________________
૧૬
ધત્મિલકુમાર રાસ
એમ કહેતાં આકાશથી વિદ્યાધર નર એક, ઉતરીયો મરજાદથી, ધરતો વિનય વિવેક //પા. સપરિકરે જિનઘર જઈ, પ્રણમ્યા શ્રી જિનરાજ;
બેઠો સન્મુખ આવીને, વંદી તિહાં મુનિરાજ. lll તે મુનિભગવંતે સંસારની અસારતા, વિષયરાગના વિપાક રૂપ રૂપસેન સુનંદાની કથા કહી. સંભળાવી. ઉપદેશ પૂરો થતાં મુનિભગવંત વિરામ પામ્યા. તે ઉપદેશ સાંભળી અગડદત્તકુમાર, ચકોરપક્ષીની જેમ ઘણો આનંદ પામ્યો. ૧તે કહે છે કે “હે પ્રભુ ! આપનો ઉપદેશ સાંભળી મારો જન્મ સફળ થયો છે. જંગમતીર્થ સ્વરૂપ આપનાં દર્શનથી મારાં સઘળાં કાજ સિદ્ધ થયાં છે. //રા '
હે ગુરુ ભગવંત ! આપની કૃપાથી આ છએ બંધુ મારા ધર્મ બાંધવ મારા સાધર્મિક થયાં. અમે પણ સંયમ લઈને વિનયપૂર્વક ગુરુકુળવાસમાં વિચરશું. /all
હે ભગવંત! પણ મારી છેલ્લી ઇચ્છા છે કે હમણાં ઘેર જઈને માતાપિતાને નમસ્કાર કરીને, મારી ભાવના જણાવીશ. તેમની અનુજ્ઞા મેળવીશ. પિતૃકૃત જિનેન્દ્ર મહોત્સવે, (પિતાએ કરેલો દીક્ષા મહોત્સવ, જિનભક્તિ મહોત્સવ) આપના ચરણોમાં આપના હાથે હું સંયમને ગ્રહણ કરીશ. II૪ જયાં આ વાત ચાલી રહી હતી. તે જ અવસરે ગગનમાર્ગ થકી, કોઈ એક વિદ્યાધર નીચે ઊતર્યો. મર્યાદાપૂર્વક વિવેકયુક્ત પોતાના પરિવાર સહિત બાજુમાં રહેલા જિનમંદિરમાં ગયો. શ્રી જિનેશ્વર પરમાત્માની યથાયોગ ભક્તિ કરીને, બહાર આવ્યો. તે વિદ્યાધર વિવેક દાખવી, વંદન કરીને યોગ્ય સ્થાને પરિવાર સહિત ગુરુ સન્મુખ આવી બેઠો. પ+Ell
ઢાળ આઠમી.
(સાહેલડીયાં એ દેશી) અગડદર અણગારને, સુણો સંતાજી પૂછતો ધરી નેહ //ગુણવંતાજી ઉત્તમ પુરુષ એ કોણ છે? સુણો સંતાજી દાખો મુજને તેહ. ગુણવંતાજી |૧|| મુનિવર કહે અમ પુત્ર છે; સુણો સંતાજી રત્નચૂડ વર નામ; ગુણવંતાજી સાતે જણ ગુરૂપુત્રને, સુણો સંતાજી સુણી કરતાં પરણામ. ગુણવંતાજી મેરા રત્નચૂડ કહે કોણ તુમે, સુણો સંતાજી કહે સૂરિ વાત અશેષ; ગુણવંતાજી
ભાવ ચારિત્રિયા એ થયા, સુણો સંતાજી પામી અમ ઉપદેશ. ગુણવંતાજી ll વિંછે સાહાય એ તુમ તણું, સુણો સંતાજી શંખપુરી ઉદેશ; ગુણવંતાજી અમે પણ તિહાં વન આવસું, સુણો સંતાજી જાણી યોગ્ય વિશેષ. ગુણવંતાજી l૪ll. ખેટ કહે કહો તાતજી; સુણો સંતાજી ઉત્તમ નર એ દયાલ; ગુણવંતાજી આ સંસારે વ્રત ધરી; સુણો સંતાજી રેહેશે કેટલો કાલ ગુણવંતાજી |પો. સૂરિ કહે ખેટક સુણો, સુણો સંતાજી કમલસેના ધરનાર; ગુણવંતાજી તે સાથે વૈરાગ્યથી; સુણો સંતાજી લેશે સંજમ ભાર. ગુણવંતાજી llll