________________
.
ધર્મિલકુમાર 'રાસ
ચાહે વિલેપન ભસ્મ ચઢાવે રે, ગીતગાન સરગાલ બજાવે રે, વાહનવેલા સાંઢ પ્રયાણ રે, મંદિર માગે વસે સમશાન રે. ।।૧૨। પરનારી દેખીને રાચે રે, ભીલડી પૂંઠે નાગો નાચે રે, ધરી અર્ધાંગ હૃદયથી ઉવેખી રે, એ વર ગૌરી અમર તે દેખી હૈ, ॥૧૩॥ યાગ ઘણા જનઘર ઘૂમાવે રે, રહો રહો ગૌરીમા કહી ગાવે રે, પણપતિ દેખી મન લજાવે રે, કૂપે પડતી દુઃખ સમાવે રે. ॥૧૪॥ એમ સુણી સખીયો કરતી વાત રે, વાત લહે ધમ્મિલની માત રે, શેઠની આર્ગે વાત પ્રકાશી રે, પુત્ર ભલો પણ લોકમેં હાંસી રે. ॥૧૫॥ આ સંસાર તણો આચાર રે, જાણે નહિ નીતિ વ્યવહાર રે,
પઠિત મુરખ કહી લોક તે ગાવે રે, ઘરનો ભાર તે કોણ ઉઠાવે રે. ॥૧૬॥ પુત્ર વિના અહોનિશ દુઃખ ધરતા રે, પુત્ર થયે પણ નહિ શીતલતા રે, તે માટે જુગટીયા ટોલે રે, રહેતાં તે સંસારે ભેલે રે ।।૧૭ના મ્મિલકુમરનો રાસ રસાલ રે, ત્યાં એ બોલી બીજી ઢાલ રે, એક વરગી સંસારે દુઃખિયા રે, શ્રી શુભવીર ત્રિવર્ગે સુખીયા હૈ ॥૧૮॥ ધર્મિલકુમારનો વિવાહ અને લગ્ન :
ભાવાર્થ :- ધનવસુ શ્રેષ્ઠીએ પણ આ વાત ધ્યાનમાં રાખી. અને એક દિવસ હવે તે સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠીને ઘેર ધનવસુ જાય છે. ત્યાં જઈને શ્રેષ્ઠીને બધી વાત કરે છે અને પોતાની પણ ભાવના દર્શાવી. સુરેન્દ્રદત્તે વાત વધાવી લીધી. “સગાઈ કરવાનું વચન લીધું' પછી ધમ્મિલકુમારના મસ્તકે તિલક કર્યું. ॥૧॥ બંને ઘેર વિવાહની તૈયા૨ થઈ. લગ્નમહોત્સવના દિવસો ચાલુ થયા. બંને એકબીજાના ઘરે જમવા જાય છે. ઓચ્છવ - મહોત્સવમાં સ્વજનોનો મેળાપ ચાલી રહ્યો છે. અને જોષી મહારાજ એ,વખતે લગ્નનો સમય નક્કી કરે છે. II૨ા
સુંદર સ્થાને ચોરી બાંધવામાં આવી છે. રૂડા માંડવા પણ બંધાયા છે અને પ્રેમથી વર-કન્યાને પરણાવ્યાં. ઘણી ઋદ્ધિ સહિત વરકન્યાને માંડવેથી વરાવ્યા. ધમ્મિલની માતાએ વરવધૂને પોંખીને, પોતાના ઘરમાં શુભચોઘડીયે પ્રવેશ કરાવ્યો. III યશોમતી પિયેરથી સાસરે આવી. એવા હેતપ્રીતથી બધાની સાથે રહે છે કે જેથી સાસરીનાં સ્વજનો પોતાનાં ન હોય. પતિ-પત્ની સ્વર્ગનાં સુખો ભોગવે છે. ભોગવતાં કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થાય છે. પુણ્યનો અર્થી એવો ધમ્મિલ તો ધર્મનો પણ અર્થી છે. ધર્મના રંગે રાતો (રક્ત) છે. અર્થાત્ ધર્મના રંગે રંગાયેલો છે. II૪l
ધર્મરક્ત ધમ્મિલકુમાર :
તે હવે ધાર્મિક પુસ્તકો તેમાં વળી અધ્યાત્મરસવાળાં પુસ્તકો વાંચે છે, ભણે છે. એવો રંગ લાગ્યો છે કે પુસ્તક હાથથી છૂટું મૂકતો નથી. વળી સત્સંગ પણ સાધર્મિક જનની સાથે કરે છે. પૌષધ – પ્રતિક્રમણ