SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ચૂલિકા “શ્રી દ્રવાનિવફૂત્ર મvi૨ - માગ ૨ પ્રથમ ચૂલિકા આ સૂત્ર ઊપર બે ચૂલિકા છે, તે કહે છે. આ ચૂલિકાનો આવો સંબંધ છે કે, આવા ગુણવાળો સાધુ ભાવ ભિક્ષુ કહેવાય. તેવો સાધુ પણ કર્મની પ્રબળતાથી સાધુપણામાં ખેદ માને. (ઘેર જવાની ઇચ્છા કરે) તો તેને સ્થિર કરવાના અધિકાર વાળી આ બે ચૂડા (ચૂલિકા)ઓ છે. હવે ચૂડા શબ્દનો અર્થ કહે છે. दब्बे खेते काले भावम्मि अ चूलिआय निक्खेवो । तं पुण उत्तरतत सुअगहिअत्यं तु संगहणी ॥३५९॥ નામ સ્થાપના સુગમ છે, તેને છોડી દ્રવ્ય વિગેરે ચૂડાનો નિક્ષેપો કહે છે. દશવૈકાલિકની ચૂડાઓ આચારાંગ સૂત્રની ચૂડા માફક ઉત્તર તંત્ર છે, દશવૈકાલિક સાંભળેલાએ આ શીખવું, એટલે એમ સૂચવ્યું કે જેણે પૂર્વે સાંભળવામાં પુરું ધ્યાન ન આપ્યું હોય, તો તેની સારરૂપ આ બે ચૂડાઓ ટુંકાણમાં છે. પણ નકામી નથી. એમ જાણવું. ૩૫૯ दब्बे-सच्चिताई कुक्कुडचूडामणीमऊराई । खेतमि लोगनिक्कुड मंदरचूडा अ कडाई॥३६०॥ દ્રવ્ય ચૂડાની વ્યાખ્યા કહે છે, દ્રવ્ય ચૂડા આગમ નોઆગમ જ્ઞ શરીર અને ભવ્ય શરીર વિગેરે છોડીને વ્યતિરિક્તમાં ત્રણ પ્રકારે સચિત્ત અચિત્ત અને મિશ્ર છે. કકડાની કલગી સચિત્ત છે, મણી ચૂડી અચિત્ત છે, અને મોરની મિશ્ર છે, ક્ષેત્ર ચૂડામાં લોક નિષ્ફટ લોકનો ઉપરવર્તીનો જે આકાર તે ચૂડા (ચૂલિકા) જેવો લાગે. તે પ્રમાણે મેરૂ પર્વત ઉપર પાંડુકંબલ તથા બીજા પર્વતોના શિખર જાણવા, આ ક્ષેત્ર પ્રધાનતાથી જાણવી, આદિ શબ્દથી અધોલોકમાં સીમંતક (નરકાવાસો છે તેની ચૂડા તથા તિર્યમ્ લોકમાં મંદર (મેરૂ) પર્વતની ચૂડા (ચૂલા) છે, ઉર્ધ્વલોકમાં ઈષત્ પ્રાગભારા (સિદ્ધ શિલા)ની ચૂલા જાણવી. ૩૬oll : अइरित अहिगमासा अहिगा संदच्छा अ कालंमि । भावे खओवसमिएं इमा उ चूडा मुणेअव्वा ॥३६१॥ કાળ ચૂલામાં અધિક માસ જાણીતો છે. (તે સૂર્ય અને ચંદ્ર વર્ષ સમાન લાવવા માટે અઢી વર્ષે એક માસ વધારવામાં આવે છે.) અને સાઠ વર્ષે એક વર્ષ વધે છે. તે કાળ ચૂલા છે, ભાવ ચૂલામાં ક્ષય ઉપશમ ભાવમાં આ બે ચૂલાઓ જ છે, (જ્ઞાન વૃદ્ધિ જેનાથી થાય તે ભાવ ચૂલા) આ બંને ચૂલામાં પ્રથમ રતિવાક્ય ચૂલા છે. તેના ચાર અનુયોગ દ્વારનો ઉપન્યાસ કહેવો જોઈએ, તે પૂર્વ પ્રમાણે કહેતાં નામ નિક્ષેપામાં રતિવાક્ય એવું નામ છે, તે બે પદ છે. પ્રથમ રતિ પદનો નિક્ષેપો કહે છે. નામ સ્થાપના છોડીને દ્રવ્ય ભાવ રતિ કહે છે. ૩૬૧ दव्वे दुहा उ कम्मे नोकम्मरई अ सहदब्वाई। भावरई तस्सेव उ उदए एमेव अरईवि ॥३६२॥ દ્રવ્યરતિ આગમનોઆગમ જ્ઞ શરીર અને ભવ્ય શરીર છોડીને બે પ્રકારે કર્મદ્રવ્ય રતિ અને નો કર્મ દ્રવ્ય રતિ છે, તેમાં પ્રથમમાં રતિ વેદનીય કર્મ જાણવું. તે જ્યાં સુધી ઉદયમાં ન આવ્યું હોય, ત્યાં સુધી જાણવું અને નો કર્મદ્રવ્ય રતિ શબ્દાદિ દ્રવ્ય જાણવા એટલે જેનાથી રતિ થાય, એવા કાને શબ્દ સાંભળે, સ્પર્શ કરે, સ્વાદ લે વિગેરે જાણવા–ભાવ રતિ તે રતિ વેદનીય કર્મના ઉદયમાં જાણવી, આ પ્રમાણે અરતિનું પણ જાણવું, તેના પણ દ્રવ્ય ભાવ વિગેરે રતિથી ઉલટા નિક્ષેપા લેવા, હવે વાક્યનું સ્વરૂપ ટૂંકામાં બતાવે છે. ૩૬૨ા. वक्कं तु पुवमणि थम्मे रइकारगाणि वक्काणि । जेणमिमीए तेणं रइवक्केसा हवइ चूडा ॥३६३॥ વાક્ય શુદ્ધિ' અધ્યયનમાં તેના અનેક પ્રકારે નિક્ષેપા કહ્યા છે, ત્યાંથી જાણવા પણ અહીંયાં ચારિત્ર રૂપ ધર્મમાં રતિ ઉત્પન્ન કરનારાં વાક્યોને લેવાં. એટલે જે નિમિત્તે રતિ થાય, તે રતિનાં વાક્યો વાળી આ ચૂલા છે. (રતિ કરનારાં વાક્યો જેમાં છે, તે “રતિ વાક્યા નામની આ ચૂલા છે.) અહીંયાં રતિ નામ વાળું વર્ણન સારી રીતે સહન કરવા (જાણવા)થી ગુણ કરવા વાળી ચૂલા થાય. ૯૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy