________________
ખંડ - ૪ઃ ઢાળ - ૯
૨૦૯
પહોંચ્યો. મન ઉદ્વિગ્ન છે. છતાં મુખ ઉપર પ્રસન્નતા જાળવી રાખી છે. ભોજનવેળા થતાં યુવરાજની સાથે ભોજન કરી લીધું. પણ ચિત્તમાં તો વિમળાનો સ્નેહ યાદ આવ્યા કરે છે. રા
વનમાં મુનિનો મેળાપ : યુવરાજની પાસેથી નીકળી પોતાના ઘેર ન જતાં ધમ્મિલ વનવગડાની વાટે. એકલો જવા નગરની બહાર નીકળી ગયો. કોઈ પૂછનાર પણ સાથે ન હતું કે ધમ્મિલ તું ક્યાં જાય છે? ધમિલનું ચિત્ત નિરાશાથી છવાયેલું હતું. મનમાં તાપ, અંતરમાં સંતાપથી ઘેરાયેલો, વિમળાના અતિસ્નેહથી હૈયામાં ઉકળાટ પણ વર્તાતો હતો. ચિત્તને સ્વસ્થ કરવા એકલો અટૂલો વનમાં જઈ રહ્યો હતો. વનના વૃક્ષની નીચે નિરાંતે વિચારતો બેઠો. ત્યાં તો દૂર સુદૂર મુનિ ભગવંતોને બેઠેલા જોયા. ભવ-અટવીમાં ભમતાં અને કર્મજાળમાં ફસાયેલા જીવોના વિશ્રામ સરખા મુનિમહાત્માને જોતાં ધમ્મિલ આનંદ પામ્યો. ૩. તે શ્રુતસાગરસૂરીશ્વરજી આચાર્ય ભગવંત હતા. ધમિલ તેમની પાસે પહોંચી ગયો. વિવેકી કુમાર દર્શન વંદન કરી યથાસ્થાને બેઠો. વૈરાગ્યરસમાં નિમગ્ન, નવદીક્ષિત દીપતા એવા બે મુનિભગવંત પણ સાથે હતા. તે પણ તેના જોવામાં આવ્યા. ૪ો. - શ્રુતસાગરસૂરિને વંદન કરીને ધમ્મિલ બેઠો છે. જ્ઞાની ભગવંતને વિવેકી કુમાર પૂછે છે, ભગવંત ! સાથે રહેલા આ અણગારોએ ભરયુવાનીમાં સંસાર કેમ છોડી દીધો? વૈરાગ્ય થવાનું કારણ શું?' અતિશય જ્ઞાનવંત સૂરિ મહારાજ બોલ્યા, હે ભદ્રે ! આ બંને મુનિએ સંસારના ભોગ.. રોગ સરખા જાણ્યા છે, સંસાર છોડી, સંયમમાર્ગ હમણાં સ્વીકાર્યો છે. તેમની વીતકકથા સાંભળ. //પા મદન અણગારની કથા:- કુશસ્થલ નામે નગરી છે. તે નગરીમાં મદન નામે મોટો વેપારી રહેલો છે. ઘણો ધનવાન છે. આ શ્રેષ્ઠીને બે સ્ત્રી છે. નામ છે ચંડા અને પ્રચંડા. જેવાં નામ છે તેવા જ ગુણો છે. વાણીવિચાર-વર્તન-વ્યવહાર પણ નામ પ્રમાણે છે.
આ બંને સ્ત્રીઓએ યોગી-યોગિણીની સેવા કરીને, ઘણી વિદ્યાઓ, મંત્ર-તંત્ર આદિ ઘણું જ્ઞાન મેળવ્યું છે. જાતજાતની વિદ્યાઓ શીખી છે. બંનેના સ્વભાવ ક્રોધવાળા છે. બંને ક્લેશને ધરનારી છે. સ્વભાવને નહીં જાણનારા આ શ્રેષ્ઠીએ તે બંનેની સાથે લગ્ન કર્યા. તેથી મદન શ્રેષ્ઠી બિચારો અત્યંત દુઃખી રહે છે. //ળી કહેવાય છે :- પરદેશ - કારાગૃહ કે નરકાવાસ સારો. પણ આ બે નારીના નાથની દશાં બૂરી. ક્યાંયે સુખની પ્રાપ્તિ થતી નથી. ટા
બંનેના ઝગડા-કકળાટ-ફ્લેશ-મારઝૂડથી કંટાળીને મદને નગરની બહાર નદીના કિનારે બે ઘર બનાવ્યાં. બંનેને અલગ અલગ ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી. તેથી ઝઘડા તો મટ્યા ને મદન પણ બંને સ્ત્રીઓના ઘરે એકાંતરે દિવસે વારાફરતી જાય અને શાંતિથી રહે અને સુખને ભોગવે છે. તેમાં એકદા કારણવશાત્ મદન પ્રચંડાના ઘરે બે દિવસ રહ્યો. બે દિન બે રાત્રિ રહીને ત્રીજે દિવસે ચંડાને ઘેર ગયો. /૧૦ના
ચંડા તે વખતે ચોખા મૂશળ (સાંબેલા)થી છડતી હતી. મદનને દેખીને ક્રોધે ભરાઈ. ગુસ્સો કરતી જાણે કાળકામાતા ન હોય તેવી લાગતી હતી. ગુસ્સામાં હાથમાં રહેલ મૂશળ મંત્રીને મદન તરફ ફેંક્યું. મદન હજુ બારણે આવીને ઊભો જ હતો. વિકરાળરૂપ જોઈને ડઘાઈ ગયેલ મદને જોયું કે મૂશળ નાંખ્યું છે. તેથી તરત જ ત્યાંથી પાછો નાઠો. બારણેથી જ રવાના થયો. ૧૧ મંત્રેલું મૂશલ નાખતાંની સાથે નાગરૂપે થઈ ગયું અને મદનની પાછળ નાગ દોડવા લાગ્યો. મદને પાછું વળીને જોયું કે મારી પાછળ નાગ આવી રહ્યો છે. મદન દોડતો નદી ઊતરીને પ્રચંડાના ઘરમાં પેસી ગયો. તે નાગ પણ મદનની પાછળ પાછળ પહોંચ્યો. ૧૨