________________
ધર્મિલકુમાર રાસ
“બાવળિયા અને બોરડી વાવીને જે તેને મોટાં કરે છે અને તેના કાંટા તેને જ પીડા કરનારા થાય છે. તેમ કાંટાની જેવો હું પણ થયો.” ।।૭।ા કુળ પ્રત્યે મશીના કૂચડા સરખો તેમજ સર્પ જેવો હું થયો છું. (સર્પને દૂધ પીવડાવી ઉછે૨વામાં આવે તો પણ ઝેર જ ઓકે છે તેમ) જગતની અંદર ચંદન સરખા પુત્ર જે હોય તે ઘસાતાં સુગંધ આપે છે. ફૂલ પોતે કમાઇ જઈને સુગંધ આપે છે. અર્થાત્ પુત્ર મોટા થઈ માતપિતાની કીર્તિ વધારે છે. ૫૮
૮૪
બાળકનો જન્મ એ માતાને પીડાકારક હોય છે. (પ્રસૂતિની પીડા હોય છે) તો વિધાતાએ શા માટે “પુત્ર” એ પ્રમાણેનું નામ ફોગટનું કર્યું હશે ? ।।૯। હું જન્મથી ઘરે હતો. ત્યારે પણ માતપિતાનાં દુઃખનું કારણ બન્યો. હમણાં દેશાંતરમાં રહ્યો છું. તો પણ આ દુરાત્માએ તેમને દુઃખી કર્યા ? ।।૧૦।
હંમેશાં મને એક જ આશ્ચર્ય હતું કે અવિનીત છતાં હું સુખ અને સમૃદ્ધિને પામ્યો છું ! પણ ના, આજે મને સમજાયું છે કે તે મારાં માતાપિતા મને યાદ કરે છે. અને અંતરના આશીર્વાદ આપ્યા જ કરે છે. દુભાયેલાં માતા-પિતા સંતાનના હિતને જુએ છે. તેમના આશીર્વાદથી હું સુખી છું. I॥૧૧॥ આમાં કૌતુક કંઈ નથી. માછલીનાં સ્મરણથી મીનયુગલ જીવે છે ને ! સર્પિણી તેના બચ્ચાને આલિંગન કરીને અને કાચબી તેનાં બચ્ચાંની સામે દૃષ્ટિ રાખીને, તેના બચ્ચાને જીવન આપે છે. તો તેમ તેમની કૃપામાત્રથી હું સુખી છું. આ પ્રમાણે પશ્ચાતાપ કરતાં દુ:ખથી હ્રદયનો ઊભરો ઠાલવ્યો. ।૧૨।।
ન
કુમારની મનોવ્યથા :- ત્યારે સુવેગ કહેવા લાગ્યો કે “કુમાર ! ઘણો ખેદ ન કરો. માતાપિતાને કોઈ પુત્ર દુઃખદાયક ન હોય પણ એનામાં જે દોષ રહેલો છે તે દુઃખકારક છે. ૧૩। કહ્યું છે કે “જગતમાં પોતાના શરીરથી અધિક લક્ષ્મી, તેથી અધિક પ્રિયા, તેથી વધારે વ્હાલો પુત્ર હોય છે અને તેથી ય વિશેષ છેલ્લે સમયે તો ધર્મક્રિયા વહાલી હોય છે.” એવો સામાન્ય નિયમ છે. ।।૧૪।
પિતાએ તમને દેશવટો આપ્યો. તે તો તમારા પુન્યની કસોટી કરવા માટે આપ્યો. ખરેખર ! જે થયું તે સારા માટે થયું છે. અહીં આવતાં તમારો ભાગ્યોદય થયો અને હે સુવિનીત ! આ પરદેશની અંદર તમે કેટલા ગુણોની શ્રેણી મેળવી છે એ તો જુઓ. ।૧૫।। અરે ! તમારા ગુણો સાંભળીને રાજાને પ્રમોદ (આનંદ) પ્રગટ્યો છે. આનંદ આનંદ થઈ ગયો છે. તમે પણ આનંદિત થાવ. સુગંધી ચંદન પામીને કોને આનંદ ન થાય ? અર્થાત્ બધાને આનંદ થાય. ॥૧૬॥
જગતમાં પણ લોકો મેલાં વસ્ત્રોને છોડી દે છે ને ! યારે તે ધોબીનાં ઘરે ફૂટાઇને, (ધોકાઇને) ધોવાઈને તડકે તપે છે, ત્યારે કેવાં ઉજજવલ થાય છે અને એવાં નિર્મલવસ્ત્રો પ્રભુપૂજાના અવસરે પણ કામ આવે છે ને ? ।।૧૭।ા કુમાર ! તમે ચાલો. માતાપિતા પાસે આવશો તો તમારા દર્શનરૂપી મંદમંદ વાયુની શીતલ લહેરથી (શીતલ વાયુથી) પિતાના હૃદયનો તાપ દૂર થશે. તમારા મુખચંદ્રને તે જોશે, તેમનાં નયનો અમૃતરસથી પારણું ક૨શે. અર્થાત્ તમારું મુખદર્શન કરવાને માતાપિતા અતિ ઉત્કંઠિત છે. ।।૧૮।।
શંખપુરીનાં લોકો પણ તમને જોવાને આતુર થયાં છે. ગાંડાધેલાં થયાં છે. એક ક્ષણ પણ જાણે સો વરસ જેવી થઈ છે. હવે તમને અધિક શું વિનંતિ કરીએ ? હવે જલદી પધારો. ।।૧૯। આ પ્રમાણે વતનની સ્થિતિ સાંભળીને કુંવરનું હૃદય પિતાને મળવાને માટે આતુર થયું. દેશ અને ગામની યોગ્ય વ્યવસ્થા કરીને, તેના અધિકારીઓ વગેરેની નિમણૂંક કરી. તેનાં લેખિત નામો વગે૨ે તૈયાર કર્યા. ૨૦