SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણાદ - ૪ 'श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ પૂતિરૂપ હોવાથી છોડી દેવી. અર્થાત્ શુદ્ધ આહારમાં આધાકદિ આહારનું મિશ્રણ તે પૂતિકર્મ. ૪. મિશ્રાતઃ કુટુંબનો વિચાર તથા સાધુનો વિચાર કરી બન્ને ભાવ મેળવી જે રસોઈ વિગેરે રાંધી હોય, તે મિશ્રજાત. તે ત્રણ પ્રકારે છે. . ૧. યાવદર્થિક, ૨. પાંખડીમિશ્ર, ૩. સાધમિશ્ર. ૧. દુષ્કાળ વિગેરેના ટાઈમે ઘણા ભિક્ષુકોને જોઈ તેની દયાની બુદ્ધિથી જે કોઈ ગૃહસ્થો કે ભિક્ષાચરો આવશે, તેઓને આપવા માટે તથા કુટુંબને ખાવા માટેની બુદ્ધિથી સામાન્યરૂપ ભિક્ષક યોગ્ય અને કુટુંબ યોગ્ય ભેગું કરી જે રાંધે, તે યાવદર્થિકમિશ્રજાત. ૨. જે ફકત પાખંડી માટે અને પોતાના માટે જ રાંધે, તે પાખંડીમિશ્રજાત. ૩. જે ફકત (નિગ્રંથ) સાધુ અને પોતાના માટે ભેગું રાંધે, તે સાધમિશ્રજાત. શ્રમણોને પાખંડીઓમાં ગણેલા હોવાથી જુદા લીધા નથી. ૫. સ્થાપના સાધુ માટે કેટલાક વખત સુધી જે વસ્તુ રાખી મૂકાય, તે સ્થાપના. અથવા આ વસ્તુ સાધુને આપવાની છે–એવી બુદ્ધિથી કેટલાક વખત રાખવું તે સ્થાપના. તે સ્થાપના સંબંધથી આપવા યોગ્ય પદાર્થ પણ સ્થાપના કહેવાય છે. તે સ્થાપના ચૂલા-થાળી વિગેરે માં સ્વસ્થાન કહેવાય છે. અને શિકા છાબડી વિગેરેમાં પરસ્થાન કહેવાય છે. તથા ચિરકાલીન અને અલ્પકાલીન જે સાધુદાન નિમિત્તે અશનાદિને રાખવું, તે સ્થાપના એ ભાવ છે. ૬. પ્રાકૃતિકા કોઈક ઈષ્ટ વ્યક્તિને કે પૂજ્યને બહુમાનપૂર્વક જે ઇચ્છિત વસ્તુ અપાય તે પ્રાભૂત એટલે ભેટ કહેવાય છે. તે ભેટની જેમ સાધુઓને પણ આપવા લાયક ભિક્ષા વગેરે જે વસ્તુ અપાય તે જ પ્રાકૃતિકા. . તે બે પ્રકારે છે. ૧. મોટા આરંભવાળી તે બાદર અને સ્કૂલ અને ૨. અલ્પારંભવાળી તે સૂક્ષ્મ. તે બેને પણ ૧. ઉસ્વપ્નણ અને અવષ્પષ્કણ એમ બે પ્રકારે છે. ઉત્પષ્કણ એટલે પોતાને કરવા યોગ્ય પ્રવૃત્તિને જે કાળ હેય, તેને કરવાના કાળ પછી કરવી એટલે કામકાજનો સમય મોડો કરવો. અવqષ્ઠણ એટલે પોતાને કરવાની પ્રવૃત્તિ હોય, તેને તેના સમય પહેલા કરવી તે. બાદર ઉgષ્ઠણ પ્રાકૃતિકા પર દૃષ્ટાંત : જેમ કોઈક નગરમાં કોઈક શ્રાવકે પોતાના સંતાનના વિવાહ કરવાનો વિચાર કર્યો. જોષીએ સારૂં મુહૂર્ત પણ આપ્યું. પણ તે વખતે બીજી તરફ વિચારતાં ગુરુ, તે ગામમાં હતા નહિ. તેથી શ્રાવકે વિચાર્યું કે લગ્નના રસોડામાં અનેક અશન, ખાદ્ય વગેરે મનોરમ ખાવા યોગ્ય ચીજો બનશે. તે ખાદ્ય ચીજો સાધુના ઉપયોગમાં આવશે નહિ. માટે થોડા દિવસ પછી ગુરુ મહારાજ વિહાર કરતાં કરતાં અહીં આવશે તેમ સંભળાય છે. તો તે વખતે જ મારે લગ્ન રાખવા જોઈએ. જેથી સાધુઓને અશન વગેરે ઘણું ઘણું આપી શકે. જો સુપાત્રમાં અપાય તો અશન વગેરે સાર્થક છે. આ પ્રમાણે કરવાથી મહાપૂણ્યનો લાભ થાય. મોટું કલ્યાણ પ્રાપ્ત થાય. આ રીતે વિચારીને નિર્ધારિત લગ્નને ગુરુને આવવાના સમયે કરે. આ પ્રમાણે વિવાહના દિવસને પાછો ઠેલીને. જે ભોજન વગેરે પકાવાય તે બાદર ઉસ્વપ્નણ પ્રાભૃતિકા કહેવાય છે. ૧ ‘પ્રેમ એટલે પ્રકર્ષથી એટલે સારી રીતે. ‘આ’ એટલે સાધુદાનની મર્યાદાપૂર્વક. “ભૂતિ' એટલે બનાવે, “યકા' એટલે ભિક્ષા, તે પ્રાભૂતા. પછી વાર્થિક ‘ક’ પ્રત્યય લાગવાથી પ્રાભૂતિકા થયું. - ૧ ૨૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy