે. તે શ્રાવક સ્વર્ગમાં જાય છે. ૨૩૨૪ ૫. જ્ઞાનઅમૃતસૂરિ ગુરુદેવનો ઉપદેશ સાંભળીને સૌ પ્રભાવિત થયા. દંપતી પણ ગુરુમુખે પાંચપર્વ ઉચ્ચરીને ઘેર ગયાં. વ્રત પચ્ચકખાણ નિયમ જે લીધા તે શુદ્ધ-જયણાયુક્ત પાલન કરે છે. એકદા અષ્ટમીના દિવસે ધનશેઠ પૌષધ કરીને રાત્રે કાઉસ્સગ ધ્યાને રહ્યા છે. એવી એકાગ્રતાએ ધ્યાનમાં છે કે ઇન્દ્રસભામાં , ઇન્દ્ર સ્વમુખે પ્રશંસા કરી રહ્યા છે. કોઈ અશ્રદ્ધાળુ દેવને આ પ્રશંસા ન ગમી. માનવ જેવો માનવ. આટલું બધું મનોબળ ન સંભવી શકે. હું જ તેની પરીક્ષા કરી જોઉં. ક્ષણમાં તો તે દેવ મનુષ્યલોકમાં આવી ગયો. જયાં ધનશેઠ કાઉસ્સગ મુદ્રાએ રહ્યા છે. ત્યાં પણ પહોંચી ગયો. તે રાત્રિને વિશે પ્રતિકૂળ ઉપસર્ગો ઘણા કર્યા. પણ વ્રતધારી ધનશેઠ ધ્યાનમાંથી જરા પણ ચલાયમાન ન થયા. તો વળી અનુકૂળ ઉપસર્ગો કરવા લાગ્યો. તોયે શેઠ ન ડગ્યા. નિશ્ચલમનથી ધ્યાનમાં જ રત રહ્યા. //પી. , - મેરુપર્વતની જેમ ધર્મરક્ત ધનશેઠની આવી અડગ નિશ્ચલતા જોઈ દેવ ઘણો ખુશી થયો. પ્રગટ થઈને કહે છે કે હે શેઠ ! ઇન્દ્ર સભામાં જે રીતે તમારી પ્રશંસા કરી હતી. તે જ રીતે ખરેખર તમે પણ નિશ્ચલ છો. તમને ધન્યવાદ છે. પણ કહેવાય છે કે દેવનું દર્શન ક્યારેય નિષ્ફળ જતું નથી. તે કારણે તમારી ઉપર પ્રસન્ન થયેલો હું તમને ગગનગામિની વિદ્યા આપું છું. તમો ઇચ્છો ત્યાં જઈ શકાય છે. : પણ ધ્યાન રાખવાનું છે કે ત્રીજા કાને આ વિદ્યા જશે તો તે વિદ્યા નષ્ટ થશે. ./૨દી હવે વિદ્યાબળે ધનશેઠ ગગનમાં જા-આવ કરવા લાગ્યા. નિયમિત જુદાં જુદાં તીર્થોની યાત્રા કરવા લાગ્યા. નવાં નવાં મંદિરો અને જિનેશ્વર પરમાત્માનાં દર્શને વંદન કરે છે. તીર્થપર્યટનમાં ઘણો કાળ ચાલ્યો ગયો. એક દિન શેઠાણી શ્રીમતીએ પૂછ્યું. તે સ્વામિનું! આપ હંમેશાં સવારે ક્યાં જાવ છો? શેઠે તીર્થયાત્રાની સઘળી વાત કહી. પણ સાથે એ પણ કીધું.”હે પ્રિયે ! જે દેવે આ વિદ્યા આપી છે તેણે કહ્યું છે કે ત્રીજા કાને વાત ન જવી જોઈએ. તારા આગ્રહથી મેં તો તને જણાવ્યું. પણ હવે બીજે ક્યાંયે વાત ન કરતી દેવનું વચન છે. “મને આપેલી વિદ્યા જો ત્રીજે કાને જાય તો વિદ્યા નષ્ટ થઈ જાય.” પણ કહેવાય છે કે સ્ત્રીનું પેટ છીછરું હોય છે. “બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે.” આ ન્યાય થકી શ્રીમતીએ પણ પોતાની પ્રિય સખીને સઘળી વાત કહી દીધી. જ્યારે સખીને સઘળી વાત શેઠાણી કરી રહી હતી, તે સમયે શેઠ ગગન માર્ગે કોઈક સરોવર ઉપરથી જઈ રહ્યા હતા. વાત પૂરી થતાં જ દેવના વચન પ્રમાણે, શેઠ તરત જ તે સરોવર મળે પડ્યા. વિદ્યા તત્કાળ નષ્ટ થઈ જવાથી ઊડવાની ગતિ ચાલી ગઈ. સરોવર મધ્યેથી ઘણા કષ્ટ કરતાં કરતાં શેઠ માંડ માંડ કિનારે આવ્યા. કંઈક સ્વસ્થ થયા. વન-કંદરા-પર્વત નગર-ગામ બધે ભટકતાં ભટકતાં, શેઠ આઠ મહિને, આઠ દિવસે પોતાના ગામ અને ઘરે પહોંચ્યો. ઘણી વિટંબણા પામ્યા. આઠ મહિને પતિનાં દર્શન થતાં શેઠાણી ઘણાં હરખાણાં. સ્વામીની ઘણી સેવા-ભક્તિ કરી. મિષ્ટભોજન તૈયાર કરી, સ્વામીને જમાડ્યા. વળી મુખમાં તાંબુલ પણ પોતાના હાથે મૂકીને ખવડાવ્યાં. પણ હા ! શેઠ-શેઠાણી આજે અષ્ટમી દિન છે તે ભૂલ્યા. લીધેલ નિયમ તૂટી ગયો. ૨૮
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy