________________
ખંડ - ૩ : ઢાળ - ૩
૧૪૦
માધવને સર્પદંશ - ઘણો ઢંઢોળવા છતાં બ્રાહ્મણ ન જાગ્યો કારણ સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો. - માતાજીનો દીવો હતો. તે લઈને જોયું. પતિ મૃત્યુ પામ્યો છે. શરીર ઝેરના કારણે લીલુંછમ થતું ગયું છે. સમજી ગઈ કે જ્ઞાની ભગવંત કહે છે કે “આ નારીનાં કર્મની વિટંબના જુઓ. ન રાજાની રહી, ન બ્રાહ્મણપતિની રહી.” કામલતા બ્રાહ્મણી વિચારે છે...રે ! મેં તો બંને ખોયા. બંનેથી ગઈ. હવે મહેલે જઈને પણ શું કામ? રાજા મરાયો. જવાબ શું આપવો? લોકો જાણશે સવારે તો, મારે પણ મરવાનો જ વારો આવશે ! જીવ બચાવવા, સાથે જે ધન લઈને આવી હતી. તે ધન લઈને વન તરફ ભાગી. સવાર પડતાં ચોર લોકો મળ્યા. ધન લૂંટી લીધું. નારી લૂંટાઈ ગઈ. ૧૮.
કામલતા વગડાની વાટે :- વળી ખગ બતાવીને બીવડાવી. “ખબરદાર ! જો હવે આઘીપાછી થઈ છે તો હણી નાંખશું.” ચોરો આગળ પાછળ ચાલે. વચમાં આ નારીને રાખી. જંગલ વટાવીને
બળદેવ' નામે ગામ આવ્યું. ચોરોએ તે ગામમાં રહેતી વેશ્યાને ત્યાં વેચી. પૈસા ઊભા કર્યા. ધન આપીને વેશ્યા તે કામલતા સ્ત્રીને પોતાને ઘેર લઈ ગઈ. નાચ-ગાન-નૃત્ય વગેરે કળા શીખવીને પોતાના ધંધામાં તે સ્ત્રીને વેશ્યાએ પાવરધી કરી. ભોગી મનુષ્ય આવે છે તેને વેશ્યા, કામલતાની પાસે મોકલે છે. પોતે રૂપાળી છે. વેશ્યાનો ધંધો શું બાકી રહે ? ભ્રમર સરખા ભોગી મનુષ્યો ઘણા આવવા લાગ્યા. વેશ્યાનો ધંધો જોરદાર ચાલ્યો. ૧૯
વેશ્યાને ઘેર :- આ રીતે કામલતાએ વેશ્યાના ધનમાં ઘણો વધારો કર્યો. ઘણો કાળ વેશ્યાને ત્યાં કામલતાએ વીતાવ્યો. હવે આ બાજુ કેશવ (કામલતાનો પુત્ર) ઘણો સમય ગયો, પણ પોતાના પિતા પાછા ન આવવાથી ચિંતા કરવા લાગ્યો. તેમને શોધવા માટે કેશવ પોતાના ગામથી નીકળી. જુદા જુદા ગામમાં ફરતો ફરતો તે પણ આ જ બળદેવ ગામે આવ્યો. જ્યાં કામલતા રહેલી છે તે જ વેશ્યાના ઘરે વિશ્રામ લીધો. ૨વા કેશવ યૌવનવયે દેખાવડો છે. ધન-સંપત્તિ પણ ઘણી છે. ધનના સંયોગો ઘણા છે જાણી, વેશ્યાએ કેશવને પણ કામલતાની પાસે મોકલ્યો. રૂપ-યૌવનરસાલ એવાં બંને જણાં વિષયમાં આસક્ત ગળાબૂડ બન્યાં. ભોગોને ભોગવી રહ્યાં છે. પ્રેમવિલુદ્ધી વેશ્યા એક દિવસ બ્રાહ્મણ કેશવને પૂછવા લાગી. બંને વચ્ચે સ્નેહ-પ્રીતિ ઘણી છે. તે ભટ્ટ ! આ તમારો દેશ ગામ-નગર છોડીને પરદેશ-બીજા નગરે કેમ ભટકી રહ્યા છો ? /ર૧||
કામલતાએ પુત્રને ઓળખ્યો - વળી કયા ગામના વતની ? ક્યાં રહેવું? વગેરે કામલતા ગણિકા પૂછવા લાગી. ત્યારે કેશવે પોતાના ગામનું નામ દઈને મૂળથી અધિકાર સઘળી વાત કહી. વાત સાંભળી ગણિકા મનમાં મૂંઝાણી. અરેરેરે ! મેં પાપિણીએ શું કર્યું? પુત્રની સાથે ભોગ ભોગવ્યા. સંભોગ કર્યા. રે! એનું હૈયું કંપી ઊઠ્યું રે ! મેં આ શું કર્યું? Il૨૨ અરે ! ઓ પ્રભુ ! આ અઘોર પાપે હું ક્યાં જઈશ? મારી શી દશા થશે? દુર્ગતિ તો નક્કી છે. હવે જીવીને પણ શું કામ છે? આ કાયાથી આવાં ભયંકર પાપ ! આ કાયાને જ અગ્નિમાં ફૂંકી મારું રે ! આ જીવવાથી સર્યું? આમ વિચારીને પુત્રને કહેવા લાગી ! “આ ભવમાં તો તને તારા પિતાનો મેળાપ થવાનો નથી. કારણ કે સર્પદંશથી મૃત્યુ પામ્યા છે. તે હું જાણું છું. (કહેતી નથી કે હું તારી મા છું) હવે ઘેર ચાલ્યો જા. ભટકીશ નહીં. //૨all
અગ્નિસ્નાન :- કેશવે પણ કંઈ આગળ ન પૂછ્યું. પિતાની વાત સાંભળીને તે ત્યાંથી રવાના થયો. પોતાના ગામ ચાલ્યો ગયો. આ બાજુ કામલતા પણ સાંજ પડતાં યમુના નદીના કિનારે જઈ પહોંચી. લાકડાં એકઠાં કરી ચિતા તૈયાર કરી. પછી યમુના નદીમાં નાહીને પવિત્ર થઈ, પછી તે ચિતા