________________
ખંડ - ૪ : ઢાળ - ૦
૨૬૧
સરોવરની પાળે જ ઊતર્યો. જે સાર્થ ઉજેણી તરફ જઈ રહ્યો છે. સાર્થના માણસો રસોઈ કરવા માટે કાઇ ઘાસ વગેરેની શોધમાં વનમાં ભમતા હતા. તેવામાં વૃક્ષની ડાળીએ બાંધેલી સ્ત્રી જોવામાં આવી. જોતાં જ તે સૌને ઘણી દયા ઊપજી. ને તરત જ તેનાં બંધનો છોડીને નીચે ઉતારી. અને પોતાના સાર્થવાહ પાસે લઈ આવ્યા. ૧૮.
સાર્થવાહને સોંપી. આટલા દિવસથી બંધાયેલી અને ભૂખી તરસી બિચારી સ્ત્રીને જોતાં સાર્થવાહે તેની સરભરા કરી. વસુદત્તા તે પછી કંઈક સ્વસ્થ થઈ. નિરાંતની પળે સાર્થવાહ ધીરજ આપી. આશ્વાસન પણ ઘણું આપ્યું અને પૂછ્યું. બેન ! આવી દશા કેમ થઈ? આ સાંભળતાં વસુદત્તાની આંખે શ્રાવણ ભાદરવો. શાંત થઈ. તે પછી પોતાનો સઘળો વૃતાંત ટૂંકમાં કહ્યો. સાર્થવાહે કહ્યું કે બેન ! હવે તું અહીં નિર્ભય છે. બીહવાની જરૂર નથી. આ તારા ભાઈ સમજજે. મારા સાર્થમાં તારે નિરાંતે રહેવાનું. મારું ઘર મારો તંબુ બધું તારું સમજજે. એમ કહીને તેના ખાવાપીવાની કપડાં વગેરેની બધી સગવડ કરી આપી. સાથે ત્યાંથી આગળ રવાના થયો. મીઠાં વચનોથી શાંત થયેલી વસુદત્તા સાર્થમાં જોડાઈ ગઈ. ૧લા તે સાર્થમાં સાધ્વી ભગવંતો પણ ઘણાં હતાં. વિહારમાં જંગલો વટાવવા માટે તે સાધ્વી મહારાજનાં ગુરુણી પૂ. સુવ્રતાશ્રી નામનાં મોટા સાધ્વી ભગવંત હતાં. જે ઉજ્જૈણી જીવિત સ્વામી પરમાત્માના દર્શનાર્થે જતાં હતાં. તે સાધ્વી મહારાજનો સંગ વસુદત્તાને થયો. તેમની પાસે જવા લાગી. તેમની પાસેથી સંસારની અસારતાનો બોધ પામી. અને નવું ભણવા લાગી. નવતત્ત્વ વગેરેના પાઠ કરવા લાગી. જેનાથી જ્ઞાનબોધ વધુ થવા લાગ્યો. પરંપરાએ મોક્ષ સુખને આપનાર ધર્મને સમજી, સાર્થપતિ એવા ધર્મબંધુની આજ્ઞા માંગી. મારે પ્રભુના માર્ગે જવું છે. મને રજા આપો. રજા મેળવી અને સુવ્રતા સાધ્વી પાસે પ્રવ્રજ્યા. દીક્ષા અંગીકાર કરી. ૨૦ની | ગુરુણીની સાથે વિહાર કરતાં સાર્થનો કાફલો ઉજેણી પહોંચ્યો. ત્યાં માતા પિતા બાંધવ વગેરે મળ્યાં. ગુરુણીની આજ્ઞા મેળવી પોતાની સર્વ હકીકત જણાવી અને સૌને પ્રતિબોધ પમાડ્યાં. તેમનાં સ્વજનો સૌએ આ સાંભળી, ધર્મનું શરણું લીધું. અનુમોદના કરતાં સૌ સમકિત પામ્યાં. મિથ્યાત્વનો મલ ધોવાઈ ગયો. વસુદત્તા સાધ્વીનો પણ દિનપ્રતિદિન સંવેગ વધી રહ્યો છે. તપ ત્યાગ ધ્યાનમાં રક્ત ઉગ્ર તપ કરવા લાગી. અનુક્રમે આયુનો ક્ષય કરી. વસુદત્તા સ્વર્ગે સિધાવી. ૨૧// આ રીતે ચોથા ખંડને વિષે ઢળકતી એવી છઠ્ઠી ઢાળ કહી. શ્રી શુભવીરની વાણી કેવી? અમૃતની નીક જેવી છે. તે ભાગ્યશાળીઓ ! રસાળ એવી શીખને ધારણ કરજો. આપમતિ સ્વચ્છંદતા છોડજો. કર્મજંજાળને છોડી છેવટે ઉજમાળ એવા શિવસુખને પ્રાપ્ત કરજો . /રરા
ખંડ - ૪ : ઢાળ - ૬ સમાપ્ત
-: દોહા :વાત સુણી વિમલા કહે, વાત ભણી ઘણી સાર, વળી નૃપશત્રુદમણ તણો, કહો બીજો અધિકાર ના - તવ જંપે કમલા ઈશ્ય, મુજ કેહેવાની હેવ;
શું નિરર્થકતા બોલવું, તુજ સુણવાની ટેવ રા રવિ ઉદયે વન કેલીએ, જો ધમિલ સહ જાય, તો એ વાત સુણાવીએ, કાજ સકલ સિદ્ધ થાય. llall