________________
૧૩૮
ધમિલકુમાર રાસ
કામિનીનો સંગ પતંગિયાના રંગ જેવો છે. નદીના પૂરની જેમ પ્રેમ ઉભરાય ને પળવારમાં ઓસરતાં (ઊતરતાં) જરાયે વાર લાગતી નથી. માટે જ કવિ ભદ્રસેન કહે છે કે તે સંગ તપથી છોડી શકાય છે. બાકી છોડી શકાતો નથી. /લા એકને હૈયામાં ધારણ કરે, એકની પાછળ દોડે, એક પતિ હોય છતાં બીજો પતિ કરે છે. જે મળે તેને પ્રેમપૂર્વક એમ કહે કે “હું તો તારી જ છું. તારા પગમાં પડું છું.” ભદ્રસેન કવિ કહે છે કે આવી સ્ત્રીનો વિશ્વાસ કરવો નહીં. કેટલાયે પતિ ર્યા હશે અને કેટલાયને વળી પતિ કરશે. રે મૂઢ ! રે મન ! સ્ત્રીઓના વિચાર કરતાં, એના સંગથી સર્વ વાત બગડે છે. રા.
- સ્ત્રીનાં ચરિત્ર એક લાખ હોય, વળી તેમાં બેઠી બેઠી બે લાખ જોડે. દિવસે દોરડાથી બીએ અને રાત્રે વિષધરની ફણાને મોડી (મરડી) નાંખે. ઉંદર દેખીને ડરથી ઊછળે અને સીમાડે જઈ વાઘને ફાડી નાંખે. શય્યામાં (ખાટલા) ચઢતાં લથડે. ડુંગર ઉપર સડસડાટ ચડી જાય. સૂકી નદીમાં જાણે ડૂબી મરતી હોય તેવું દેખાડે, અને પોતાના સ્વાર્થે સાગર પણ તરી જાય. કવિ ગંગ કહે છે કે હે ઠાકરો ! સ્ત્રીનાં ચરિત્ર આવા જુદા જુદા પ્રકારનાં હોય છે. llall • પૂર્વઢાળ ચાલુ -
આ દૃશ્ય જોઈને પાંચે ચોરો વિચારે છે કે રાજકુંવરને એની સ્ત્રીએ જીવતાં છતાં મૂઓ કરેલો છે. તો હવે આ મડદાલને શું મારવો? કંઈ મારવા જેવો નથી. ચાલો...આપણા ઘેર. પાંચેય રવાના થઈ ગયા. ૩૧. જ્યારે આ બાજુ વંઠેલી સ્ત્રીની સાથે વાતો કરતાં કુમારની રાત્રિ પૂરી થઈ. પ્રભાત થતાં કુમાર સ્ત્રીને લઈને નગરીમાં પોતાના મહેલે ગયો. /૩રા
પાંચેય બંધવચોર સ્ત્રીચરિત્રનો વિચાર કરતા કરતા જઈ રહ્યા છે. ખરેખર ! સ્ત્રી એ શોકરૂપી સરોવરની પાળ છે અને દુઃખરૂપી વનને વિકસાવવામાં મેઘ સમાન છે. ૩૩ કપટની વિકટપેટી છે. દુઃખદરિદ્રની ખાણ છે. જે કુમારે પોતાનું તન-મન-ધન સર્વસ્વ સોંપ્યું, તેનો જ ઘાત કરનારી આ સ્ત્રી થઈ. ૩૪આ લોકનો કે પરલોકનો જરા પણ વિચાર આ સ્ત્રીએ ન કર્યો. પોતાના કુળની લજા છોડી, જેણે પોતાના પ્રાણને ય તૃણ સમ ગણ્યા, તેવા કુમારની સાથે આ સ્ત્રીએ કેવું અકાર્ય કર્યું ? જરાય ડરી નહિ. ૩પી. - ધિક્કાર છે રે - આ સંસારને - મર્યાદાનાં બંધન છતાં રાણી રાજાની ન થઈ. તો અમારે ઘરે તો ભીલડી છે. જેને કોઈ પ્રકારનું બંધન નથી. કોઈ જ્ઞાન પણ નથી. તો તે પણ એક દિવસ આ રીતે ઘાતક બને. વિના મોતે મરવું પડે. ધિક્કાર છે રે ! આવી સ્ત્રીઓને ! અને આ અમારા સંસારને...
૩ી ધિક્કાર છે...ધિક્કાર છે ! વિષયોમાં ડૂબેલા જીવોને. આ સંસારમાં સુખ છે, આવું માનીને સંસારમાં પડ્યા રહેવું તે હવે સહેજ પણ ઉચિત નથી. યોગ્ય નથી. પાંચેય બંધવો વૈરાગ્ય પામ્યા. /૩૭
પાંચ ચોરનો ગૃહત્યાગ :- ચિત્તમાં ઉદાસીનભાવને ધારણ કરીને પોતાનાં ઘરબારનો ત્યાગ કર્યો. (ઘરે જ ન ગયા) યમુના નદીમાં સ્નાન કરીને યમુના નદી ઊતરીને મથુરા નગરીમાં પહોંચ્યા. /૩૮ શ્રી શુભવીરની વાણીમાં ભીંજાયેલા ભિલ્લ રાજાઓ (પાંચેય ભિલ્લ બાંધવો) મથુરા પહોંચ્યા. ત્રીજા ખંડને વિશે રસથી ભરપૂર આ બીજી ઢાળ કહી. વિશેષ આગળ શું બને છે તે હવે સાંભળો. ૩લા.
તૃતીયખંડની ઢાળ : ૨ સમાપ્ત