________________
ધમ્મિલકુમાર રાસ
આ રીતે મંજરીને સજીવન થયેલી જોઈને કુંવર આશ્ચર્ય પામ્યો. અને તે બંને વિદ્યાધરને કહેવા લાગ્યો. “મારા પુણ્યોદયથી તમે અહીં પધાર્યા અને મારી ઉપર તમે મોટો ઉપકાર કર્યો છે. ઉપકાર હવેશ્યુ ભૂલાય ? ।।૨૨।। હે મહાનુભાવ ! પરોપકારમાં રસિક એવા તમોને ધન્ય છે. મા૨વાડનાં લોકોને કલ્પવૃક્ષની છાયા દુર્લભ છે. તેમ તમારા જેવા (વિદ્યાધરના) ઉત્તમ-જનોનાં દર્શન દુર્લભ છે. ।।૨૩।
મેઘ-નદીનાં પાણી - વૃક્ષનાં ફળો, આકાશમાં રહેલા સૂર્ય-ચંદ્ર, તમારા સરખાં મનુષ્યો...વગેરેને વિધાતાએ આ પૃથ્વી ઉપર ધારણ કર્યાં છે. તેથી તો જગતમાં તે (પૃથ્વી) રત્નગર્ભા નામને ધારણ કરે છે. ।૨૪। ત્યારે વિદ્યાધર કહેવા લાગ્યો કે “ભાઈ ! અમે લેશમાત્ર તારી ઉપર ઉપકાર કર્યો નથી. ખેડૂત પોતાના સ્વાર્થ માટે ખેતી કરે છે અને તે ધાન્યથી જગત જીવે છે અમે પણ અમારા આત્માના કલ્યાણ માટે માનવધર્મ બજાવ્યો છે.” ॥૨૫॥
૧૧૮
આમ કહી વિદ્યાધરો આકાશમાર્ગે ચાલ્યા ગયા. કુંવરે પણ પ્રિયાનો હાથ પકડી ઉઠાડી. મંજરી ગાઢ અંધકારમાં મંદ મંદ ગતિએ કુંવરનો હાથ પકડી ચાલવા લાગી. ॥૨૬॥
કામદેવના મંદિરે ઃ- બંને જણાં કામદેવના મંદિરે ગયાં. ત્યાં કુંવરે પોતાનું વસ્ત્ર પાથરીને મંજરીને સુવાડી. મધ્યરાત્રિ વીતી ગઈ હોવાથી ઠંડી લાગી રહી હતી. જેથી મંજરી બોલી કે “હે નાથ ! હું ઠંડીથી ઠરું છું. મને ધ્રુજારી આવે છે.” ।।૨૭ાા ત્યારે કુંવર તેને એકલી સુવડાવીને વનમાં ગયો. અરણિનાં લાકડાં ઘસીને અગ્નિ પ્રગટ કર્યો. તેની મશાલ એક હાથમાં રાખી. આજુબાજુથી બીજાં લાકડાં ભેગાં કરી ભારો (નાનો) કરીને બીજા હાથમાં તે ભારો લીધો. ૨૮
અતિ ઉતાવળી ગતિએ પ્રિયાની પાસે આવી ગયો. ત્યાં દૂરથી કામદેવના મંદિરે પ્રકાશ દેખાયો. દીવા સ૨ખી જ્યોત જોઈ, અને બુઝાતી પણ જોઈ. ॥૨૯॥ કુમાર મંદિરમાં આવીને પૂછવા પણ લાગ્યો. “પ્રિયા ? અહીં પ્રકાશ ક્યાંથી દેખાયો ?’ તેણી પણ કહેવા લાગી કે “તમે આવતા હતા, ત્યારે તમારા હાથમાં રહેલ અગ્નિ ઝળક્યો હશે. તેનો પ્રકાશ તમને દેખાયો હશે. II3II
તેની આભા જ ઉજ્જવલ ભીંત ઉપર પડતી જોઈ હશે. હે વાલમ ! અન્ય કોઈ કારણ તો જણાતું નથી.” “રાગી પુરુષ દોષને જોઈ શકતો નથી.” તેવો સામાન્ય નિયમ છે. એટલે પ્રિયાએ જે કહ્યું તે સાંભળી, સજ્જન એવા કુંવરે વાત સત્ય માની લીધી. II૩૧॥ અને પોતાના હાથમાં રહેલી તલવાર પ્રિયાના હાથમાં આપી અને વહાલી પત્નીની શીત ઉડાડવા માટે, વાંકો વળીને અગ્નિ ધમી રહ્યો છે. II૩૨।।
તે સમયે કોષમાંથી ખડ્ગ બહાર જઈને દૂર પડ્યું. મેઘમાંથી જેમ વીજળી ઝળકે ને શબ્દ સંભળાય, તે રીતે પોતાની ખડ્ગનો અવાજ કુંવરને સંભળાયો. ।।૩૩।। વિક્ષોભ પામીને કુંવર એકદમ ઊભો થઈ ગયો અને પૂછવા લાગ્યો કે “આ તલવાર તારા હાથમાંથી કેવી રીતે પડી ગઈ ?' ત્યારે મંજરી કહેવા લાગી...હે સ્વામીનાથ ! ઠંડીથી હાથ ધ્રૂજવાથી આ તલવાર કોષમાંથી પૃથ્વી ઉપર પડી ગઈ. જુઓ ! મારો હાથ કેટલો ધ્રૂજે છે. II૩૪/
સ્વામી ! પકડવા માટે ઘણો પ્રયત્ન કર્યો. પણ ઠંડીથી શરીર ધ્રૂજી રહ્યું છે. ને હાથ ઠરી ગયા છે. તેથી રહી હાથમાં નહીં ને નીચે પડી. II૩૫।। રાગથી રંજિત કુંવરે માની લીધું કે તેની વાત સાચી છે. અને પછી કુંવરે તેના હાથમાંથી ખડ્રગ લઈને મ્યાનમાં મૂકી અને વળી પાછો અગ્નિ સળગાવીને, પ્રિયાની ઠંડી દૂર કરી. વળી ચતુરાઇથી વાતો કરી, પ્રિયાને રીઝવતો હતો અને ચિત્તમાં આનંદ માનતો હતો. આ રીતે બાકી રહેલ રાત્રિ વ્યતીત કરી. ।।૩૬।।