SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૨ : ઢાળ - ૯ ૧૧છે. માર્યો અને મંજરીએ એકદમ ઉંઘમાંથી જાગીને ત્રાડ પાડી. “મને સર્ષે ડસી ડસી.” એ પ્રમાણે રાડો પાડવા લાગી. IIી કુંવર પણ સફાળી જાગી ગયો. શીધ્ર રથમાંથી નીચે ઊતર્યો. તો અંધારી એવી રાત્રિની અંદર મસ્તકે મણિવાળા સર્પને જોયો. IIણા એકદમ વિષ વ્યાપ્ત થવાથી તે મંજરી તરત મૂછ પામી. આવી દશા પ્રિયાની જોઈને કુંવર શોક કરવા લાગ્યો. વાઘને દેખીને છાગ (બકરા)ની જેવી હાલત થાય તેવી હાલત કુમારની થઈ. તે પણ ત્યાં મૂછ પામ્યો. વનમાં મંદમંદ શીતળ પવનની લહેરીથી કુંવરની મૂછ તો વળી. પણ પ્રાણપ્રિયાની મુછ ન વળી. ઘણાં ઉપચારો કર્યા. લા. મંત્રતંત્રાદિ પ્રયોગ અજમાવ્યા. પણ કંઈ અસર ન થઈ. અચેતન મૃતક સરખી, એવી તેણીના નાકના શ્વાસોચ્છવાસ જોવા લાગ્યો. તે જોતાં પણ બંધ હતા. ll૧ના મોહમુગ્ધ કુમાર તેણીને ખોળામાં લઈને, જેમ કોઈ વિરહિણી સ્ત્રી પોતાના પતિને સંભારી રુદન કરે, તેવી રીતે કુંવર રુદન કરવા લાગ્યો. /૧૧l. હા ! હા ! મારી પ્રાણપ્રિયા ! આ વનવગડામાં એકલો મને રખડતો મૂકીને તું ક્યાં ચાલી ગઈ? આ વિશાળ રાજય, આ બધા ભોગો, હવે તારા વિના મારે શા કામના ? તું સમજી લેજે કે, મારા પ્રાણ તારી સાથે જ છે. /૧રી લક્ષ્મી સરખી રૂપવાળી હે ચંદ્રમુખી ! તારા વચનામૃતનું મને પાન કરાવ! એકવાર તો તું બોલ ! તું વારંવાર તારાં દક્ષ એવાં નેત્રકટાક્ષને કરતી હતી, તે તું હમણાં ક્યાં ગઈ ? હે હંસગામિની ! તું શું મારી સાથે રિસાઈ ગઈ છે? I૧૩ અરે ! જો તું ઉત્તર નહીં આપે તો હું પણ મરીશ. રે ! મારા જીવિતવ્યને ધિક્કાર હો ! હે મૂઢ હૃદય ! મારી પ્રિયા લાંબી વાટે ચાલી ગઈ, છતાં તું કેમ ફૂટી જતું નથી ? I/૧૪ll અથવા રે ! અધિક વિલાપ કરવા વડે કરીને શું ? પ્રાણપ્રિયા સાથે કાષ્ઠમાં પ્રવેશ કરી હું પણ અગ્નિમાં બળી મરું. જેથી મારાં આ દુ:ખો અને ક્લેશ દૂર થઈ જાય. /૧૫l - ચિતાની તૈયારી :- એમ વિચારીને આજુબાજુથી લાકડાં એકઠાં કરી ચિતા તૈયાર કરી. તેમાં મંજરીને સુવડાવી. પછી કુમાર અગડદત્ત વનદેવતાને પ્રાર્થના કરવા લાગ્યો કે, “હે વનદેવતા ! પરભવમાં પણ અમે બંને સ્ત્રી ભરથાર હોજો .” એમ કહી. હાથમાં અગ્નિ લઈને ચિતામાં પ્રવેશ કરવા જાય છે, ત્યાં જ ચમત્કાર સર્જાયો). તે જ સમયે આકાશમાંથી બે વિદ્યાધર ઊતરી આવ્યા. /૧૬-૧૭થી વિધાધર યુગલ :- કહેવા લાગ્યા કે “હે ધીરપુરુષ ! કાયર પુરુષને યોગ્ય આવું સાહસ તું ન કરીશ. અમારી વાત સાંભળ. “આ ભરતક્ષેત્રના બે ભાગ કરનાર જે વૈતાઢયપર્વત રહેલો છે તેની ઉપર “રથનૂપુર' નામનું નગર છે. તે નગરના અમે બે વિદ્યાધરો છીએ. /૧૮. સમેતશિખરની યાત્રા કરીને, પાછાં ફરતાં આ વનમાં થઈને અમે જઈ રહ્યા હતા. ત્યાં અગ્નિચિતામાં મનુષ્યને અગ્નિપ્રવેશ કરતો જોઈને અમે અહીં આવ્યા. ૧૯તા. અવિવેકીને યોગ્ય એવું આ તારું આચરણ છે? આવું કેમ કરે છે? ભાઈ ! જે હોય તે સત્ય વાત કહે.” અકસ્માત આવીને આ રીતે અટકાવનાર બે વિદ્યાધરનાં અમૃતમય વચન સાંભળીને, કુંવરે ટૂંકમાં મૂળથી સર્વ હકીકત કહી અને સર્પથી વંશાએલી પોતાની પ્રિયાને ચિતામાં સુવાડેલી બતાવી. ૨૦ કુંવરની વાત સાંભળીને, બંને વિદ્યાધરોએ મંત્રવિદ્યા ભણીને તે જલ સ્ત્રીની ઉપર છાંટ્યું. એટલે તરત મંત્રના પ્રભાવે નયનકમળને વિકસાવતી બેઠી થઈ. આશ્ચર્યથી જોવા લાગી. ૨૧
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy