SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ (૧) આતંક એટલે તાવ વગેરે રોગ થયો હોય, ત્યારે ભોજન ન કરે. કેમકે પ્રાયઃ ઉપવાસ કરવાથી તાવ વગેરે રોગોનો નાશ થાય છે. કહ્યું છે કે – પવન, શ્રમ, ક્રોધ, શોક, કામ, ઘાથી ઉત્પન્ન થયેલ સિવાયના બાકીના જ્વર આદિનું બળ લાંઘણથી નાશ પામે છે. - (૨) દેવ, મનુષ્ય, તિર્યંચો વડે કરાયેલ ઉપસર્ગોની તિતિક્ષા એટલે સારી રીતે સહન કરવા માટે ભોજનનો ત્યાગ કરે. ઉપસર્ગો અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારે છે. તેમાં માતા, પિતા, સ્ત્રી વગરના સ્વજનોએ કરેલ ઉપસર્ગ અનુકૂલઉપસર્ગ છે. તેઓ સ્નેહ વગેરેના કારણે દીક્ષા છોડાવવા માટે ચારેક આવે, ત્યારે આ ઉપસર્ગ છે એમ માની ભોજન ન કરે. કેમકે તેઓ સાધુને ઉપવાસ કરતા જોઈ, સાધુનો નિશ્ચય જાણીને મરણ વગેરેના ભયથી સાધુને છોડી દે. - ગુસ્સે થયેલ રાજા વગેરે દ્વારા કરાયેલ ઉપસર્ગ પ્રતિકૂળઉપસર્ગ છે. તેમાં પણ ભોજન ત્યાગ કરે. સાધુને ઉપવાસ કરતા જોઈ, રાજા વગેરે પણ દયા આવવાથી પ્રાયઃ છોડી દે. (૩) બ્રહ્મચર્યગુપ્તિના પાલન માટે એટલે મૈથુનવિરમણવ્રતની રક્ષા માટે ઉપવાસ કરે. કેમકે ઉપવાસ કરવાથી કામવાસના ઘણી દૂર થાય છે. કહ્યું છે કે, ‘આહાર વગરના આત્માની વિષયવાસના દૂર થાય છે.’ (૪) પ્રાણિદયા એટલે જીવદયાના રક્ષણ માટે. વરસાદ પડતો હોય, ધુમ્મસ હોય, સચિત્ત રજની વૃષ્ટિ થતી હોય, ઝીણી ઝીણી દેડકીઓ, મસી, કુંથવાં વગેરે જીવાતોવાળી જમીન ૫૨ જીવદયા માટે ફરવાનું છોડીને ભોજન ન કરે. (૫) ત૫ ક૨વા માટે એટલે એક, બે, ત્રણ ઉપવાસથી લઈ છ મહિના સુધીના ઉપવાસ કરે, ત્યારે ભોજનનો ત્યાગ કરે. (૬) શરીરના વ્યવચ્છેદ એટલે અનશન કરે ત્યારે. શિષ્યો બનાવવા માટે સમસ્ત પોતાની ફરજ પૂરી થયા પછી પાછલી વયમાં સંલેખના કરવાપૂર્વક જાવજીવના અનશનનું પચ્ચક્ખાણ કરવા યોગ્ય આત્માને કરીને ભોજનનો ત્યાગ કરે. શિષ્ય બનાવવા વગેરે ફરજો પૂરી કર્યા વગર યુવા કે પ્રૌઢ અવસ્થામાં શરીર ત્યાગ માટે અનશન પચ્ચક્ખાણ કરવાથી જિનાજ્ઞા ભંગનો પ્રસંગ આવે છે. સંલેખના વગર અનશન,કરે, તો આર્ત્તધ્યાન વગેરેનો સંભવ છે. કહ્યું છે કે ‘શરીરની સંલેખના કર્યા વગર એકદમ અનશન સ્વીકારી લેવાથી અચાનક ધાતુઓનો ક્ષય થાય છે, તેથી છેલ્લા સમયે જીવને આર્તધ્યાન થઈ જાય છે.’ આવા કારણોની વિચારણા આગળની જેમ જ સમજવી. (૭૩૮) પાણી અને ભોજનની સાત એષણા : संसद्ध १ मसंसट्टा २ उद्धड ३ तह अप्पलेविया ४ चेव । उग्गहिया ५ पग्गहिया ६ उज्झियधम्मा ७ य सत्तमिया ॥ ७३९ ॥ (૧) સંસૃષ્ટા, (૨) અસંસૃષ્ટા, (૩) ઉદ્ધૃતા, (૪) અલ્પલેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા અને (૭) ઉઝિતધમાં - એ સાત ગ્રહણૈષણા છે. સિદ્ધાંતની ભાષામાં પિંડને ભક્ત કહેવાય છે. તેને ગ્રહણ કરવાના પ્રકાર તે પિંડૈષણા. તે સાત પ્રકારે છે. (૧) અસંસૃષ્ટા, (૨) સંસૃષ્ટા, (૩) ઉદ્ધૃતા, (૪) અલ્પલેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા, (૭) ઊતિધર્મા. આ સાતે એક બીજાથી ઉત્તરોત્તર અતિ વિશુદ્ધ હોવાથી – આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. ગાથામાં જે પહેલા સંસૃષ્ટા લેવામાં આવી છે તે ગાથાના છંદભંગના ભયથી લીધેલ છે. સાધુઓ બે પ્રકારના છે. ગચ્છવાસી ૧૫૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy