________________
૨૯૮
ધર્મિલકુમાર રાસ
કુમી કહે કાંતા ધણી રે, નહી સુખીયો ચલી અગ્ર; વંગ કલિંગ તણો ધણી રે, જસ ઘર ઋદ્ધિ સમગ્ર....સ.પુ. ॥૧૫॥ જયસિંહ નૃપ નેપાળનો રે, કસ્તૂરી જસ દેશ;
એમ મંત્રીશ્વર શેઠને રે, વરણવિયા સવિશેષ...સ. પુ. ॥૧૬॥ તે સવિ હેલવિયા તેણે રે, વય રૂપ દેશના દોષ;
વર્ણવતાં દિલ હીંસતું રે, હેલવતા મન રોષ...સ. પુ. II૧૭ના વળી પ્રતિહારી બોલતી રે, એ નર ગુણ ભંડાર;
ભાગ્યકળા રૂપે વડો રે, મુઝ સખીનો ભરતાર...સ. પુ. II૧૮। મનગમતું વૈદ્યે કહ્યું રે, જાણી ઠવે વરમાળ;
વ્યંતર દેવી દેવતા રે, વૃષ્ટિ કુસુમ ઉજમાળ...સ. પુ॥૧૯॥ તે દેખી નૃપ કોપીયા રે, ઉઠ્યા ખડ્ગ ધરી હાથ; એક શૃંગ ખડ્ગી પરે રે, થંભે દેવ સહુ સાથ...સ. પુ. ૨૦ કપિલ રાય વચને કરી રે, છોડે ધમ્મિલ ત્યાંહી; મંગલવાજાં વાજતાં રે, સજન વર્ગ ઊચ્છાંહી...સ. પુ. ૨૧/ ઘર તેડી સમહોત્સવે રે, પરણાવે ધરી હેત;
હય ગય રથ ભટ ભૂષણાં રે ગામ ઘણા વર દેત...સ. પુ. ૨૨॥ ચોથે ખંડે એણીપરે રે, બોલી બારમી ઢાલ;
શ્રી શુભવીર કુંવર તણું રે, પસરયું પુણ્ય વિશાલ...સ.પુ. II૨૩
કપિલ રાજા દ્વારા દેશ-પરદેશ પોતાના માણસો અને દૂતો મોકલીને રાજાઓ - રાજકુમારોને આમંત્રણો આપવામાં આવ્યાં. કન્યાની આકાંક્ષાવાળા ક્ષત્રીકુમારો રાજાઓ, બીજા પણ રાજકુમારોનાં પોતપોતાનાં સૈન્ય-સુભટોના રસાલા સાથે આવી પહોંચ્યા અને સૌ ચંપાનગરીના ઉદ્યાનમાં ઊતર્યા. ॥૧॥ કહેવાય છે કે જ્યારે જગતનાં પ્રાણીઓને પ્રબળ પુણ્યનો ઉદય થાય ત્યારે મનોવાંછિત સમૃદ્ધિ રિદ્ધિ સામેથી મળે છે. પુણ્યવિહોણા પ્રાણીઓ બીજાંની ચડતી-ઉદ્યોત કે રિદ્ધિ સિદ્ધિ જોઈને બળી જતાં હોય છે. બીજા ઉપર ઇર્ષ્યા કર્યે જાય. પોતાના કર્મ સામે જોતા નથી. ॥૨॥
સ્વયંવરને વિશે મંત્રીપુત્રો, શેઠના પુત્રો, સાર્થવાહ પુત્રો આદિના પુત્રો ઘણા ભેગા થયા છે. ભોજન-વસ્ત્ર આદિ સત્કારતા અને હાથી-ઘોડા માટે ઘાસ પાણી વગેરે જે જે સ્થાને જે જે જોઈએ તે સઘળી વ્યવસ્થા કપિલ રાજાએ વિવેક જાળવીને કરી છે. IIII કપિલ રાજા હવે આ બાજુ પોતાના નગરને વિશે રાજસેવકો પાસે પડહ વજડાવે છે. “આપણા નગરમાં વસતા શેઠ સાર્થવાહ શાહુકાર સૌ પોતપોતાના પુત્રો સાથે સારા સારા વેશ આભૂષણોથી સજ્જ થઈને સ્વયંવરમંડપમાં પધારજો.” ॥૪॥
પડહ સાંભળીને સર્વલોક (જવાયોગ્ય સૌ જનો) તૈયા૨ થઈને સ્વયંવર મંડપમાં આવ્યા. પોતપોતાના યોગ્ય સ્થાનકે બેઠક લીધી. નંદનવનની અંદર દેવતાઓ મોજમજા કરવા આવ્યા ન હોય, તેના કરતાં