________________
ધમ્મિલકુમાર રાસ એ ગુણવંત સુપાત્રને, આપી ધન ઘરબાર; પવન જલદાયક તણો, વાળું પ્રતિ ઉપગાર. Hall ગુણરંજિત તસ્કર કહે, સાંભળ રાજકુમાર; હું મૂરખ પણ તુજ ગુણે, રીઝયો ચિત્ત મઝાર. ૪ અજિત હું તે જીતીયો, તુજ બલ ધૈર્ય ધન્ય; હું તુક્યો તુજને કહુ, છેલ્લું સત્ય વચન. //પા. સન્મુખ ગિરિ મધ્યે જતાં, વામ દીસે નદી દોય; તિહાં મંદિર છે જક્ષનું, પણ નર વસ્તી ન કોય llll ચૈત્ય થકી ડાબી દિશે સજીત શિલ્લા એક; વામ દિશે દૂર કરી, ભૂમિધર છે છેક. II જયસુંદરી મુજ વલ્લભા, રૂપે રંભા સમાન; મેં તુજને આપી મુદા,નારી સદ્રવ્ય નિધાન. . મુજ મરણે પરજાલીને, કરજો સઘલું હાથ;
એમ કહેતાં તે મરણ લહ્યો, દીયે અગનિ મહિનાથ. Iકા દુર્યોધનનો પશ્ચાત્તાપ - કુમારના કૃપા-દયા ગુણે કરીને, સ્વસ્થ થયેલો ચોર હવે હૈયામાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો. રે ! હા ! હા! કરુણાની ખાણ અને ગુણના ભંડાર એવા તેને (કુમારને) ધન્ય છે. હું શત્રુ છતાં મારી ઉપર કેવી દયા ! કેવી કરુણા ! મારાં અવતારને ધિક્કાર હો. મેં મારું જીવન પાપકાર્યમાં પૂરું કર્યું. પાપીઓનું મરણ અકાળે જ હોય છે. હિંસા-ચોરી-વ્યભિચાર-આદિ અત્યાચારને દુરાચાર સેવીને મેળવેલી આ અઢળક લમી-સાધન-સામગ્રી શા કામની? ભોગવવાની વાત જ
ક્યાં? આ સર્વ છોડીને મારે જવાનો વારો આવ્યો. મેં પાપ કરવામાં પાછુ ફરીને જોયું નથી. પાપથી લક્ષ્મી-પ્રિયા વગેરે મને કોઈ બચાવી શકવાના નથી. રે ! પરલોકમાં મારું શું થશે ? મારી ગતિ શી? પશ્ચાત્તાપ પારાવારનો કરે છે. [૧] અરે ! પ્રભુ ! માર્ગે જતાં મુસાફરોને વિશ્વાસમાં લીધાં અને મેં મારા મહેમાન બનાવીને મારી નાંખ્યાં. વળી બાળ-વૃદ્ધ ધર્મી-નારી વગેરે ઉત્તમજનોની હત્યા કરી, છેતર્યા પણ ખરા. ને ઢગલાબંધ પાપ મેં બાંધ્યાં. રા
પરભવે મારે શી ગતિ થશે? હે ભગવાન! મને કોણ બચાવશે? પસ્તાવો કરી રહ્યો છે. “રાંડ્યા પછી ડહાપણ શા કામનું?” કુમાર તો મહા ગુણવાન છે. અને યોગ્ય છે. તે મારા ભેગાં કરેલાં સાધનસામગ્રી, ધન-પ્રિયા-ઘરબાર સર્વે તેમને અર્પણ કરું. મરતાં મને એવા આ પરગજુએ પાણી પવન આપીને ઉપકાર કર્યો છે. તેનો બદલો વાળું. lal આ રીતે રાજકુંવરના ગુણોથી રંજિત થયેલો ચોર સૂતાં સૂતાં કહેવા લાગ્યો કે હે ગુણવંત ! હે રાજકુમાર ! સાંભળ. હું મૂર્ખ છું. પણ તારા ગુણોથી મારા ચિત્તમાં પ્રસન્નતા વ્યાપ્ત થઈ છે. //૪ll.
તારું બળ અને વૈર્ય પ્રશંસવા યોગ્ય છે. અજિત એવા મને તમે જીતી લીધો. પણ તારા ગુણો